SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] ને નચિકેતાએ યમ પાસેથી સાંભળ્યા પ્રમાણે સર્વ અરશઃ બેલી બનાવ્યું [૨૬૩ છું, એવા પ્રકારના એક નિશ્ચય વડે જેણે દેહાદિ ભાવોની તમામ વાસનાઓને આત્મદષ્ટિની નિશ્વળ ભાવના વંડ વશ રાખેલો છે તેવો; જિકિય એટલે ઇતિ અને તેના વિોને જેણે હંમેશને માટે આત્મસ્વરૂપમાં જ રોકી રાખેલાં છે અર્થાત ઇોિ અને તેના વિષયોનું અંત:કરણમાં ઉત્થાન જ થવા નહિ દેનારે અને થાય તે તેમ થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે એવી દર ભાવના વંડ જેણે તમામ ઇકિયોને જીતેલી છે તે તથા હુ” દેડાદિ નહિ પરંતુ આત્મસ્વરૂપ છું, એટલું જ નહિ પરંતુ આ સર્વ દશ્યાદિ ચરાચર ભૂતમાત્ર પણ આત્મસ્વરૂપ એવા “ડુ” રૂપ જ છે, આત્મસ્વરૂપ એવા મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એ પ્રમાણે ચરાચર ભૂતમાત્રને જે આત્મા તે જ પોતાને આત્મા છે, એવી રીતના પૂર્ણ અભાવને જેણે જાણ્યા છે એવા અપરોક્ષાનભાવી યોગી કર્મો કરવા છતાં પણ તેમાં કિંચિત્માત્ર કદી લપાતો નથી. नैव किञ्चित्कगेमीति युक्तो मन्येत तत्ववित् । વશ્વ કૃણાત્રાજકારણના ૮ w મerfખ્યા-સુવિજિમિશ્નર इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९ ॥ જે હંમેશાં બ્રહ્મસ્વરૂપમાં જ નિમમ થયેલ છે, એવો બ્રહ્મદશી તત્વવેત્તા અર્થાત જીવન્મુક્ત પુરુષ, ઈદ્રિયો પોતપોતાના સ્વભાવાનુસાર ભલે વર્તી રહેલી હોય છતાં મારે તેની સાથે શો સંબંધ છે? હું એટલે છે જેમાં કરવું. નહિ કરવું તથા તે બંનેના સાક્ષી ભાવનો લેશમાત્ર પણ અંશ નથી તેવો તદન નિલે૫, અસંગ, અનિર્વચનીય અને અદ્વિતીય એવો આત્મા ક્વિા બ્રહ્મ સ્વરૂપ લક્ષાંક ૧) છે, તે પછી એવા મારે ઈદિ અને તેના વિષયોની સાથે શું સંબંધ હોઈ શકે? એ મુજબ જેણે સાક્ષાત્કાર દ્વારા આત્માનુભવ લીવો છે તે જોતાં છતાં સાંભળતે છતાં, સ્પર્શ કરતો છતાં, શ્વાસ લેતે છતાં, ખાતો છતાં, ચાલતો છતાં, ઊંઘતો છતાં, સુગંધ લેતે છતાં, બોલ છતાં, મળત્યાગ કરતો છતાં, ગ્રહણ કરતે છતાં, આંખ ઉઘાડતે છતાં, આખ મીંથતો છતાં પણ કાંઈ કરતા જ નથી એમ માને છે એમ કહેવા કરતાં તેવું નિત્ય પ્રત્યક્ષ અનુભવે છે. જેમ સુવર્ણમાં વાસ્તવિક રીતે દાગીના હોતા નથી એટલે જેમ દાગીનાઓમાંથી રોડનું કાઢી લેવામાં આવે તો અનેક નામરૂપ અને આકારાદિનું અસ્તિત્વ જ રહેવા પામતું નથી, સુવર્ણની દૃષ્ટિએ તેમાં દાગીનાને અંશ પણ નથી અને જે કાંઈ હોય તો તે સવર્ણરૂપથી અભિન્ન જ છે, તેમ નિઃસંગ એવા મારા આત્મા અથવા બ્રહ્મસ્વરૂપમાં ઈદ્રિયો તેના વિશે અથવા તે તેનાં કાર્યો ક્વિા એ બધાને સાક્ષી, એ પૈકી કાંઈપણ છે જ નહિં. એટલું જ નહિ પરંતુ સુવર્ણ પોતે તેને કેાઈ દાગીનાઓ કહે છે તેનો વિરોધ પણ કરતું નથી, તેમ નિઃસંગ એવા પિતાના આત્મસ્વરૂપમાં ઈદ્રિયો, તેના વિષયો તથા તેના ચાલી રહેલા બધા વ્યાપાર, એ સર્વ છે અથવા નથી તથા તે બંને ભાવો છે એવું જાણનારે તેનો સાક્ષી કેક હશે, એ બધા પિકી પણ કાંઈ છે કે નથી તેની તેને કલ્પના પણ હોતી નથી અને હોય તો તે પોતાના બ્રહ્મસ્વરૂપથી મિત્ર નથી અને ન હોય તે તેથી તેની કાંઈ હાનિ નથી. આ રીતે તદ્દન નિઃસંગ અને અનિર્વચનીય એવો બ્રહ્મદર્શી પુરુષ કાંઈ પણ કરતે કે કારતે નથી; આની વધુ સ્પષ્ટતા માટે વિદેહી જનકરાજાનું દષ્ટાંત કહું છું રાજા જનકની આત્મપ્રાપ્તિ મિથિલ વંશના આવા પુરુષ વિદેડી જનક રાજા એક વખત ગરમીના દિવસોમાં રાત્રે ચંદ્રપ્રકાશથી આછાદિત થયેલા પિતાના મહેલની સામેના એક બગીચામાં મંચક ઉપર પિતાની સ્ત્રી સહ બેઠા હતા; તે વખતે એકાએક આકાશમાંથી સંચાર કરતા સિદ્ધગણે અદ્વૈત પરમ પદના નિર્ણય સંબંધી ચાલતું
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy