SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ]. અન્નેનાથી તેનો ત્રાસવામિ [ શ્રીગીતામત્વના ન્યાસ, ધ્યાન ઇત્યાદિ श्रीगीतामन्त्रना न्यास, ध्यान इत्यादि બીજ, મંત્ર, ન્યાસ અને ધ્યાન શ્રીમદ્ ભગવદ્દગીતા, એ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણની વાણીરૂપ પૌરુષેય ઉપનિષદ હેવાથી તે મંત્રરૂપ છે. મંત્રના ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ અને કીલક આ છ (અંગે) વાનાં હેય છે, તે નીચે પ્રમાણે છે. ॐ अस्य श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान्वेदव्यास ऋषिः ॥ अनुष्टुप् छन्दः ॥ श्रीकृष्णः परमात्मा देवता ॥ अशोच्यानन्वशोचस्त्वं प्रशावादाश्च भाषस इति बीजम ॥ सर्वधर्मान्परित्यज्य मामेकं शरण बजेति शक्तिः ॥ अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच इति कीलकम् ॥ ઋષિ, બીજ, શક્તિ, કીલક આ શ્રીમદ ભગવદગીતારૂપી માળામાં આવેલાં ભગવદ્રવચનરૂપી મંત્રના દ્રષ્ટા, ભગવાન વેદવ્યાસ મહર્ષિ છે; છંદ અનુષ્ય (છંદવિવરણ માટે “શ્રીમદભગવદગીતાના મંત્રો અને છંદે” એ મથાળું પૃષ્ટ અ ૬૮ જુએ) છે. અને દેવતા શ્રીકૃષ્ણ પરમાત્મા છે. જેનો શેક કરવો યોગ્ય નથી તેને તું શોક કરે છે અને પંડિતના જેવા શબ્દો બોલે છે" એ વચન " ગીતામંત્રનું બીજ છે. “સર્વ ધર્મોને પરિત્યાગ કરીને એક મારે જ શરણે આવ.” આ વચન ગીતા મંત્રની શક્તિ છે અને હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, તું શાક ન કર.” એ આ ગીતામંત્રની કીલક એટલે ખીલી, દિલ્લી, ચાવી વા કુંચી છે. ન્યાસ વિષે સમજણ મંત્રનું પઠન, પૂજન કે જપ ઇત્યાદિ કરવા પહેલાં શરીરની શુદ્ધિ ઉપરાંત સર્વ અંગોમાં મંત્રોનું આરોપણ કરીને તેને ન્યાસ વડે દેવતાઓના રક્ષણરૂપ બનાવવું જોઈએ તે ન્યાસના બે વિભાગે છે. (૧) કરન્યાસ’ અને (૨) “અંગન્યાસ.' અંગન્યાસમાં પણ પતંગ અને દશાંગ એવા બે ભેદો છે. અહીં ષડંગન્યાસ આપવામાં આવેલ છે. ગીતાનો પાઠ કરનાર પ્રથમ ગીતામંત્રના ઋષિ, છંદ દેવતા, ઇત્યાદિનું ઉપર પ્રમાણે સ્મરણ કર્યા પછી નીચેના વિધ અને ક્રમ પ્રમાણે ન્યાસ કરવા. કરન્યાસને વિધિ જૈને છિતિ શાસ્ત્રાર્જુન વૈ રતિ વ:” “આ (આત્મા)ને શસ્ત્રો છેડી શકતાં નથી અને અગ્નિ બાળી શકતા નથી.” આ મંત્ર ભણી, બંને હાથના અંગ ઉપર તર્જનીને ફેરવવી અને “કંકુઝક્યાં નમઃ” એમ બોલીને તેને આત્મારૂપે નમસ્કાર કરવા. " न चैन क्लेदयन्त्यापो न शोषयात मारुतः " આ (આત્મા)ને પાણી પલાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી” આ મંત્ર ભણીને બંને હાથની તર્જનીઓને (અંગુઠા પાસેની આંગળી ઓને) અંગુઠે અડાડીને “તનાાં નમઃ” એમ બોલી તેને આત્મભાવે નમસ્કાર કરવા, “અરોડામાડયમવોશોથ ઘa = " આ (આત્મા ન છેદી શકાય, ન બાળી શકાય, ન ભીંજવી શકાય અને ન સૂકવી શકાય તે છે' આ મંત્ર ભણીને બંને હાથની વચલી આંગળીઓને અંગુઠે અડાડીને “મનાભ્યાં નમ: " - એમ બોલી તેને આત્મભાવે નમસ્કાર કરવા,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy