SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] भूमेर्महदायतनं वृणीध्ध જ્ઞાનની પરિપક્વતામાં બે કેમ ? પરશુરામ શ્રીદત્તાત્રેયને પૂછે છે: હે ભગવન્! બુદ્ધિભેદ વડે જ્ઞાનની પરિપકવતા ઓછાવત્તા પ્રમાણમાં થાય છે, એ બાબત મને વધુ સ્પષ્ટતાથી કહે. આત્મસ્વરૂપનું ભાન થવું તેનું નામ જ્ઞાન અને તે તે એક જ પ્રકારનું છે, તેમ મેાક્ષ પશુ તપ હોવાથી પ્રાપ્ત કરવાનું સર્વનું ધ્યેય પણ એક જ છે, તે પછી બુદ્ધિભેદ વડે જ્ઞાનના પરિપકવપણામાં ફરક શાથી પડે છે? તા કડા કે જ્ઞાનના સાધનમાં કાંઇ ભેદ છે કે કેમ ? જ્ઞાન એ કદી સાધ્ય હાય ખરું કે ? [સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગી૦ ૦ ૬/૧૪ પરશુરામને પ્રશ્ન સાંભળીને દયાળુ દત્તાત્રેયે તત્કાળ એ જ બાબત વધારે વિસ્તારથી કહેવાના આરંભ કર્યાં. તેમણે કહ્યું: પરશુરામ ! તે બધું રહય ું તને કહું છું, તે તું સાંભળ. કાઇના જ સાધનમાં ભેદ નથી, તેમ એ જ્ઞાનપ્રાપ્તિની બાયતમાં જુદાં જુદાં સાધનેા પણ નથી, પરંતુ સાધનના એછાવત્તાપણુ!ને લીધે જ ફળપ્રાપ્તિમાં ફરક પડેલા જોવામાં આવે છે, હું કે જુદાપણાને લીધે. સાધન પૂર્ણાવસ્થાએ પડે.ચ્યું એટલે જ્ઞાન અનાયાસે જ પરિપકવ થાય છે, પણ તે જયારે અપૂર્ણાવસ્થામાં હેાય છે ત્યારે તે જેટલા પ્રમાણમાં અપૂર્ણ` હેાય છે, તેટલા પ્રમાણમાં પૂર્ણતા થવાને માટે તેને મહેનત પણ વધારે કરવી પડે છે. ખરું જોતાં તા જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં સાધનને કાંઇ જ ઉપયેાગ નથી. જ્ઞાન એ કદાપિ સાધ્ય હેતું નથી, પરંતુ તે તે। સ્વતઃસિદ્ધ જ છે. ચૈતન્ય એટલે જ જ્ઞાન અને તે તે। સ્વયંપ્રકાશ જ છે; તે પછી જેનું નિત્ય ભાન થાય છે એવા આ જ્ઞાનને માટે ઉપાય તે વળી શે! કરવાને રહ્યો? પર ંતુ એ જ્ઞાન હજારા વાસનારૂપી કાદવમાં દબાયેલું હેાવાથી તદ્દન પાસે હાવા છતાં પણ કાઇનાથી એક્દમ એળખી શકાતું નથી; માથી પ્રથમ મનના નિરેાધરૂપી જળ વડે આ વાસનારૂપી મેલને ધેાઈ નાખવાને માટે જ માત્ર સાધન કરવું પડે છે અર્થાત્ ચિત્તશુદ્ધિ એ જ સાધનના ઉદ્દેશ છે. ચિત્તરૂપી તકતા ઘણા દિવસથી ઢાંક રાખવામાં આવ્યા છે, તેથી પ્રયત્ન અને વિચારરૂપી તીવ્ર યંત્ર વડે તે ઘણી જ કાળજીવી ઉઘાડવા પડે છે, તે બ્રાહ્મા બાદ નિત્ય ભાષમાન થનારું ચૈતન્ય જ દાબડામાં મૂકેલા રત્નની માફક અનાયાસે પ્રાપ્ત થાય છે; તેથી હે પરશુરામ ! ચિત્તમાં ફેલાયેલી વાસનાનુ નિરસન કરવાતે અર્થાત્ ચિત્તશુદ્ધિને માટે જ શાસ્ત્રમાં સાધતા કહેવામાં આવેલાં છે, નહિ કે જ્ઞાનને માટે. વાસનાના મુખ્ય પ્રકાર વાસનાના ઓછાવત્તાપણુાને લીધે સાધકની શુદ્ધિની શુદ્ધતા પણ આછોવત્તી હૈાય છે. જેની બુદ્ધિ વાસનારૂપી મેલ વડે જેટલા પ્રમાણમાં ઢંકાયેલી હાય, તેટલા પ્રમાણમાં તેને સાધનેાની વધુ અથવા એછી અપેક્ષા હાય છે. પરશુરામ! વાસના અનેક પ્રકારની હાય છે તેમાંના મુખ્ય મુખ્ય તને કહું છું; તે તું સાંભળ. પહેલી અપરાધવાસના, બીજી કવાસના અને ત્રીજી કામ્યવાસના; અમ તેના મુખ્ય ત્રણુ પ્રકાર છે. (૧) અપરાધવાસનાઃ વેદાદિકમાં અશ્રદ્ધા એ મુખ્ય અપરાધ; પ્રથમઃ તેા એ જ આત્મવિનાશી છે અને વિપરીતત્રાત્મક એ નામના અપરાધવાસનામાં જ બીજો એક ભેદ પડે છે. વિપરીતમહ એટલે મૂળ રવરૂપને બદલે બીજા સ્વરૂપે જાણવું. જેમ દેરીને સર્પ સમજવું; એ પુરુષને બોજો અપરાધ. ઘણું કરીને અનેક કલાઓમાં કુશળ એવા પુસ્યા પણુ અપરાધ વડે સંત મહાત્માઓનેા સહવાસ અને સત્શાસ્ત્રોના જ્ઞાનને યાગ આવવા છતાં પણ તે પરમ શ્રેષ્ઠ સ્થાને પડેાંચી શકતા નથી. ‘સર વિશેષ ભાવેાથી રહિત એવું જે પરમતત્ત્વ તે બિલકુલ નથી અને તેવું તે સંભવતું નથી.' એવી જાતની તેમની ભળતી જ સમજ થયેલી ડેાય છે, એટલું જ નહિ પણ એ તત્ત્વ જાણવામાં આવે છતાં પણ એ પરમતત્ત્વ ન હોઈ શકે! તેને પરમતત્ત્વ માનવાથી મેાક્ષ કેવી રીતે મળે ?' વગેરે શ'કાએ તે કરી કરીને કર્યાં કરે છે. પહેલે જે અશ્રદ્દા નામક અપરાધ એ જ આડી આવનારી મુખ્ય વાસના છે. શાસ્ત્રવિદ્યામાં કુશળ, એવા હજારે। પુરુષ તેના ઝપાટામાં સપડાઈ ને જન્મમરણુમાં જ વહ્યા કરે છે. આ અપરાધવાસના સંબંધમાં કહ્યું, હવે કમવાસના સંબંધમાં કહું છું; (૨) ક`વાસના ઉપર જે બીજી કમવાસના છે એમ કહ્યું છે, તે જેમનામાં હોય તે લેાકેાની બુદ્ધિમાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy