SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ ] ‘ાનો મૂતમ-- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૭/૧૦ यजन्ते सात्त्विका देवान्यक्षरक्षासि राजसाः । प्रेतान्भृतगणा श्वान्ये य॒जन्ते तामसा जनाः ॥४॥ દેવી નિશ્ચયમાં શ્રદ્ધાવશાત પડતા ત્રણે ભેદ સાત્વિકે દેવને યજે છે, રાજસો યક્ષ અને રાક્ષસોને, બીજા તામસ જનો ભૂત અને પ્રેતગણે ઈત્યાદિને ભજે છે. અર્થાત સાવિક શ્રદ્ધાવાળા જનો દેવાદિકનું જ પૂજન અર્ચન કરતા હોવાથી તેઓ ક્રમે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે, રાજસ હું દેહ છું એવી માન્યતાવાળા હોવાથી રાક્ષનું યજન કરનારા તથા દેહપુષ્ટિ માટે દ્રવ્યાદિની ઇચ્છાવાળા હેવાથી યક્ષોનું વજન કરે છે. (દેવતાઓના દ્રવ્યના ભંડારી મુખ્ય ખજાનચી પક્ષો હાઈ : સર્વમાં મુખ્ય કુબેર છે) તથા તામસી જન તે મૂઢ હોવાથી ભૂતપ્રેતાદિ નીચ ગણોની ઉપાસના કરે છે કેમ કે આ.ઉપાસના તેઓ લોકેના વૈરભાવ માટે જ કરતા હોવાથી તે પારકાને તે પીડા૫ નીવડે છે. પરંતુ સાથે સાથે પોતાને પણ અધમ યોનિમાં ધકેલનારી છે. ભગવાને કહ્યું: હે અર્જુન! જે દેવી નિશ્ચયવાળા શાકના વિધિનો પરિત્યાગ કરીને શ્રદ્ધાવડે યજન કરે તેમની શ્રદ્ધામાં પણ આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ભેદો છે. આ તને દૈવી નિશ્ચયવાળા ઉપાસકના સંબંધમાં કહ્યું. કાતિ ઘોર તથ છે તો નાં: दम्भाहङ्कारसयुक्ताः कामरागवलान्विताः ॥५॥ कर्थयन्तः शरीरस्थं भूतग्राममचेतसः । मां गन्तः शरीरस्थं तान्विज्यासुरनिश्चयान् ॥६॥ અશાસ્ત્રીય તપ કરનારા આખરી નિશ્ચયવાળાઓ જે જ દંભ અને અહંકાર વડે યુક્ત થઈ કામ એટલે અનેક પ્રકારની છાઓ તથા રાગ એટલે સંગ, આસક્તિ કિંવા પ્રીતિના બળવડે યુક્ત થઈને શાસ્ત્રમાં નહિ કહેલાં એવાં ઘોર તપ કરે છે તથા શરીરમાં રહેલા ભૂતના સમૂહને અને તેની અંદર રહેલા શરીરસ્થ એટલે વસ્તુતઃ હું આત્મસ્વરૂપ હોવા છતાં પણ શરીરરૂપે સ્થિત છું અર્થાત હું એટલે શરીર જ છું એવું માનીને આત્મરૂ૫ એવા મને પણ કર્ણયન્ત; એટલે આપે છે કિંવા દૂબળ કરે છે તેવા અવિવેકીઓને આસુરી નિશ્ચયવાળા જાણે. ઉદ્દેશ એ કે અચેતસ એટલે હું ચેતન્ય કિંવા આત્મરૂપ છે એમ નહિ સમજતાં હું શરીર છું એમ પોતાને જડરૂપે માનનારા ચેતન વગરના અર્થાત જીવંત છતાં પણ મરેલા જેવા જે લેકે દંભ અને અહંકાર વડે યુક્ત થઈ કામ અને આસક્તિના જોર ઉપર વગર સમજે શાસ્ત્રવિરુદ્ધ એવું ઘોર તપ કરી શરીર કે જે પાંચ મહાભૂતને સમહ છે તેને વગર કારણે કૃશ કરે છે. એટલું જ નહિ પરંતુ શરીરની અંદર નિવાસ કરનારા અને વારતવિક આત્મસ્વરૂપ એવા મને આ અચેતસઃ દેહ૫ જ સમજે છે, એટલે કે જેઓ હું દેહ છું એમ માની લે છે. તેઓને આસરી નિશ્ચયવાળા સમજ. આ રીતે મેં તને અશાસ્ત્રીય એટલે મનસ્વી રીતે યજન કરનારા દેવી તથા આસુરી નિશ્ચયવાળાનું સ્વરૂપ સમજાવ્યું. હવે આગળ કહું છું. કા/દસ વર્ષ gિવ મતિ કાઃ | વધારવા અને તેમાં એરિ અg hણા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy