SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ). પરલોકના વિષયનું (આત્માનું વિજ્ઞાન) અમને કહે; [૪૯ કરીને આત્મસ્વરૂપ એવો જે હુ તેવા મને જ તમને અનુસરે છે જેથી કલ્પમાં જુદી જુદી સૃષ્ટિની રચના કરતી વખતે પણ બહુ તેઓને કર્તા છું એ મેહ તમને કદી પણ ઉત્પન્ન નહિ થાય. આ મુજબ મારું સાચું સ્વરૂપ જાણવું તે જ ભકિતયોગનું લક્ષણ છે. આમ ભકિત અને અનુભવ સહિત મારા સ્વરૂપનું જ્ઞાન તથા સાધન તમને કહ્યું, તેનું તમો સારી રીતે ગ્રહણ કરે (શ્રી ભાવે રકં૦ ૨, અ૮ ૯). रसोऽहुमप्सु कौन्तेय प्रभाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुष नूषु ॥८॥ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । जीवन सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥९॥ बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमताम॒स्मि जस्तेजस्विनामहम् ॥१०॥ बलं बलवतामस्मि कामरागविवर्जितम्। धर्माविरुखो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥११॥ બધા મારામાં, મારા આશ્રયે અને મારા વડે જ છે હે કૌતિય! સર્વથી પર એ જે હું તેનું તને સારી રીતે જ્ઞાન થયું કે હવે હું એક હેવા છતાં બહુ રૂપે સર્વમાં ઓતપ્રેત કેવી રીતે રહ્યો છું, તે કહું છું, તે સાંભળ. આ પુત્તમરૂપ “હું” જ પ્રાણીઓમાં રસ રૂપે, સૂર્યચંદ્રમાં પ્રકાશ રૂપે, સર્વ વેદોમાં પ્રણવ એટલે કાર રૂપે, આકાશમાં શબ્દ રૂપે અને સર્વ નરેમાં પુરુષત્વ રૂપે છે; વળી આ પુરુષોત્તમરૂપ એ હું જ પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન રૂપે તથા તપસ્વીઓના તપ રૂપે છે. હે પાર્થ! સર્વ ભૂતનું જે મૂળ અનાદિ બીજ કહેવાય છે તે પણ પુરુષોત્તમ એવા મને જ જાણે. એટલું તે શું પરંતુ બુદ્ધિમાનની બુદ્ધિ, તપસ્વીઓનું તેજ, ઈચ્છા તથા ઠેથી રહિતપણારૂપ બળવાનું બળ પણ હે ભરતભ (અર્જુન) હું જ છે; પ્રાણીઓમાં ધર્મથી વિરુદ્ધ નહિ એ કામ પણ પુત્તમરપ એ હું જ છે. ये व सात्त्विका भाषा राजसास्तामसाध ये । मत पुवेति ताग्विद्धि न त्वह तेषु ते मयि ॥१२॥ અરે! આ મારી માયા(વૃક્ષાંક ૩)ના સત્વ, રજ અને તમ ગુણે વડે ઉપજેલા જે જે કાંઈ સારિક, રાજસ તથા તામસ ભાવો કિંવા પદાર્થો છે તે ઉત્તમપુરુષ એવા મારા આ “હું વડે જ છે; એટલે કે આ બધા મારામાં, મારા આશ્રયે અને મારા વડે જ છે, એમ જાણુ. આ સર્વ ભામાં હું નથી, ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! આ બધા દેહધારી એવા કૃષ્ણરૂપમાં નહિ, પરંતુ પુત્તમ૨૫ એ જે હું તેવા મારામાં જ છે. તેઓ જે કે મારામાં છે, પણ હું કાંઈ તેએામાં નથી, એમ જાણ. જેમ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy