SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદાહન ] પણ મારે તો તે જ વર પ્રાનીય છે. (પ્રેમ કેમ્પ) અધ્યાય ૭ श्रीभगवानुवाच - , मथ्यास॒तमे॑नाः पा॒ार्थ योगं युञ्जन्मदाश्रयः । [ ૩૯૭ अस৺श॒यं समग्र॑ मा॑ य॒था शा॑स्य॒सि॒ तच्छृणु ॥१॥ મારું નિર્દેશક જ્ઞાન થાય તે પ્રકાર કહું છું શ્રાભગવાન કહે છેઃ હું અન! મેં પાલા અધ્યાયના અંતમાં શ્રદ્દા વડે જે નિર'તર મને જ ભજે છે તથા મારામાં જ એકરૂપ બનેલેા છે તેને જ ઉત્તમ સિં‚ જાણવા, એમ કહેલું છે; પરંતુ આ રીતે મારામાં આસક્ત મનવાળા, કેવળ એક મારા જ આશ્રયે રહેલા અને ફક્ત મારા જ યાગને આચરનારા એટલે અંતઃકરણમાં “હું”જ સર્વ છું, એવા પ્રકારની દૃઢ ભાવના રાખીને અભ્યાસ કરનારા અર્થાત્ જે નિત્યપ્રતિ મારામાં જ તન્મય બનેલા છે, તેને હું એટલે ક્રાણુ? એ જાણવાની જરૂર છે. આ હું એટલે વળ આ શરીરધારી કૃષ્ણે નહિ, પરંતુ મારામાં જ ચિત્તને પરાવવા માટે વારંવાર જે તને કહેવામાં આવ્યું છે તે “હુ” એટલે તે સત્ર અને સ`માં વ્યાપક એવા આત્મસ્વરૂપ છે, એવું યથા અને નિ:સંશય જ્ઞાન જે વડે થાય તે પ્રકાર હવે તને કહું છું. ज्ञान॑ ते॒ऽङ्घं स॑विज्ञानमि॒दं व॑क्ष्याम्य॒ शेष॑तः । यज्ज्ञात्वा नेह भू॒यो॒ऽन्यज्ना॒ातव्यमब॒शिष्यते ॥२॥ જે જાણ્યા બાદ બીજું કાંઈ જાણવાનું રહેશે નહિ જે જાણ્યા પછી ખીજું કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી અર્થાત્ જાણવાપણાની એટલે જ્ઞાનની કક્ષા જ્યાં આગળ સંપૂર્ણ થાય છે, જે જાણ્યા બાદ આ કરતાં કાંઈ વિશેષ જાણવાનું બાકી રહ્યું છે એવા પ્રકારના મેહ ફરીથી કદી પણ ઉત્પન્ન થતા જ નથી, તેવું વિજ્ઞાનસહિત જ્ઞાન એટલે આત્મસ્વરૂપ એવા મારુ' પરાક્ષ અને અપરાક્ષ એમ બંને પ્રકારનું જ્ઞાન બિલકુલ શેષ રહેવા નહિ પામે એ રીતે સ‘પૂ`પણે તને કહીશ. જ્ઞાન વિજ્ઞાનની વ્યાખ્યા જ્ઞાન અને વિજ્ઞાન એટલે શું? તેની વ્યાખ્યાએ પ્રથમ આપેલી છે, છતાં અત્રે પ્રસ ંગવશાત્ ખેષની દૃઢતાને અર્થે પુનઃ સંક્ષેપમાં જણુાવવાની જરૂર જણાય છે. અદ્વૈત જ્ઞાનનું જ મુખ્યત્વે જ્ઞાન એ નામ છે તથા જે કેવળ સ્વતઃસિદ્ધ એવું પરમ ચૈતન્ય કિવા આત્મતત્ત્વ છે, એ જ અદ્વૈત વિજ્ઞાન છે. આત્માના સાક્ષાત્કાર થવા એનું નામ જ વિજ્ઞાન છે. અદ્વૈત એવા આત્માની શુદ્ધ અવસ્થાનું પરાક્ષનાન તા જ્યારે દ્વૈત ભાવનાની નિવૃત્તિ અનાયાસે જ થઈ ચિત્ત કેવળ એક આત્માભિમુખ બને છે, એટલે જ્યારે મમાદિ તમામ ભાવા સહુ હુ'ના પણ તેના સાક્ષીસહિત સંપૂણૅ વિલય થવા પામે છે ત્યારે જ થાય છે. આમ ચિત્ત આત્માભિમુખ બન્યું એટલે તે તેમાં જ તદ્રુપ બની જાય છે. વેદવાકયાના આધારે પ્રતિપાદન કરેલા સયુક્તિક વિચાર વડે આત્મસાક્ષાત્કાર થઈ દેહ જે હું છું” એવી ભાવનાનેા સદંતર નાશ થઈ હું તેા કેવળ એક આત્મરૂપ જ છું એવા પ્રકારે ભાન થવું તેનું નામ જ નાન તથા જે જ્ઞાન વડે આ ભાસમાન થતું દૃશ્ય કાઈ પણ જગ્યાએ કિંચિત્માત્ર પણ કદી સુરિત થતું નથી, જે જ્ઞાન પ્રાપ્ત થયા પછી કાઈ પણ જગ્યાએ કાંઈ પણ જાણવાપણું કે કરવાપણું રહેતું જ નથી, જેના અનુભવ વડે સુ જાતના વિષયે કેવળ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy