SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] વસ્તુતઃ અમૃતરૂ૫ છતાં મૃત્યુ દંત)ની મા યતાથી મૃત્યુને અનુભવ કરે છે– [ ૭૫૯ માને છે, બુદ્ધિશાળી ગણે છે ઈત્યાદિ પ્રકારે પોતાની મેળે જ પોતે પોતાને પૂજ્ય માની બેઠેલા. સ્તબ્ધ એટલે નમ્રતાશન્ય તાઠર એટલે અક્કડપણુથી રહેનારા, ધન માન અને મદ વડે યુકત બનેલા આ ઉદ્ધત નામય. એટલે કેવળ નામના કિંવા કીર્તાિને માટે જ યજ્ઞ કરનારા હોય છે. વાસ્તવિક તે તેવા યોને યજ્ઞ કહી શકાય જ નહિ, પરંતુ વિધિથી રહિત અને ફક્ત કહેવા પૂરતા નામમાત્ર એવા એ યજ્ઞો તેઓ કેવળ દંભને માટે જ કરે છે; નહિ કે પરમાત્માનું યજન કરવાના ઉદ્દેશથી. આમાં કહેવામાં આવેલા ય એટલે કેવળ ય જ નહિ પરંતુ મૂઢાના થતાં તમામ કર્મો પ્રતિષ્ઠાની ઇરછાથી અને કેવળ ઢોંગ વડે જ ભરેલાં હોય છે એ આશય છે. તેઓ ગરીબગરબાના ઉદ્દેશથી નહિ પણ પિતાને હાજી હા કહેનારા તથા લોકોમાં કીર્તિને ફેલાવો કરનારા એવા પોતાના આડતિયા કિંવા દલાલોને જ દાન આપે છે તથા તે લોકોને જ પાસે રાખે છે. આ મુજબ તેમની સર્વ ક્રિયાઓ ઢેગી પણ વડે જ ભરેલી હોય છે. ગg & કુર્ણ શામ શોષ ૪ વયિતા: मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१८॥ આસુરીઓને હું હંમેશાં નારકી પોનિમાં ધકેલું છું ભગવાન કહે છે : હે પાર્થ! અડકાર, બળ, ગર્વ કામક્રોધથી ફૂલાઈ જઈ તને જ આશ્રય કરનારા તથા પોતાના અને બીજાઓના દેડેમાં રહેલે આશ્રયરૂપ આત્મસ્વરૂપ એ જે હું તેને અનંત જ અને અસૂયા એટલે ઘણા કરનારા એટલે હું અને આ સર્વ આત્મસ્વરૂપ છે, આત્માથી મિન કાંઈ છે જ નહિ એમ સમજવાને બદલે અવિવેક વડે આમાં એટલે આ શરીર અને તેને સુખી કરવા અને પોષવાને માટે ગમે તે પ્રકારે વિષયોપભોગ મેળવવા તથા તે વડે જ તેને પુષ્ટ કરતા રહેવું, શરીરની કિંવા તેને અવયવ પ્રત્યવાવની કિંચિત્માત્ર પણ હાનિ થવી એટલે જાણે પોતાની જ હાનિ થઈ ગઈ એમ સમજીને મેહ વડે પતાસહ આ બધું આત્મવિરૂ૫ છે, એવું ભાન ભૂલી જઈ ઊલટો તેના ઉપર અત્યંત જ કરે છે; આ રીતે દેહ એટલે જ આત્મા, બીજે કઈ આત્મા છે જ નહિ એવા નિશ્ચયવાળા અને આત્મસ્વરૂપ એવા મારા ઠેષ્ટા, કર અને અશુભ કર્મો કરનારા નરાધમોને હું સંસારમાં વારંવાર આસરી યોનિઓમાં જ ફેંકે છું એટલે તેને હું આ આસરીસંપત કે જે જન્મમરણાદિ અનેક પ્રકારનાં દુઃખોથી ભરપૂર છે, તેમાં જ હંમેશાં ધોયા કરું છે. આ મુજબ કામાસક્તિથી વ્યાકુળ ચિત્તવાળા આસુરી સંપત્તિમાન મૂઢો હંમેશાં નારકી યોનિમાં જ પ્રવેશ કરે છે. તેઓ ઉચ્ચતર યોનિઓને કદી પણ પ્રાપ્ત કરી શક્તા નથી. तानहुं द्विषतः क्रूरान्स५सारेषु नराधमान् । क्षिपाम्य॒जम्नमशुभानासुरीष्वेव योनिषु ॥१९॥ કઈ પણ નિમાં છવ મરણની ઇચ્છા રાખતા નથી | સર્વ સફાચટ કી જનારે કાળ કે જેણે આજપર્યત અનંત બ્રહ્માંડનું પણ ભક્ષણ કરેલું છે, કરે છે અને કર્યો જાય છે તેનું પરાક્રમ નહિ જાણતાં આ મનુષ્ય સુખ પામવાની ઇચછાથી અનેક દુઃખો વેઠીને પણું જે જે વસ્તુઓ મેળવે છે તે સર્વ વસ્તુને કાળ એક ક્ષણમાં જ સાફ કરી નાખે છે અને પછી તેને માટે તેઓ શોક કરે છે. આ સ્ત્રી પુત્રાદિ સહિત દેહ અનિત્ય હોવા છતાં પણ તેને તથા તેના સંબંધના ધર ખેતર અને ધન વગેરે અસ્થિર તથા નાશવંત પદાર્થોને દબંહિ મનુષ્યો મુખપણાથી અવિચળ માને છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy