SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનુ૫ ચશ્વિ. સંતુષ્ટ થાય છે અને સર્વ વિદનેને વિનાશ કરે છે. આ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થઈગયે. હવે શ્રેણી વિજય મુહૂર્ત મગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીન્યું. કહ્યું છે કે ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ ગધેડું નીકળે તે શુભ થાય. પછવાડે નીકળે તે ગમન નજ કરવું અને સન્મુખ આવે તે પણ રસ્તામાં વિનકર્તા થાય માટે ન જવું. પ્રથમ શબ્દ હાનિકારક થાય છે, બીજો શબ્દ સિદ્ધિદાયક થાય છે, ત્રીજે શબ્દ જવું જ નહિ અને ચોથે શબ્દ સ્ત્રી સમાગમ થાય છે, પાંચમે શબ્દ ભય થાય, છટ્ટ શબે કલેશ થાય, સાતમે સર્વ કાર્ય સિદ્ધ થાય અને આઠમે લાભ થાય છે. પછી તે શ્રેષ્ઠી સારે શકુને પિતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કરી પિતાને ઘેર જઈને સુખે ધર્મ કર્મ કરવા લાગે, અને પ્રિયંકર પુત્ર પણ માતા પિતાના મનોરથોની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે. એવામાં પ્રિયશ્રીના પિતાને ઘેર તેના ભાઈને વિવાહમહેત્સવ શરૂ થયે, તેથી તેને બોલાવવા તેને ભાઈ આવ્યું, એટલે પ્રિયશ્રી પણ પિતાના પતિની આજ્ઞા મેળવીને હર્ષ સાથે પિતાના ભાઈની સાથે પિતાને ઘેર ગઈ. કહ્યું છે કે-“મા, બાપ, પતિ, પુત્ર, અને સહોદર–એ પાંચ સ્ત્રીઓને હર્ષનાં કારણ છે.” આ અવસરે તેની બીજી બહેને પણ પિતાપિતાને ઘેરથી ત્યાં આવી હતી, પરંતુ તે બધી સધન હોવાથી પરિવાર સહિત, અનુચર સહિત અને દાસ, દાસી વિગેરેથી પરવરેલી હતી. રેશમી વસ્ત્રો પહેરેલી હતી અને તાંબૂલથી મુખને સુરભિમય કરીને આવેલી હતી, હીરાથી જડેલા સુવર્ણનાં આભરણથી તે વિભૂષિત હતી, કસ્તૂરીની પત્રવલ્લરી
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy