SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] [ ૩૧ તે નચિકેતા! મૃત્યુ પછીની ગતિ) સંબધમાં ન પૂછ. प्रशाम्तमनसं होनं योगिनं सुखमुत्तमम् । કવિ શાન્તયજ્ઞ પારાશરમજણ . ર૭ | ઉત્તમ સુખની પ્રાપ્તિ ભગવાન કહે છેઃ હે અર્જુન! ઉપર બતાવેલા અભ્યાસક્રમ વડે શું ફળ પ્રાપ્ત થાય છે, તે કહું છું? મારું આ કર્તવ્ય છે, મારે અમુક કરવાનું છે, અમુક મારે કરવું જ જોઈએ, અમુક નહિ કરવું જોઈએ ઇત્યાદિ અનેક પ્રકારની ઇચ્છાઓ અથવા વાસનાઓ તો પ્રકૃતિ (ક્ષાંક ૩)ના રજોગુ વડે ઉત્પન્ન થવા પામે છે. પણ હું આત્મા છું” એવા પ્રકારની કેવળ એક સવગુણની પ્રતિકૃત્તિ વડે જેને એ રજોગુણ તદ્દન નિવૃત્ત થયા છે તથા આ રીતના અભ્યાસ વડે જેનું મન અત્ય ત શાંત થયેલું છે એવા બ્રહ્મરૂ૫ બનેલા અને અકલ્મષ એટલે જેમાં દોષનો લવલેશ (અંશ) પણ નથી એવા પાપપુણ્યાદિ ઠંધોથી રહિત બંનેલા યોગીને જ નિશ્ચય ઉત્તમોત્તમ એવા બ્રહ્મસુખની પ્રાપ્તિ થાય છે. युञ्जनेयं सदाऽऽत्मानं योगी विगतकल्मषः । सुखेन ब्रह्मसम्पर्शमृत्यन्तं सुखमश्नुते ॥ २८ ॥ વગર ક અત્યંત સુખની પ્રાપ્તિ કેણ કરી શકે ? સદા આત્મામાં જ રત થયેલ તથા કેઈ પણ પ્રકારનો દેશ કિંચિત્માત્ર પણ જેમાં નથી એવો પા૫પુણ્યાદિ ઠોથા રહિત બને તેમ જ જેમાં + કલ્મષનો સહેજ પણ અંશ નથી એ તદ્દન શુદ્ધ થયેલો યોગી સુખથી એટલે કઈ પણ પ્રકારના કષ્ટ વગર બ્રહ્મસંપર્શ અર્થાત જ્યાં બ્રહ્મ વગર બીજા કશાને પણ સ્પર્શ થઈ શકતા નથી એવા અત્યંત સુખ(મોક્ષ)ને પામે છે એટલે કે, તેને બ્રહ્મપ્રાપ્તિને માટે ઘર તપશ્ચર્યાદિ કરવાં પડતાં નથી પરંતુ વગર કષ્ટ સહેજમાં બ્રહ્મપ્રાપ્તિ થઈ શકે છે. સારાંશ, તેથી કષ્ટ વિના તુરત સાક્ષાત્કાર થાય છે. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । क्षिते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९ ॥ સમકશી આત્મવિદની સ્થિતિ ગયુતાત્મા એટલે આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારે સર્વત્ર આત્મભાવરૂપ યોગ (અભ્યાસ) કરીને જે કેવળ તેમાં જ યુક્ત બની ગયેલ છે અર્થાત જે નિત્ય આત્મામાં જ પરાયણ જ બની ગયેલ છે, સર્વત્ર સમદર્શી એટલે જેની દષ્ટિ સર્વત્ર કેવળ એક આત્માને જ નિહાળે છે એ આત્મરૂપ બનેલે ગી સર્વ ભૂતને આત્મામાં અને આત્માને સર્વ ભૂતેમાં જુએ છે, એટલે આ સર્વ ભૂતાદિ આત્મરૂપ છે અને તે આત્મા એટલે હું છું એવી આભરૂ૫ નિશ્ચળ સ્થિતિમાં સ્થિત થયેલ યોગી ચરાચર ભૂતમાત્રને આત્મ૫ એવા પોતામાં અને આત્મ૨૫ એવા પિતાને સમરન ભૂતોમાં જુએ છે. તાત્પર્ય કે, આ સઈ ભૂતાદિ “હું” ૨૫ હેઈ તે હું આત્મરૂપ છે, એ રીતે હું એટલે આત્મા અને આત્મા એટલે હુ એમ બંને પરસ્પર એપ જ છે, એવું નિશ્ચયપૂર્વક જાણનારે જ સમર્શી કહેવાય છે. જેમ અત્યંત સફેદ વસ્તુમાં કિંચિત્માત્ર પણ જે મેઘને અંશ હેય તે તે કહી શકતી નથી, તેમ બ્રલ સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું કિંચિત્માત્ર ઉત્થાન થયું તે કમષ કહેવાય છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy