SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] વિવિધરૂપે (અ) પ્રતિરૂપે પ્રતીત થાય તેવો ભાસે છે, [ ૮૪૭ જ અલિપ્ત છે. તેને આ નિયતિ કદી સ્પર્શી શકતી નથી. જેમ પ્રકાશમાં અંધારું રહી શકતું નથી તેમ આત્મામાં નિયતિનું નામનિશાન પણ હોતું નથી. વળી પ્રકાશને જેમ અંધારું કર્યાં હશે તેની માહિતી લેતી નથી તેમ આમાને આ નિયતિ કરીને કાંઈક હશે તેની ગંધ પણ ક્યાંથી હોય? હવે આ નિયતિએ જ અજ્ઞાનીઓને માટે મનુ, નારાયણ, હંસ ઇત્યાદિની પાસે નિશ્ચિત કરાવેલા સ્વભાવસિદ્ધ એવા વર્ણાશ્રમાદિ ધર્મો સંબંધમાં તને કહું છું તે સાંભળી. ब्राह्मणक्षत्रियविशां शुद्राणां च परन्तप । કામfશ રિમgrઈન માવામાં વર્ણાશ્રમાદિ ધર્મો નિયતિએ જ નિશ્ચિત કરેલા છે હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શનાં કર્મો નિયતિએ નિશ્ચિત કરેલા સત્તાદિ ગુણોના સ્વભાવ વડે જ ભિન્ન ભિન્ન થયાં છે એટલે બ્રાહ્મણોએ અમુક કરવું, ક્ષત્રિઓએ અમુક કરવું, વૈશ્યએ અમુક કરવું અને શકોએ અમુક રાતે જ વર્તવું; એ પ્રમાણે નિયતિએ પોતાના ત્રણ ગુણોવશાત સ્વભાવસિદ્ધ ધર્મો પણ નિશ્ચિત કરી રાખેલ છે. સારાંશ કે, બ્રાહ્મણાદિ વર્ણો, તેમના સ્વભાવ, કર્મો, વ્યાપારો વગેરે નિયતિએ જ નિશ્ચિત કરી આપેલાં છે. તેમાં પણ બે પ્રકારે છેઃ એક તદ્દન નિશ્ચિત યેલા; જેમ કે આંખે જોવું, કાને સાંભળવું વગેરે તથા બીજો પ્રકાર વર્ણાશ્રમાદિ ઠરેલાં કર્મોમાં પિતાની મરજી પ્રમાણે અમુક કક્ષા સુધી ફેરફાર કરવા ટ આપેલી છે. જેમ કે બ્રાહ્મણનાં વણું અને આશ્રમનાં કર્મો ક્ષત્રિયાદિ પણ કરી શકે છે અને ક્ષત્રિયાદિના મન વગેરે મારફત નિયતિએ કરાવી આપેલા વર્ણાશ્રમ ધર્મો બ્રાહ્મણાદિ તથા વૈશ્યાદિકે પણ કરી શકે છે, પરંતુ જેમને માટે જે વર્ણાશ્રમ ધર્મ કહેલો છે તે કરતાં અધમવર્ણ કે આશ્રમના કર્મો કરવાથી તે નીચેની કેટીન ગણાય છે તથા પોતાથી શ્રેષ્ઠ કેટીના ધર્મકર્મોનું સમજ્યા વગર અથવા ઉદેશ નહિ સમજતાં આ લેકે મોટા શ્રેષ્ઠ કાણ? એ રીતની બુદ્ધિ વડે તેનું અનુકરણ જે કરે છે તે પોતાના ધર્મનું અતિક્રમણ થયું ગણાય, પણ ઠેષબુધથી રહિત બની સમજપૂર્વક જે કરવામાં આવે તે વાત જુદી અને પોતપોતાનો મોભો જાળવી રાખનાર જ શ્રેષ્ઠ ગણાય એ પણ નિયતિનો જ નિયમ કરેલો છે. આ રીતે બ્રાહ્મણદિ વર્ણોને માટે ત્રણ ગુણેનો વિચાર કરીને તેઓની આત્મોન્નતિ થવાને માટે મનુ વગેરે દ્વારા સ્વભાવનુરૂપ નિશ્ચિત ઠરાવી આપેલા વર્ણાશ્રમોચિત ધર્મો તને કહું છું. शमो दुमस्तपः शौचं भान्तिरार्जवमेव च । ज्ञान विज्ञानमास्तिक्य ब्रह्मकर्म स्वभावजम् ॥ ४२ ॥ બ્રાહ્મણનાં કર્મો શમ એટલે મને નિગ્રહ, દમ એટલે ઈદ્રિયનિગ્રહ, તપ એટલે આત્મપ્રાપ્તિ માટે કરવામાં આવતું કાયિક, વાચિક અને માનસિક તપ, શૌચ એટલે અંતર્ગસ્થ પવિત્રતા, શાંતિ એટલે ક્ષમા, બધા અજ્ઞાનીઓ આત્મસ્વરૂપને નહિ પિછાનતા મિયા દુઃખ ભોગવી રહ્યા છે એમ સમજી તેઓ પ્રત્યે ક્ષમાં રાખવી અથવા બધા આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે તેઓ તરફથી થતાં દુઃખાદિને કોલ કર્યા વગર સહન કરવાં, આર્જવ એટલે મનમાં કોઈપણ પ્રકારનું કપટ રાખ્યા સિવાય જેવું અંદર હોય તેવું જ બહાર કહેવું તે, આસ્તિકતા કિંવા શ્રદ્ધા; તેમ જ જ્ઞાન એટલે આત્માનું પરોક્ષ જ્ઞાન તથા વિજ્ઞાન એટલે આત્માન અપરોક્ષનાન એ બધા સ્વભાવસિહ એવાં બ્રાહ્મણ કર્મો છે એટલે નિયતિએ ત્રણ ગુણે વડે નિશ્ચિત કરેલાં સ્વભાવાનસાર - 1
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy