SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મીતાહન ] (આત્મશપ એવા) અમ જ સાથે (ઐયભાવના કેળવવા) બળ પ્રાપ્ત કરીએ, [ ૩૦ બુહમાં જડત્વનો અંશ વધુ પ્રમાણમાં હોવાથી તદન સરળ અને સાદી વાત પણ તેઓને ગળે ઉતરતી નથી. આથી તેમના મનમાં સારી રીતે ઠસાવવાના ઉદેશથી એને એક વાત બહુવિધ યુક્તિપ્રયુકિતધારા અનેક રીતે સમજાવવાનો જે શાસ્ત્રકમ છે તેનું જ આ ગ્રંથમાં પણ અવલંબન કરેલું છે. વેદાંતના અધિકારી દેવતા અને મન એ બે કોટિના છ છે, તેમાં દેવતાઓને એકાદ વખતથી કદાચ આત્મજ્ઞાન થાય પણ મનુષ્યને અનેક વખત સમજાવ્યાં છતાં પણ તેમને ગળે ઉતરતું નથી. કેવળ એક વખતે વાંચતાની સાથે જ ગીતાનું તાત્પર્ય સમજી શકે એવી માન્યતાવાળ વગ દેશમાં કદાચ જાજ જ હશે. બાકી તો સહસ્રોક્તિ કરવા છતાં પણ સમજે તે ઠીક; જે એમ ન હોત તે ગીતાનો એક પણ ભાષ્યની લોકોને જરૂર પડી ન હોત, પરંતુ આજે. જે અર્થે હજારો ભાગ્યો મળી આવે છે તે જગતમાં આવા લોકોની ભરતીને જ આભારી છે એમ નિઃશંક સિદ્ધ થાય છે. એટલે પતતિ થવાનું કારણ પુસ્તકનાં વાચન સાથે તેમાં સિદ્ધાંત લોકેના મનમાં સારી રીતે ઠસાવ અને તેઓના અભ્યાસની દઢતા થવી એ જ એક છે. શાસ્ત્ર ઉદ્દેશ સમજવાને માટે ઉપક્રમે પસંહાર, અભ્યાસ વગેરે છ સાધને ન્યાયશાસ્ત્રકાર બતાવે છે, તેમાં અભ્યાસને સમાવેશ થાય છે અને તેના અર્થ પ્રધાન લક્ષ્યને વારંવાર કહેવું એવો થાય છે; આ ન્યાયાનુસાર આ પુનરુક્તિનો અર્થ અભ્યાસ છે. એમ સમજે (આ સંબંધે વધુ વિવેચન માટે પુરવચન જુઓ). લોકોનો સ્વભાવ છે કે, પોતે કાર્ય નહિ કરતાં કાર્ય કરનારાઓની પૂઠ પકડી અટ્ટહાસ્ય કરી તેમને પાછળ પાડવાનો પ્રયત્ન કરવો; એટલા માટે જેમને ખરેખર લોકોને સત્ય માર્ગે દોરવવાનું કાર્ય કરવાનું હોય છે તેમણે આવા કામકંટક લકે તરફ લક્ષ્ય આપવું ઉચિત નથી. દરેક વસ્તુ કાળને અનુસાર બનતી જાય છે. અમુક કરવું યા ન કરવું એ કાળને અધીન છે, માટે સત્યવતીઓએ તે નિંદા યા રસ્તુતિની દરકાર કરવી નહિ અને લોકોને કમાગથી નિવારી સમાગે સ્થાપવા તેને શાસ્ત્રકાર લોકસંગ્રહ કહે છે. પણ આ કાર્ય કરવા માટે પોતે જીવન્મુક્ત બનવું જોઈએ. ગીતાદેહનના સમ હેતુઓ ગીતાદેહનના સુમ હેતુ અનુભવસિદ્ધ અને પરમ સત્ય એવું જ્ઞાન લેકે મેળવે એ છે, જેથી સ્વાનુભવ વગરના જ્ઞાનના મોટા પ્રચારકો લોકોમાં અતિમાન્ય થયેલા ગીતા ભાગવતાદિ જેવા પુરાણગ્રંથો તેમ જ મવાસિષ્ઠ અને ઉપનિષદાદિ જેવા આનુભવિક તત્ત્વગ્રંથના મનસ્વી અર્થે કરી તે આધારે ભકિત, જ્ઞાન (સાંખ્ય), યોગ, (કર્મ) વગેરે જેવા ભેદભેદ બતાવીને લોકોના માનસને ગોટાળામાં નાખી તેમાં ફાટટ પડાવે છે અને તેમની શાસ્ત્રાભ્યાસની અજ્ઞાનતાને લાભ લઈ પોતાની વાકચાતુએ વડે આજીવિકારૂપ પિતાનો સ્વાર્થ સાધી લે છે. તેઓના આવા માનસ તરફ કાંઈક અંશે પ્રતિબંધ થાય અને લેકે બધા માટેની અમિત્રતા જાણી એ ઝઘડાઓ થકી મુક્ત થઈ સત્યને પંથે દેરાય, એ ઈષ્ટતમ છે. લોકેને સાચું જ્ઞાન થવાથી એ વાત સાથે થઈ શકે: (૧) પ્રચારકે ખોટા અર્થ કરતા કાંઈક અંશે અટકે, અને (૨) તેઓ ઇચ્છે તે સાચો અર્થ જાણી શકે, શ્રીભગવદ્દગીતા એ શાસ્ત્રનો સાર છે. તે સર્વ ઉપનિષદોનું દોહન હોવાથી તેમાં પુરાણપપુરાણો, વેદવેદાંગે, ઉપગે, કૃતિ, સ્મૃતિ ઇત્યાદિ સર્વેને સાર આવેલો છે; એટલું જ નહિ પરંતુ તેમાં તે બધાની એકવાયતા કેવી રીતે છે તેને સમન્વય કરેલ હોવાથી ગતિામાંથી એકયને બોધ મેળવી લેકે અનર્થરૂપ ખોટા ઝઘડાઓથી બચે. આજકાલ લોકોને જેઓ જ્ઞાન આપવાનો ઇજારો લઈ બેઠા છે તેઓને જે પ્રથમ શિખવવાની જરૂર છે. રથી પ્રથમ તેઓ તૈયાર શી રીતે થઈ શકશે. એનો વિચાર કરતાં તે કામ નિશાળ મારફતે થવ નથી, આથી જે પ્રથમ લોકોને સાચું જ્ઞાન મળે તે તેઓ જ તેમને બોધ આપનારાઓને શાન ઠેકાણે લાવી શકે. એ રીતે ખોટો પ્રચાર થતો અટકાવવો, લોકોને સત્યતાનું ભાન કરાવવું, અભ્યાસીઓને અભ્યાસ : માટે મદદરૂપ થવું, બુહમાનોને ન્યાય, તર્ક ઇત્યાદિ સયુક્તિક યુક્તિઓ વડે સત્ય સમજાવવું વગેરેને વિચાર કરીને જે અનુભવાસદ એવી નાશ્વત બાબતો ગીતાદેહનધારે લોકે આગળ મૂકવામાં આવી છે. ભગવદગીતામાં કયો વિષય ભગવાને ચર છે? આનો સંક્ષેપમાં ઉત્તર આપવા માટે સામે પ્રશ્ન કરી શકાય કે ગીતામાં કયો વિષય નથી ચર્ચાયો આ પ્રશ્ન સંબંધમાં મહર્ષિય પુરોવચનમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ૨ ૩
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy