SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ મીતાદહન .... આત્મા) અંગ્રેષ્ઠ માત્ર એટલે અંગુઠાની જેમ શરીરથી અભિન્ન છે. [ & પ્રમાણે વર્તનારો કેવળ એક યંત્રરૂપ છે. માટે આ મારો દેહ છે એવું અભિમાન ધારણ કરનાર એ દેવીરૂપ છાત્માની એ શ્રદ્ધા સ્વાભાવિક રીતે જ સત્વ, રજ અને તમ એમ ત્રણ પ્રકારની હોય છે, તે સાંભળ. सत्त्वानुरूपा सर्वस्य श्रृद्धा भवति भारत । । श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥३॥ પુરુષ જેવી જેવી શ્રદ્ધા વડે યુક્ત થાય તે તે બને છે હે ભારત ! સર્વની શ્રદ્ધા સરવે અનુરૂપ થાય છે. એવી શ્રદ્ધાવાળે આ પુઆ જ છે. તે જે જે શ્રદ્ધાવાળો થાય તે તે જ કહેવાય છે, ભાવાર્થ એ કે, શાસ્ત્રમાં રથળે સ્થળે જે પુરુષ આમ કરે તો આમ થાય એવું વર્ણન આપેલું હોય છે, તે દેહને ઉદ્દેશીને નહિ પરંતુ દેહી (જીવ)ને ઉદ્દેશીને હોય છે; જે તને વખતેવખત કહેવામાં આવેલું છે. વસ્તુતઃ પુરુષ તે આત્મસ્વરૂપ છે ઈ તદ્દન નિર્વિકાર, નિર્ગુણ અને શાંત છે, છતાં આકાશ જેમ મઠની ઉપાધિ વડે મઠાકાશ કિવા ઘટની ઉપાધિ વડે બટાકાશ કહેવાય છે કિવા અરીસો શુદ્ધ હોવાથી તેમાં ગમે તેટલાં પ્રતિબિંબ પડે તો પણ તે કાંઈ કદી મલિન થતો નથી તેમ વાસ્તવિક રીતે આત્મસ્વરૂપ એવો આ પુ તદ્દન શુદ્ધ, શાંત અને નિર્મળ હોવા છતાં જાણે વિષયની ઉપાધિને લીધે વરૂપે બનીને અનંત પ્રકારના સુખદુઃખાદિ ભોગ ભોગવી રહ્યો હોય તેવો પ્રતીતિમાં આવે છે. અરીસાને કિવા ઘટાકાશ, મહાકાશને તો બીજા કેઈ આવરણ કરનારાં સાધનોની આવશ્યકતા હોય છે. પરંતુ આ પુરુષ તે રવતસિદ્ધ, તદ્દન સ્વતંત્ર, કેાઈની પણ અપેક્ષા વગર સ્વયંપ્રકાશ અને અનિર્વચનીય હોવાથી તે પોતાની મેળે જ જેવી જેવી શ્રદ્ધાવાળા થાય છે તે તેવો કહેવાય છે. જેમ માટી ઘડાના આકારે થાય તો ઘડો, સગડીના આકારે થાય તે સગડી, રમકડાંને આકારે થાય તે રમકડાં, ઈંટના આકારે ઈંટ ઈત્યાદિ જુદા જુદા આકારે પ્રતીતિમાં આવે છે તેમ આ દશ્યાદિ ત્રિપુટીઓ તથા તેને સાક્ષી ઇત્યાદિ સર્વરપે આ આત્મા પોતે પાતામાં અને પોતા વડે જ જે જેવો થાય છે તે તે રીતે બનેલ પ્રતીતિમાં આવે છે. આથી સરવે એટલે આત્મસ્વરૂપ બનેલા એવા આત્મારામ જીવમુક્તનું ચિત્ત કિવા આત્મા જ પોતે ઈશ્વર, માયા અને તેના ત્રણ ગુણાદિ તથા વારિરૂપે એટલે રવભાવ વા નિયતિરૂપે બની જેવી જેવી ભાવના(શ્રદ્ધા)વાળે બને છે તેવી તેવી ભાવનાવાળે તે પોતે જ પોતાને પિતામાં અનુભવે છે, એટલે વ્યવહારમાં તે પોતે જ તેવા રૂપે થયેલું જોવામાં આવે છે. આથી સર્વની શ્રદ્ધા પોતપોતાના પ્રકૃતિજન્ય સ્વભાવનુરૂપ જ થાય છે. જે શાસ્ત્રમાં કહેલાં કેટલાંક વતે ફક્ત સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે છતાં તેમાં બતાવેલી ફળશ્રુતિમાં તો જે પુરુષ આ વ્રત કરે છે તેને જન્મોજન્મ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા પતિનું સુખ મળે છે, અવાં વણનો આવે છે. તે વાંચી પુરુષની વ્યાખ્યા નહિ સમજનારા માટે તેને હાસ્યાસ્પદ ગણે છે, પરંતુ જે વિચાર કરે તે જણાઈ આવશે કે તે તે પોતાની અજ્ઞાનતા કિંવા મૂઢતા છે. અરે! જુઓ કે વ્યવહારમાં ગણાતા પુરુષ કિવા સ્ત્રીઓ પણ આપસઆપસમાં ખબર અંતર પૂછે તે સામાને એમ જ કહે છે કે તમારી પ્રકૃતિ(તબિયત) કેમ છે? કદી કોઈ તમારો પુરુષ કેમ છે એવું પૂછે છે ખરા છે એટલે આ બધું જે જે કાંઈ જવામાં આવે છે તે તો પ્રશ્નતિ જ છે, એમ વ્યવહાર ઉપરથી પણું સિદ્ધ થાય છે. આથી એ નિશ્ચિત છે કે પ્રકૃતિથી પુરૂ તે કોઈ વેગળે છે તે જ આ પકૃતિને ચલાવી રહ્યો છે. અર્થાત કાયિક વાચિક અને માનસિક થતાં તમામ કાર્યને પ્રેરક તે હેવાથી જેમ મારે ગમે તેટલું કામ કરતા હોય છતાં ૫ણુ તેનો માલિક છે કે જે જ હોય છે તેમ આ દેહ તથા ઇન્દ્રિયો તો મારપે હાઈ જે માલિકની આજ્ઞાનુસાર તેઓ વર્તે છે તે તો કોઈ જુદો જ છે. તેને જ “પુરુષ" એવી સંજ્ઞા વડે શાસ્ત્રકારો સંબોધે છે, તે ખાસ ધ્યાનમાં રાખવું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy