SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ] = સ તરાનાન્નોતિ તવાર રાષિારજીતે d 5. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ ૧૩/૧૪ કે નામરૂપાદિનું અસ્તિત્વ હોતું નથી પરંતુ તેના નિર્વિકાર અને નિર્મળ સુવર્ણના ઘાટ ઘડાયા પછી જેમ વિવિધ પ્રકારનાં નામો તથા આકારે હોય તેવું અનુભવમાં આવે છે, એટલે નામરૂપ અને આકારાદિથી રહિત એ જ સોનાનું શુદ્ધ અને મૂળ સ્વરૂપ કહેવાય. ધારો કે કઈ દાગીને પોતાના મૂળ સ્વરૂપની શોધ કરવાને પ્રયત્ન કરે તો તેને પોતાનો, નામરૂપાદિનો અને તેના સાક્ષીભાવનો પણ વિલય કરવો પડશે. આમ જ્યારે તેનું પોતાપણું મટી જાય છે ત્યારે જ તેને પોતાના મૂળ શુદ્ધ વિરૂ૫ની શોધ થઈ શકે છે. આ મુજબ તેને સુવર્ણનું ખરું સ્વરૂપ સમજાયા પછી જ ખબર પડે છે કે હું પણ તે રૂપ જ હોઈ તેથી કદી પણ ભિન્ન હતો જ નહિ. તેના સિવાય મારું અસ્તિત્વ જ કદાપિ શક્ય નથી. હાલમાં પણ સુવર્ણરૂપ જ છે, પૂર્વે પણ તે જ ૩૫ હતા અને ભવિષ્યમાં પણ હઈશ. તેમ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આદિ કાળ તથા નામરૂપ અને આકારાદિ સમયે પણ તે જ રૂપ હતું. આ રીતે અજ્ઞાનજન્ય ભ્રાંતિને લીધે પિતાને નામરૂ પાદિ માની બેઠેલા દાગીનાને જ્યારે પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે જ તેની તમામ ભ્રાંતિઓ એકદમ વિલીન થઈ જાય છે તથા બંને સ્વરૂપો અને તેને જાણનારે હું પોતે પણ એકરૂપે જ હતા અને છીએ આ રીતનું જ્ઞાન થયું એટલે પછી તેને હું તેનું છું એવું કહેવાની પણ જરૂર રહેતી નથી. આમ જાણનારે જ સેય વસ્તુને જાણી એમ કહી શકાય. તેવી જ રીતે મનુષ્યના ઉદાહરણ સંબંધમાં પણ સમજવું. કેઈ મનુષ્ય હાથપગાદિ અવયવોવાળા હોય તે પણ તેને મનુષ્ય જ કહે છે અને હાથપગ વગેરે તૂટેલા હોય તે પણ તે મનુષ્ય જ કહેવાય. આમ મનુષ્ય એ સંજ્ઞા તે અવયના એક સમૂહને જ હોય છે, જેથી મનુષ્ય એ સામાન્ય નામ કહેવાય, તે જ પ્રમાણે પાણીનું પણ સમજી લો. આ ઉદાહરણો પ્રમાણે મિથ્યાશ્રમ વડે ભાસેલા નામરૂપો તથા આકારાદિથી ભાયમાન થતી મિથ્યા એવી આ જાળ આત્મસ્વરૂપ એવા પિતા વડે જ વિસ્તરાયેલી છે, છતાં તે પોતેજ પોતાના અને પિતામાં ઉત્પન્ન કરી લીધેલા અજ્ઞાનરૂપ શ્રમવડે પિતાના અસલ સ્વરૂપને ભૂલી જઈને હું નામરૂપાદિવાળી અને મર્યાદિત છું એમ માની બેઠા છે, તેથી તેને આ નામરૂપાદિ મિયા છે એવું દ્રઢ જ્ઞાન પોતાના વિવેકબળ વડે જયારે થવા પામે છે ત્યારે જ તે પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ કેવું છે તે જાણી તેને પ્રથમ પરોક્ષ અનુભવ કરે છે. આ મુજબ પોતે પોતાને થયેલા પક્ષજ્ઞાન વડે અંતર્મુખ થઈ નામરૂપાદિના વિલયનો અભ્યાસ કરીને નિર્વિ૫ એવું જે પોતાનું શુદ્ધ સ્વરૂ૫ કિંવા આત્મપદ છે તેને તેને અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થાય છે. આ રીતે જ્યારે તેને સાક્ષાત્કાર થાય છે ત્યારે જ તે પોતાના સ્વરૂપને જાણી શકે છે. આમ નિર્વિકલ્પ સ્થિતિને અનુભવ લીધા પછી ફરીથી જ્યારે તેને પોતે પોતાના નામરૂપાદિવાળા સ્વરૂપની સ્મૃતિ થાય છે એટલે કે પુનઃ સવિકપ સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે જે પિતાનું સ્વસ્વરૂપ નિર્વિકલ્પ દશામાં અનુભવમાં આવ્યું તે જ આ સવિકલ્પરૂપે ભાસે છે તથા તેને જાણનારો જે સાક્ષી તે પણ એક આત્મરૂપ જ છે. આ મુજબ જે નિર્વિકપ સ્થિતિ તે આ સવિકલ્પ હોઈ તેને જાણનારા સાક્ષી પણ તે જ છે. હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, ઇત્યાદિ આકારો વડે પ્રતીત થતું જે જે કંઈ નામરપાદિ આકારેવાળું અથવા આકાર વગરનું, જાણી શકાય એવું અથવા જાણી ન શકાય એવું તથા તેને જાણનારો વગેરે સર્વ એકરસાત્મક પોતાનું અનિર્વચનીય સ્વરૂપ જ ચરાચર વ્યાપેલું છે, એમ તેના જ ગુવામાં આવે છે. આ મુજબ દરેક ધાદિ સાકાર ભાવો પછી તે શરીર વડે, વાણી વડે, મન વડે કે બુદ્ધિ વડે જણાતા હોય, સુખદુઃખાદિરૂપે અનુભવમાં આવતા હોય, શત્રુમિત્રરૂપે સામે ઉભા હોય, ચાંડાળમાં ચાંડાળ તથા શુદ્ધમાં શુદ્ધ અને પવિત્ર ઇત્યાદિ રૂપે હે ય તે તમામ એકરસાત્મક એવું પોતાનું જ સ્વસ્વરૂપ છે એવું તેને સારી રીતે અનુભવમાં આવે છે. આ રીતે સાક્ષી સહિત તમામ દયાળ(વૃક્ષાંક ૨ થી ૧૫) કે જેને ભગવાનનું અપર અથવા વિરાટ સ્વરૂપે કહે છે તે તથા તે કરતાં પણ એવું અનિર્વચનીય આત્મપદ્ધ (વૃક્ષાંક ૧) કે જેને ભગવાનનું પર સ્વરૂપ કહે છે કે, બંને એકરૂપ જ છે અર્થાત જે અપર છે તે જ પર છે તથા જે પર છે તે જ અપર છે, તેમ જ અપરનો સાક્ષી પણ તે સ્વરૂપ જ છે અને હું એટલે જ તે છે તેથી આ બધું પણ મારું સ્વરૂપ છે એવું જાણનારો જ ખરો જ્ઞાની કહેવાય. સાચો ભક્ત કે જીવન્મુક્ત તે આ જ સત્તા સામાન્ય સ્થિતિ તે આ જ. સુષુપ્તમૌન તે આ જ. પરમપદ પણ આ જ, આ સ્થિતિ પ્રાપ્ત
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy