SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રિયંકરપ ચરિત્ર. પુનઃ પ્રગટ થયેલ આકાશવાણી સાંભળીને તે બંને દંપતી અત્યંત હર્ષ પામ્યા. શ્રેષ્ઠીએ ચારે બાજુએ તથા ઉપર આકાશમાં જોયું, પણ દેવાદિક કે જોવામાં ન આવ્યું, એટલે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે પુણ્ય વિના પ્રાણીને દેવદર્શન પ્રાયઃ ન થાય. કહ્યું છે કે જેનું પૂર્વકૃત પુણ્ય ઉત્કૃષ્ટ હોય તેને જ દેવતાઓ પ્રત્યક્ષ થાય છે? જુઓ ! તીર્થકોના કલ્યાણકમાં સંખ્યાબંધ દેવતાઓ સેવા કરવા તત્પર થાય છે. આ પ્રમાણે પ્રિયાને કહીને ફરી શેઠ બોલ્યા કે-આ દેવ કોણ છે કે જે અદશ્ય રહીને મારું આવા પ્રકારનું સમીહિત કહે છે?” આ પ્રમાણે સાંભળીને એક દેવ ત્યાં પ્રગટ થઇ શેઠને કહેવા લાગ્યું કે હે શ્રેષ્ઠિન ! હું તારે પૂર્વને પુત્ર મરણ પામીને દેવતા થયે છું. તે વખતે તમે કહેલ નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણે દ્રના પરિવારમાં દેવતા થયો છું અને આ આમ્રવૃક્ષને હું અધિષ્ઠાયક છું. તમારા સ્નેહના વશથી મારા આ ભાઈને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સહાય કરીશ. આ મારો ભાઈ મહાભાગ્યવંત છે, માટે માટે હવે તમારે કશી જાતની ચિંતા ન કરવી; પરંતુ આ બાળકને મારું નામ આપવું કે જેથી તે દીર્ધાયુષી થાય.” આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યા કે “હે દેવ ! તમારું શું નામ છે?” દેવે કહ્યું કે મારું નામ પ્રિયંકર છે. એટલે શ્રેણીએ પણ દેવનું કથન અંગીકાર કરીને પિતાના પુત્રનું પણ પ્રિયંકર એવું નામ રાખ્યું. પુનઃ દેવે કહ્યું કે- હે શ્રેષ્ઠિત્ ! સંકટવખતે અહીં આવીને આ વૃક્ષની આગળ ધૂપાદિક કરીને કાર્ય નિવેદન કરજે, કે જેથી હું તમારી આશા તત્કાળ પૂર્ણ કરીશ. કહ્યું છે કેભેગથી દેવતાઓ, ભેગથી વ્યંતરે અને ભેગથી ભૂતપ્રેતાદિક
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy