SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્તી નામeતીતિ જા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૦ બની પોતાને તેવો જ અનુભવ થયાનું અનુભવે છે તથા તેમાં જ સુખ છે એમ માની લે છે; પરંતુ છેવટે તે નીરસ નીવડે છે. આ રીતે જ્યારે તેની નીરસતા સમજાય છે ત્યારે તે પોતે બીજી કોઈ કલ્પનાનુસાર પ્રયત્ન આરંભે છે, તેમાં પણ અભ્યાસને લીધે તે દિડમૂઢ બની જાય છે;. વળી જ્યારે તેની પણ નીરસતા સમજાય છે ત્યારે ત્રીજી જ કોઈ કલ્પના કરે છે. આ રીતે સાચું સુખ અને શાંતિનું પરમ થાનક એવું પિતાનું આત્મસ્વરૂપ તેને સમજાય નહિ; ત્યાં સુધી જીવ અનેક દેડો ધારણ કરતો રહી, સુખની આશામાં ને આશામાં બિચારા ભયંકર દુ:ખભાગે જ ભોગવ્યા કરે છે. તાત્પર્ય એ કે, જગતમાં પ્રત્યેક 4 જે જે કાંઈ શુભ અથવા અશુભ ઉદ્યોગો કરે છે, તે સર્વ સુખ અને શાંતિની ઈચ્છાથી જ; પરંતુ જીવને ખોરાક વિષય વાસના છે, તે વાસનાવશાત કર્મો કરતા રહે છે અને તેમાંથી જ સુખ મળશે એવી માન્યતા સેવે છે; પણ ખરી રીતે તે સુખ નિર્વાસન અવસ્થામાં છે, એવું ભાન તેને જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી તે ગમે તેટલા પ્રયત્નો કર્યા કરે છતાં પણ કાયમી સુખ અથવા અખંડ શાંતિની પ્રાપ્તિ તેને કદી પણ થઈ શકતી નથી, એ સિદ્ધાંત છે. આમ અનેક જન્મોમાં અનેક દુઃખો ભોગવ્યા બાદ નિર્વાસન અવસ્થામાં જ સુખ છે એવું જ્ઞાન જ્યારે જીવાત્માને થાય છે ત્યારે તે મેળવવાને માટે તે પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થરૂ૫ પ્રયત્નનો સમાવેશ તો અંતે મનાપાસના તથા પ્રાણે પાસના એવા બે માર્ગમાં જ થાય છે. વ્યવહારમાં પ્રકૃતિ અર્થને જ પુરુષાર્થ કહેવામાં આવે છે, પરંતુ તે યોગ્ય નથી. કેમ કે પુરુષ એટલે આત્મા; અને તેની પ્રાપ્તિને માટે જે પ્રયત્ન તે જ ખરે પુરુષાર્થ છે. योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः। एकाकी यतचित्तात्मा निराशीरपुरिग्रहः ॥ १० ॥ મને પાસના અને પ્રાણ પાસનાથી થતું જ્ઞાન જપ, તપ, ધ્યાન, ધારણા, નવધા ભક્તિ, સાંખ્ય, વેદાંત ઇત્યાદિ ઉપાસનાના જે જે પ્રકારે છે, તે તમામનો સમાવેશ મને પાસનાની અંદર થાય છે; તથા અષ્ટાંગણ (પત જલિ પ્રયુત હગ), સ્વાભાવિક પ્રાણચિંતન અને ધારણાભ્યાસ વગેરે માર્ગનો સમાવેશ પ્રાણ પાસનામાં થાય છે. આ બંનેનું અંતિમ ફળ તે ચિત્તશુદ્ધિ થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ જ એક છે. તે જ્ઞાન બે પ્રકારનું છે; (૧) પરોક્ષ અને (૨) અપરોક્ષ. પ્રથમતઃ તો નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થયા બાદ સાધકને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે થયા પછી તે જિજ્ઞાસુને અંતઃકરણમાં આત્મપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય છે. આત્મપ્રાપ્તિ વિના કયાણનો બીજો કોઈ માગે છે જ નહિ, એ પ્રકારે જ્યારે તેની દઢ શ્રદ્ધા થાય છે ત્યારે તે સાધક મટી મુમુક્ષુ થયે એમ કહેવાય છે. આવો તીવ્ર મુમુક્ષુ સદ્દગુરુ પાસે જઈ પ્રથમ પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને ત્યારબાદ તે બતાવે તે માર્ગનો અંતઃકરણમાં દઢ અભ્યાસ કરીને આત્માનું અપરોક્ષજ્ઞાન એટલે આત્મસાક્ષાત્કાર કરી શકે છે. તે માટે મનનો વિલય કિવા પ્રાણુને વિલય કરવો એવા બે જ માર્ગો છે. આ બંને પરસ્પર સાપેક્ષ ભાવો છે. એક હોય તે બીજે હેય છે અને એક ન હોય તે બંને હેતા નથી તેનું નામ સાપેક્ષ ભાવ કહેવાય છે; એટલે મનનો વિલય થાય તો પ્રાણનો નિરાસ અનાયાસે જ થાય છે તથા પ્રાણતો વિલય થાય તો મનનો નિરાસ પણ અનાયાસે જ થઈ જાય છે. આત્માનુભવની પ્રાપ્તિને અર્થે કરવામાં આવતા આ યુગ કિંવા અભ્યાસક્રમના બંને માર્ગોના મૂળમાં પ્રથમતઃ તે આ સર્વ આત્મસ્વરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એવું નિશ્ચયાત્મક અને નિઃશંક પક્ષજ્ઞાન હોવું જ જોઈએ. આ પ્રકારના પરાક્ષજ્ઞાનને દઢ નિશ્ચય જેઓને થયેલ હોતો નથી તેઓ અપક્ષજ્ઞાનને માટે અધિકારી નથી. તેવાઓએ તે આ પ્રકારના સર્વાત્મભાવરૂપ જ્ઞાનને નિશ્ચય થતાં છે આત્માને અપરોક્ષ સાક્ષાત્કાર થયા પછી જીવન્મુક્તો લીલા તરીકે જે ધારણાભ્યાસ કરે છે તેને સમાવેશ જયોગમાં થાય છે તેવી ધારણુએ એ અભ્યાસ નહિ પરંતુ લીલારૂપ છે. - --- * * - - * . . . .
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy