SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] અને જેને માટે સઘળાં તપ કરવાનું કહેવામાં આવે છે; [ પરલ કહેવાય છે. તે વાસના ૫ તરંગોના વેગ વડે સંસારમાં તણાતું નથી. સત્સંગ અને સત શાસ્ત્રોના અવલોકન વડે જિકિય પુરુષ નિરંતર જગતને પિતાના વાસ્તવિક એવા બ્રહ્મ વા આત્મસ્વરૂપે દેખે છે. ચિદાકાશરૂપ એવા પિતાને સંકલ્પ જ બહુ', “તમેં, દત્યાદિ રૂપને ધારણ કરી રહેલ છે. માટે અધ્યાસ વડે જાંતિથી ખડું થઈ ગયેલું “હુ, તમે, ઇત્યાદિ રૂપે ભાસતું આ જગત અવિદ્યા માત્ર જ છે, મિથા હોવાથી શાંત છે, શય માત્ર છે અને ચિદાકાશ એટલે આત્મરૂપ(વૃક્ષાંક ૧) છે. તે ચિદાકાશ જ પિતાના તાત્વિક સ્વરૂપમાં નિશ્ચલ રહેલું છે. આ ચિદાકાશની અંદર તેને પોતાને જ જે વિવર્ત છે તે જ આ જગતરૂપે ભાસે છે. એ રીતે ચિત્તની તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં અર્પણ કરતા રહેવું તેને જ ઈશ્ચરાપણ, આત્માર્પણ કિવા સમર્પણ કહે છે. દ્વત અદ્વૈતવાદ અજ્ઞાનીઓને માટે છે. આ સર્વ આત્મસ્વરૂપ જ છે, આત્માથી બીજું કાંઈ છે જ નહિ, પરમેશ્વર તે આ જ કહેવાય; તેમાં આદિ, મધ્ય, અંત, જગત, અવિદ્યા, હું, તું, આ, મારું, તારું, મને, તને, ઇન્દ્રિયો, તેના વિષયો કે દેવતાઓ ઇત્યાદિ કાંઈ છે જ નહિ. પ્રમાણે તત્વબોધ થયેલા પુરુષની દ્રષ્ટિમાં અવિદ્યા છે જ નહિ, તે દ્વૈત પ્રપંચમાં રહ્યો છે એમ લાગે છે છતાં નિત્ય અદ્વૈતમાં જ રહે છે. અદ્વૈતથી રહિત થઈ ગયેલા તરવજ્ઞ પુરુષમાં દૈત, અદ્વૈત, હું, તમે, અને આ અમુક પદાર્થ એવી કોઈ કલ્પના પણ કયાંથી ઉદ્દભવે? તેમ જ અત્યંત શૂન્યની પણ ક૯૫ના શી રીતે ઉદભવે? દૈત અદ્વૈત પક્ષથી ઉત્પન્ન થયેલી વાક્યરચનાના વિલાસ વડે વિા ભાંતિ વડે તો અવિવેકી બાળકો જ કીડા કરે છે પરંતુ જ્ઞાનવૃદ્ધ પ્રૌઢ તે તેને હસે છે. આ દૂત અતરૂપ વિવાદ તે હૃદયની એક વૃત્તિરૂપ છે સારી રીતે સમજવામાં આવ્યા સિવાય પ્રબોધ(જ્ઞાન)ની શુદ્ધિ થતી નથી, માટે મેં પણ સુહભાવે તે દૈતાદ્વૈતરૂ૫ મિથ્યા વિવાદને સ્વીકાર કરી અને ચર્ચા કરેલી છે. તે હૃદયની અંદર રહેલા અવિદ્યારૂપ ભ્રમને સાવરણની પેઠે ઝાડીને દૂર કરી દે છે. બુદ્ધિગ વડે અવિનાશી પદની પ્રાપ્તિ અધિકારી પુરુષો અંવિદ્યારૂપી કચરે નીકળી ગયા પછી બ્રહ્મમાં ચિત્તને પરોવીને રહે છે. પ્રાણુને પણું બ્રહ્મમાં જ ધારણ કરી રહે છે. બ્રહ્મસ્વરૂપ ભગવાનનો પરસ્પર બોધ કરે છે, બ્રહ્મસ્વરૂપ એવા ભગવત ગુણનું જ વર્ણન કરે છે, વાર્તાલાપ પણ તેને જ કરે છે અને પ્રસન્ન થઈ હંમેશ તેમાં જ સંતુષ્ટ થઈને રહે છે. આવી રીતે અવિચ્છિન્ન ભકિત વડે પ્રીતિ પૂર્વક ભજનારા અને નિરંતર બ્રહ્મસ્વરૂપ ભગવાનના વિચારમાં જ યુક્ત એવા વિવેકી અધિકારીઓને હું એવી ઉત્તમ બુદ્ધિને વેગ આપું છું કે જેથી તેઓ બ્રહ્મસ્વરૂપ એવા મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. નિ. ઉ૦ ૦ ૧૩૬ જુઓ). तेषामेवानुकम्पार्थमुहममानजं तमः । नाशाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥११॥ હું નિત્ય આત્મભાવમાં સ્થિત એવો છે શ્રીભગવાન કહે છે કે; ઉપર જણાવી ગયા તેમ પ્રીતિપૂર્વક સતત મારું ચિંતન કરનારાઓને . અવિનાશી પદની પ્રાપ્તિ કરાવી આપનાર એ બુદ્ધિગ હું આપું છું, એમ જે મેં કહ્યું તે તેઓની ઉપર કૃપા કરવાને માટે જ. આત્મભાવસ્થ અર્થાત હું એટલે આત્મા છે એવા પ્રકારના આત્મભાવમાં સ્થિર થયેલે હું આ સર્વ આત્મા જ છે; હું, તું, તે, આ, મારુ, તારું ઇત્યાદિ ચરાચર આત્મસ્વરૂપ જ છે; આત્માધ્યતિરિત કાંઈ છે જ નહિ, એ રીતે પ્રકાશનારા જ્ઞાનરૂપી દીપક વડે તેને અજ્ઞાનરૂપી તમ અર્થાત અંધકારનો નાશ પણ આત્મસ્વરૂપ એ હું જ કરું છું. આમાં શ્રીકૃષ્ણ પોતે કેણુ છે તે આત્મભાવસ્થ એટલે હું નિત્યપ્રતિ આત્મભાવમાં સ્થિત થયેલો આત્મા છે એવા પ્રકારના શબ્દ વડે કહેલું છે તથા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy