SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ - * ગીતાહન] આ લોકના અદિ એ અમિતા સરૂપને તે (યમ) ક લાગ્યો. ર૯૩ શક્યા. આ સંબંધે શાસ્ત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનો વિચાર કરતાં પહેલાં પણ કમંગ એટલે શું? તે જાણવાની આવશ્યકતા છે. કર્મસંન્યાસ અને કોગમાં ભિન્નતા છે? ઉપરના વિવેચન ઉપરથી સૂમ દષ્ટિએ વિચાર કરનારા બુદ્ધિમાને તે સ્પષ્ટ રીતે જાણી શકશે કે આ કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંનેમાં કેવળ નામમાત્રના ભેદ વિના બીજુ કાંઈ જ નથી. ઉદાહરણને માટે પાણી અને તેનાં મા, ફીણ, પરપેટ વગેરે વ્યો. ખરી રીતે તો આ સર્વ પામી જ છે; ફીણ, પરપોટા, માં વગેરે તે કેવળ નામમાત્ર હેઈ સાવ મિથ્યા છે, પરંતુ અજ્ઞાનીઓ કે જેઓને પાણીનું સાચું જ્ઞાન હેતું નથી તેવાઓને સાચું જ્ઞાન થતાં સુધી સમજાવવા માટે આ બે યુક્તિઓને આશ્રય કરવો પડે છે. (૧) પાણી એટલે જ્યાં ફીણ, પરપોટા કિંવા મા વગેરે કાઈ નથી તે, અર્થાત ફીણ, પરપોટા, મોજા દત્યાદિ નામરૂપાદિને નિરાસ કરતાં કરતાં છેવટે પાણીને પાણી કહેવાની પણ જરૂર રહેતી નથી; કારણ પાણી પિતે પિતાને હું પાણી છું એમ કદી કહેતું નથી. મનુષ્કા પણ નિત્યપ્રત વ્યવહાર કરતી વખતે પોતાને હું મનુષ્ય છું એમ કાંઈ કહેતા નથી. આ રીતે પરપોટા, ફીણ, મજા ઇત્યાદિ ભાવોનો ત્યાગ કરીને છેવટે રહે તે જ પાણી તે પોતે તો સ્વતઃસિદ્ધ જ છે, તેને પાણી કહેવાનું કામ પણું પ્રોજન રહેતું નથી; એ મુજબ પાણીનું સાચું સ્વરૂપ જાણવું તે પ્રથમ યુક્તિ કહેવાય; અને (૨) ફીણ એટલે ૫ ણી છે, પરપોટા એટલે પાણી છે, તરંગ એટલે પાણી જ છે, એ રીતે દરેક નામરૂપાદિને તે પાણી છે એવા એક જ ભાવમાં સ્થિતિ કરવું તે બીજી યુક્તિ છે. આ દષ્ટાંત પ્રમાણે (1) આ સર્વે હું, તું, તે, આ દત્યાદિ અનેક નામરૂપદ વડે પ્રતીત થવા ભાસમાને થતી જગતાદિ દયાળ(સાંક ૩ થી ૧૫ ; એટલે જેને હું, હું અથવા મારું, મારું એમ કહેવામાં આવે છે તે તમામને આ “હું” નથી, આ “હું” નથી, એ રીતે નિરાસ કરતાં કરતાં છેવટે “હું” એવા ભાવનો પણ વિલય કરી શેષ રડે તે જ અનિર્વચીય એવું પરમપદ છે; એવા પ્રકારનો જે નિઃશેષભાવ નાહમનો અભ્યાસક્રમ તેને જ કર્મ સંન્યાસ કરે છે, તથા (૨) આ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, તમે, અમે, આપ, આપણે ઇત્યાદિ સર્વે તથા અનેક નામરૂપ વડે ભાસમાન થતું તમામ દસ્યજાળ આત્મરવ૫ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ અર્થાત બીજા કુર ન્યાયાનુસાર પાસડ આ બધા (વૃક્ષાંક ૧ થી ૧૫ ૪ સુધીના તમામ ભાવો આભારૂપ જ છે, એવી રીતે તેને સર્વમભાવ વડે જણવું તે કમ યેાગ સમજવા. આ બે અભ્યાસક્રમમાં એક પટાભેદ પણ પડે છે, તેનું ત્રીજે અભ્યાસક્રમ કર્યું છે, પરંતુ વારતવિક રીતે તો તેનો સમાવેશ આ બંનેના પેટમાં થઈ જાય છે. તે પ્રકાર એવો છે કે, આ જે “હું” અને “મા” (મમ) વગેરે મિથ્યા એવા કૅનરૂપે ભાસે છે તે વારતવિક તેવું તરૂપ નથી, પરંતુ “હું રૂપ છે. આમ તું, આ, તે, મારું, તારું ઇત્યાદિ સર્વ નામરૂપને પ્રથમ “હું”રૂપ છે. એવા ભાવ વડે “હુ'રૂપમાં એકત્રિત કરવા, ત્યારબાદ તે હું એટલે અનિર્વચનીય એવો આત્મા છે એવા નિશ્ચય વડે તેનો પણ અનિચનોય એવા આત્મપદમાં જ વિલન કરી દેવો જોઈએ. આ રીતે સર્વ ભાવનું મૂળ બીજ આમાં હોવાથી બીજ કુર ન્યાયાનુસાર આ સર્વ “હું” રૂ૫ છે અને તે “હુ” એટલે આત્મા છે; એવી દષ્ટિને આશ્રય તે ઉપરની બંને દૃષ્ટિઓના અભ્યાસક્રમનો સમન્વય છે. તેનો સમાવેશ પણ કર્મચાગમાં જ થાય છે. આમ આ સર્વ આત્મરૂપ છે, એ પ્રકારના સર્વાત્મભાવના અભ્યાસનો અંત પણ છેવટે તો અનિર્વચનીયતામાં જ થઈ જાય છે, કેમકે ઉપર જણાવ્યું તેમ આત્માને આત્મા કહેવાનું શું પ્રયોજન? તે તે સ્વતસિહ જ છે. આ રીતે વિચારપૂર્વક સમન્વય કરીને જોઈશું તે છેવટે સંન્યાસ અને કર્મયોગ બંનેનું ધ્યેય અનિર્વચનીય પરમપદ એ જ એક છે, એમ બુદ્ધિમાનને જણાઈ આવશે. પાણી કહે, જળ કહે, તરંગ કહે પરપોટા કે ફીણ કહે ગમે તે કહે, પણ તે તો અંતિમ જે છે તે જ હતું, હશે ને છે. તે પ્રમાણે આત્મા કહે, અનાત્મા કહે કે અનેક નામાદિ વડે જોવામાં આવતું આ જગતાદિ દશ્ય છે એમ કહા કિવા હું, તું, તે, આ, મારું, તારું, વગેરે ગમે તે કહે, પરંતુ અંતે તે તે અનિર્વચનીય એવું પરમપદ જ છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર IT
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy