SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદાહન] અહીં (દૃશ્યજાળમાં પણુ) અનેકત્વપણાના ભાવ કિંચિત્માત્ર છે જ નહિ, [ sv આમ વિનાશી અને આસુરીસપને ઉત્પન્ન કરનારા અધરૂપ એવા આ કામક્રોધાદિકા આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. એટલું જ નહિ પરંતુ તે મિથ્યા એવા મૃગજળમાં ફસાવી મનુષ્યના પુરુષાર્થાના નાશ કરી નાખે છે. આ તુચ્છ વિષયેામાં મનુષ્ય જીવ કેવી રીતે ફસે છે તથા તેમાંથી તેને કામ, ક્રોધ, તથા માહ શી રીતે થવા પામે છે, તે સંબંધમાં થોડા વિચાર કરવા અનુચિત ગણાશે નહિં. કામીની ભ્રષ્ટતા અજ્ઞાનને લીધે રવસ્વરૂપનું વિસ્મરણ થતાં મિથ્યા અહંમમાદિ ભાતની ઉત્પત્તિ થઈ, અમુક સૌદયવાળુ` છે તેમ જ અમુક સૌંદર્યાંથી રહિત છે ત્યાદિ પણાના ભાવાની કલ્પના થાય છે, પરંતુ વાસ્તવિક સૌદર્ય એ તા મન વડે કરવામાં આવતી એક પ્રકારની કલ્પના છે. સૌંદર્યાદિની કલ્પના કરવાથી કામના ઉત્પન્ન થઈ વિષયાપભેગાની ઇચ્છા થાય છે. જગતમાંના સર્વ વિષયાપભેગામાં રતિભાગના સુખને મુખ્ય માનવામાં આવે છે અને તેની ઇચ્છા સૌંદર્યંની કલ્પનાને લઈ તે જ થાય છે અને તેથી જ સુંદર સ્ત્રીઓના શરીરથી પુરુષને અને સુંદર પુરુષના શરીરથી સ્ત્રીઓને વિષયવાસનાવશાત્ જેટલુ` સૌંદય અને તિભાગનુ સુખ પ્રાપ્ત થતું જણાય છે તેટલું જ યા તે। તે કરતાં પણ વધુ સુખ કદરૂપી સ્ત્રીએની સાથે પુરુષે કિવા કદરૂપા પુરુષા સાથે સ્ત્રીએ પણ મેળવે છે. આ સંબંધમાં એકાગ્રતાથી વિચાર કરશેા તે જણાશે કે જગતમાં ઝાડ, પહાડ, પશુ, પક્ષી ઇત્યાદિની માક સ્ત્રી નામની જે એક વસ્તુ જોવામાં આવે છે, તે તે તેનું ખાદ્ય સ્વરૂપ થયું. તેનું પ્રથમ તા ચિત્તમાં સંકલ્પરૂપે કેઈ એક પ્રકારનું કલ્પના કરેલું સૂક્ષ્મ પ્રતિબિંબ પડે છે. જ્યાં તે રૂપાળી છે એવું ચિત્ર આલેખાય છે, પછી ચિત્તમાં ઉપરાઉપરી એને એ જ વિચાર આવતા રહે છે. તેથી તેના સરંભેાગની ઇચ્છા પુરુષને ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે સ્ત્રીના મનમાં પણ પુરુષ સંબંધી ઇચ્છા પ્રવર્તે છે. આ રીતે જ્યારે પુરુષ કામથી વ્યાકુળ બની જાય છે, ત્યારે જ તેને રતિસુખ અનુભવમાં આવે છે. જો મન જરા પણુ વ્યાકુળ થાય નહિ તેા સ્ત્રી સુંદર હોવા છતાં પણ રતિસુખ અનુભવમાં આવતું નથી. આ ક્ષુબ્ધતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એટલે સ્ત્રી સૌદય આદિ વિષયાના સંગ, સ્ત્રીના નેત્ર, સ્તન, નિતંબાદિ અવયવનું ચિત્તમાં ફરી કરીતે પડવું એ જ એક વિષય ઉત્પત્તિનું કારણ છે. તેથી તદ્દન નાનાં બાળકાને કિવા ચિત્તનો એકાગ્રતા કરનાર યાગીને આવા ક્ષેામ કદી પણ થતા નથી; આથી જ તેને સ્ત્રીસુખની લાલસા(કામની છા⟩ઉત્પન્ન થતી નથો. તાત્પર્યાં કે, સ્ત્રી સુંદર । કે ન હેા પરંતુ તેના વડે પુરુષ જેમ જેમ સૌંદયની કલ્પના કરી રતિસુખ પ્રાપ્ત કરવા એ છે, તેમ તેમ પેાતાના મનરૂપી પડદા ઉપર પ્રથમ તો તે સ્ત્રી છે અને સુંદર છે, એવું તેનું સૂક્ષ્મ ચિત્ર પાડી લે છે. તેમ સ્ત્રીએ પણ પુરુષા સંબંધી તેવી જ કલ્પના કરી લે છે. અરે! જેના શરીરની સ્થિતિ વાસ્તવિક તા તદ્દન ગંદી હેાય છે એવા તરુણા સાથે સ્રીએ પણ રમમાણુ થઈ આનંદ મેળવે છે, એ તે તેમને થનારી સંતિત ઉપરથી સહેજે સિદ્ધ થાય તેમ છે. તેઓ કદરૂપી છે, એવું મનમાં આવ્યા પછી કિવા તેમને વિષે મનમાં જો કલ્પના જ ઉદ્ભવે નહિ તા એને ઠેકાણે પુરુષને રતિસુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે ? અને આવી વિરુદ્ધ ભાવના થવી એ કંઈ અશકય નથી. કામી પુરુષની આ મનેા ભ્રષ્ટતા બાબત કેટકેટલુ કહીએ ? એ મુર્ખાઓને સ્ત્રીઓના આ અતિશય ગદા અને તુચ્છ એવા રતન, નિતંબ તથા યાનિ ઇત્યાદિ જેવા નરકસમા તુચ્છ ભાગેા ઉપર સૌથી વધુ સૌંદર્ય દેખાય છે. અરે! આ મળમૂત્રથી ભરેલા શરીર ઉપર પણ જેમને સૌંદય' છે એમ લાગતુ હોય તેમને ખીજી કઈ જગ્યાએ સૌદ` દેખાય નહિ ! માટે વિચારી જોતાં જણાશે કે સૌંદય એ તા એક મનની સ્ફુરેલી કલ્પના જ છે. ઉપર જણુાવ્યા પ્રમાણે મનમાં સૌંદયની ભાવના કર્યો સિવાય અર્થાત્ આ સારી છે આ ખરાબ છે એવી ભાવના થઈ તેમાં આસક્ત થયા સિવાય કાઈ પણ વસ્તુ ક્રાઇ પણુ સ્થળે સુખદાયક જાશે નહિ. સો એ કાંઈ નૈસર્ગિક નથી મધમાં રહેલી મીઠાશની માફક સૌદય એ જો કુદરતી રીતે જ સંભવત ડાય તે તે નાનાં બાળકાને પશુ કેમ અનુભવમાં આવતુ' નથી તે કહેૉ. જુદા જીદ્દા દેશમાં જુદી જુદી આકૃતિના લેાક્રે। મળી આવે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy