SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] અસ્તુ વિજ્ઞાન્યાન્મતિ સમનઃ સા: ગ્રુત્તિઃ । [સિદ્ધાન્તકાણ્ડ ભગી૦ અ૦ ૧૩/૧૬ વ્યવહાર કરે છે તથા બીજો નિત્યસમાધિમાં જ રહે છે છતાં તે અને મહાત્માઓએ પરમ વિશ્રાંતિરૂપ નિર્માળ એવા પરમબ્રહ્મમાં જ સ્થિતિ કરેલી હેય છે એમ સમજો. આ સમજાવવાને ઉદ્દેશ એ કે તને કદાચ શંકા થશે કે જીવન્મુક્તિ થયા પછી શરીરનેા વિનાશ પણ થઈ જાય છે કે શું ? તે તે માટે તમે સ્પષ્ટતા કરીને આ કહ્યું છે. જીવન્મુક્તિ કહે। યા વિદેહમુક્તિ કહે, તેની સાથે શરીર છૂટવાનેા કે રહેવાને કાંઈ પણ સંબ`ધ જ નથી. જીવન્મુક્તોના વિહાર આમ જેણે ગેય વસ્તુની પ્રાપ્તિ કરી લીધેલી હોય છે. એવા સાક્ષાત્કારી જીવન્મુક્ત મહાત્મા પુરુષ ઇચ્છા અને દ્વેષથી રહિત થયેલા હેાઈ કાઈપણ જાતની આસક્તિ વિના જ વ્યવહાર કરે છે. જેના મનમાં “ આ ગ્રાહ્ય છે તથા આ ત્યાજ્ય છે ” તથા “ હું છું તથા આ મારું છે' એવી કાઈ કલ્પનાઓના અંશ પણ હેાતા નથી; જેની તમામ કલ્પનાએ નાશ પામેલી હાય છે, તે પુરુષ જ જીવન્મુક્ત કહેવાય છે. જેના મનમાં હ, શાક, ઈર્ષ્યા, ભય, ક્રોધ, કામ, દીનતા કે ઉદ્વેગ કશાના અભિનિવેશ જ થતા નથી તે જીવન્મુક્ત કહેવાય. જે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિની પેઠે પદાર્થીની સઘળી આસક્તિને શાંત કરીને વર્તે છે તેમ જ જે સ્વચ્છતાથી ભરપૂર ાડશકલાપૂર્ણ એવા ચંદ્રની પેઠે સદાસદા સ્વાભાવિક અવસ્થામાં જ આનંદથી ભરપૂર રહે છે તે જ જીવન્મુક્ત કહેવાય. આ રીતે જ્ઞેયને જાણનારા પણ જીવન્મુક્ત થઈ જગતમાં સર્વત્ર વિહાર કરે છે. તાત્પર્ય એ કે, ધ્યેય વસ્તુને સંપૂર્ણ રીતે જાણી લઈ જીવન્મુક્ત થનારા જ ખરા જ્ઞાની છે. આમ ધ્યેયની બંને બાજુએ સારી રીતે જાણવામાં આવ્યા પછી જ જીવન્મુક્ત થઈ શકાય છે, તેથી જ હું તને જ્ઞેય કાને કહે છે તે વિસ્તારપૂર્વક કહી રહ્યો છું. તે એક વખતે સારી રીતે જાણવામાં આવ્યા પછી કદીપણ મેહ થતા નથી તેમ તે કરતાં વિશેષ કંઈ જાણુવાપણું પણ રહેતું નથી. નૈયરૂપ એવા આ બ્રહ્મને જાણનારા પણ નૈયરૂપ જ બની જાય છે. હવે આ તૈયપદનું સ્વરૂપ આગળ કહું છું તે સાંભળ. सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । 1 असक्तं॒ सर्व॒भृच्चैव निर्गुणं गुणभोकु च ॥१५॥ શુ જે આ તમામ ઢઢવાળુ ભાસે છે તે પણ આત્મા છે? સર્વ ઈદ્રિયાના ગુણેાવડે ભાસતું, સર્વે ઇંદ્રિયાથી અત્યંત રહિત, કાર્યની સાથે જેને તલભાર પણ સંબંધ નથી એવું, તદ્દન અસક્ત, સર્વાંતે ધારણ કરનાર અને નિર્ગુણુ છતાં ગુણાને ભેગવનાર એવું આ પરમજ્ઞેયતત્ત્વ છે. તાપ` એ કે, આ સવ જે જે કાંઈ ઇંદ્રિયાના ગુણાના સંબંધવડે દૃશ્યાદિરૂપે ભાસે છે તે તથા જેમાં કદી ઇંદ્રિયાનું નામનિશાન પણ નથી એવું સ` ઇંદ્રિયાથી વત; તદ્દન આસક્તિ વિનાનું તથા સતે ધારણ કરનારું અને નિર્ગુણ તથા ગુણાને ભાગવનારું' એવી રીતના દ્વંદ્વવાળું જે જે કઈ આ ભાસે છે તે તમામ અનિવચનીય એવું બ્રહ્મસ્વરૂપ છે એમ જાણુ. र॒न्त भूता॒नम॒र॒मेव વા सूक्ष्मत्वा॒त्तद॑विज्ञेय॑ दु॒रस्य॑ चान्ति॒के च तत् ॥१६॥ સ આ જ્ઞેય વિજ્ઞેય કેમ ? ભૂતાની અંદર અને બહાર, અચર અને ચર એટલે સ્થિર તથા ચલાયમાન, અત્યંત ક્રૂર અને અત્યંત સમીપ ઇત્યાદિ જે જે કાંઈ ભાસે છે તે સ` તત્ એવું બ્રહ્મસ્વરૂપ જ છે. આમ હોવા છતાં આ અતિ સૂક્ષ્મપણાને લીધે નહિ જાણી શકાય એવું અર્થાત્ અવિજ્ઞેય પણ તે જ છે, અત્રે ભગવાને તે પદ્મ અવિય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy