SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું કામ નહિ. સાથે સાથે ઘણીવાર સંયમી આત્માઓ પ્રત્યે મનના ઊંડા ખૂણે કશીક અરુચિ પણ હોય તેવું પણ બને. શરીરના ગુલામ હોય તે જ આવું વિચારી શકે. મનના ભોગ બન્યા હોય તે જ આમ ધારી શકે. બાકી આ બધું રાખમાં મળવાનું છે. આજે ગમે છે તોય કાલે અકારું જ – અણગમતું જ થવાનું છે, અને આ કાયા તથા તેની સુંવાળપને પોષવામાં ફકત મોહ અને પાપો જ બાંધવાનાં છે, જે પરભવોમાં ખતરનાક રીતે ભોગવવાં પડશે, આટલી સમજ જો જાગી જાય, તો તે આવા મોઘેરા માનવદેહનો સદુપયોગ આત્માની સાધના માટે કર્યા વિના ન જ રહે. જિનશાસનમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિએ આ દિશામાં, મોહના ત્યાગની બાબતે ગંભીરતાથી વિચારણા કરવી જ જોઈએ. (મહા-૨૦૧૬) L શાનિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy