SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અનોખું વ્યક્તિત્વ લગભગ વીસેક વર્ષ પહેલાં અમારા સમાજના પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં ડો. કુમારપાળને સાંભળ્યા ત્યારે જાણ્યું કે એ ફક્ત સાહિત્યકાર જ નહિ, ધર્મના અભ્યાસી પણ છે. ધર્મ - જૈન ધર્મ વિશેની એમની સૂઝ ખૂબ જ વ્યવહારુ અને સચોટ લાગી. પછી તો એમની સાથેનો સંબંધ વધતો જ ગયો. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અવારનવાર જવાના સંયોગો ઊભા થયા. ડો. કુમારપાળ પણ ત્યાં આવતા હતા એ જાણ્યું એટલે વિશેષ આનંદ થયો. શ્રીમદ્ રાજચંદ્ર જોડે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓમાં ડૉ. કુમારપાળ અવારનવાર આવે. એમના સ્વાધ્યાયોની એક ખાસિયત એ હતી કે તેઓ શ્રીમન્ના જીવનના એવા એવા પ્રસંગો દર વખતે કહેતા કે જે જાણવા ગમે, અને જે અત્યાર સુધી બીજેથી જાણવા મળ્યા ન હોય. છતાં આશ્ચર્ય તો એ થતું કે દર વખતે કોઈ ને કોઈ નવો જ પ્રસંગ એ કહેતા. છેલ્લે મહાત્મા ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના સ્વાધ્યાયમાં બધા શ્રોતાઓને ઘણી નવી વાતો જાણવાની મળી. ખૂબીની વાત એ છે કે એમના સ્વાધ્યાય માટેના મુદ્દા એ અવશ્ય લખીને લાવતા, જેથી કોઈ મુદ્દો ધ્યાન બહાર ન જાય. એમના સ્વાધ્યાય પરથી એમ લાગ્યા વગર ન રહે કે એમણે જે તે વિષય વિશે અધ્ધરતાલ કહ્યું નથી. આટલી બધી પ્રવૃત્તિઓ હોવા છતાં જે વિષય સ્વાધ્યાય માટે કે તેનો તલસ્પર્શી મણિલાલ 5. શાહ 188
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy