SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન (અને) જે (આત્મપદ)માં (તે) અત (વિલનને) પામે છે, [ ૭૪૯ થવા નહિ દેવી તેને જ ધીરજ કહે છૅ; આનું અંતિમ ધ્યેય તે। આત્મપ્રાપ્તિમાં જ પરિણમે છે. શૌચ એટલે પવિત્રતા કિવા શુચિર્ભૂતપણું, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ; હું, તું, તે, આ ઋત્યાદિરૂપે ભાસતું આ બધુ દૃશ્યજાળ પણુ આત્મરૂપ જ છે, એવા મતમાં નિત્યપ્રતિ દૃઢ નિશ્ચય થવા તે આંતરશૌચ કહેવાય તથા ગામય, માટી વગેરેથી શરીરને સાફ કરવું, એ બાહ્યશૌય છે. આભાŽશૌચતે અંતર્ભાવ આંતરશૌચમાં થાય છે. જો આંતરશૌચ ન હોય તેા એકનું બાહ્યશૌચ નિરક નીવડે છે. અદ્રોહ એટલે ફાઈના પણ દ્રોહ નહિ કરવા, બીજો હોય તે! જ દ્રોહ થઈ શકે પરંતુ જ્યાં બન્ને કેાઈ છે જ નહિ પણ આ સ` એક આત્મા જ છે એવી નિઃશક રીતે દૃઢભાવના હોય તે। પછી દ્રોહ કયાંથી સંભવે ? નાતિયાનિતા એટલે માનપણાનેા જ જ્યાં અત્યંત અભાવ ધ્યે એવી નિરભિમાનવૃત્તિ રાખવી તે. જ્યાં હું પૂજ્ન્મ છું, મેટા છું એવી ભાવનાને પણ વિલય થાય છે, તે જ નાતિમાનિતા કહેવાય. તા કે, હું આત્મા છે. એવું સર્વાત્મભાવનું અભિમાન રાખી મનમાં મને બધા પૂજે એવા પ્રકારે મનમાં જેતે પૂજાવાની ઇચ્છા હોય તે દાંભિકતા કહેવાય પરંતુ જ્યાં એવી ઇચ્છા પણ હોતી નથી અર્થાત્ અમુક થયું જે એ અને અમુક હિ થવુ' જોઈ એ એ 'તે પ્રકારની બુદ્ધિમાં ઉપેક્ષાવૃત્તિ હોવી તે નાતિમાનિતા કહેવાય છે. જે ભારત ! આ ગુણે દૈવી સંપત્તિ મેળવીને જન્મેલાઓને પ્રાપ્ત થાય છે, અર્થાત્ જે દૈવી સંપત્તિમાં જન્મેલા હેય તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેના તેજ, ક્ષમા આદિ છવ્વીસ (૨૬) ગુગ્રા હોય છે (દૈવી સ`પત્તિ સંબંધમાં અ૦ લે।૦ ૧૩,૧૪ જીએ). હવે તને આસુરી સપત્તિમાં જન્મેલાએના ગુા સક્ષેપમાં કહું છું. दम्भो द॒र्पोऽभिमान॒श्च क्रोधः पारुष्य॒मेव॑ રા अज्ञानं॒ चाभिजात॒स्य पार्थ सम्पद्मासुरीम् ॥ ४ ॥ આસુરી સ’પત્તિવાળાના ગુણા ભગવાન આગળ કહે છે હું પા! તમે આસુરી સપત્તિવાળા કાને કહેવા તે પ્રથમ પશુ કહેલું જ છે (અ॰ ૯ લે. ૧૧, ૧૨, જુઓ). હવે તેના લક્ષણૢા સ્પષ્ટ રીતે કહું છું. દંભ એટલે દાંભિકતા, ૬૫ એટલે ગવ કિવા અક્કડપણું, અભિમાન, ક્રોધ, પાસ્થ્ય એટલે મહેણાં મારવાં, અત્યંત નિષ્ઠુર (કઠણુ)વચન ખેલવું તે, તથા અજ્ઞાન એટલે હું દેહુ છુ એવા પ્રકારે સમજવું તે; આ ગુણે। આસુરી સંપત્તિને મેળવી જન્મેલાએતે પ્રાપ્ત થાય છે અર્થાત્ આસુરી સંપત્તિમાં જન્મેલાઓમાં આ શુ હોય છે. देवी स॒म्पद्विमोक्षय नबन्धायासुरी मता 1 मा शु॒च॒ः सम्प॑द॑ दे॒वीम॒भिजातोऽसि॒ पाण्डव ॥ ५ ॥ તુ દૈવીસ પત્તિવાળા છે દૈવી સંપત્તિ મેક્ષને માટે તથા આસુરી સપત્તિ બંધને માટે માનેલી છે. એટલે જેમાં દૈવી સંપત્તિના ઉપર કળા પ્રમાણેના ગુગ્રા હોય છે, તે આ સંસારરૂપી દુઃખમાંથી છૂટવાના માર્ગે લાગેલા છે, એમ સમજવું તથા આસુરી સંપત્તિવાળાએ તેા નર્કના કીડાની જેમ વિષયવાસનામાં જ રગદેાળાયેલા જ હાવાથી કરી રીથી અત્યંત દુઃખદાયક એવા આ જન્મમરણના ચક્કરમાં જ પડ્યા કરે છે. હે પાંડવ (અર્જુન) તુ દૈવી સ`પત્તિ સંપદન કરીને જન્મેલેા છે, માટે શાક નહિં કર અર્થાત્ તું નરકના કીડાઓની જેમ વિષયમાં ક્રૂસાઈ ફ્રી ફરીને ગવાસમાં રગદોળાઈ તે જન્મમરણાદિ દુઃખપર પરામાં જ ફસાયા કરશે એવી ચિંતા ન કર કેમકે તું હૈવી સ ́પત્તિમાન હેાઈ મેાક્ષની કક્ષા પૈકીના છે. જન્મ મરણાદિના કારણુરૂપ ગર્ભવાસને વિષ્ટામાં સભડતા કીડાની ઉપમા શાસ્ત્રામાં કેમ આપવામાં આવે છે? ગર્ભમાં પિંડ શી રીતે ધાય છે તથા તેને ત્યાં કેવી યાતનાઓ બેગવવી પડે છે, તે સંબધે શાસ્ત્રમાં આ પ્રમાણે વન આવેલું છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy