SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જ 8 1 ते मयि सन्तु ते मयि सन्तु ॥ [ પ્રથમવૃત્તિનું નિવેદન આવેલા પાર્થોને કથનનું અયથાર્થ અર્થાત વિપરીતપણું યા અસત્યપણું જે બેધ દ્વારા નિવારણ થઈ શકે છે તે ધર્મશાસ્ત્ર પ્રવૃત્તિને લક્ષણ કહે છે અને ઉદ્દિષ્ટ પદાર્થોનું જે લક્ષણ કહેવામાં આવેલું હોય તે ઠીક છે યા નહિ તેનો પ્રમાણ દ્વારા નિશ્ચય કરી, યોગ્ય અને યથાર્થ તત્વને ધારણ કરવું તેને પરીક્ષા કહે છે, પ્રમાણ સંબંધે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈમાં પ્રમાણ પ્રથમ હોય છે, તો કેટલાકમાં પછા અને કેટલાકમાં તો તે કાર્યની સાથે જ સંલગ્ન હોય છે. - શાસકત તથા રાગકૃત પ્રવૃત્તિનાં લક્ષણે શાસ્ત્રકૂત પ્રવૃત્તિનું લક્ષણ એ કે તેથી સંયમ, શીલવર્ધન, સત્ય, અહિસા વગેરે સદણની વૃદ્ધિ થઈ અંતે સત્યતાના જ્ઞાન દ્વારા આભારતિ૫ બેયને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ગત પ્રવૃત્તિ થકી પરસ્પર એક બીજા પ્રત્યે દ્વેષ, વૈમનસ્ય, કુસંપ, ઈષવૃત્તિ ઇત્યાદિ દુર્ગાની વૃતિ જાણે યા અજાણે થતી રહે છે. ગીતાદેહનામાં આ પ્રવૃત્તિને અમે બેયાત્મક અને વ્યસનાત્મક એવાં નામો વડે સંધેલી છે. જિજ્ઞાસા કેને કહે છે? સત્ય અને અજ્ઞાત વસ્તુ વણવાની જે ઇચ્છા તેને જિજ્ઞાસા કહે છે. તેની આવશ્યકતા એટલા માટે છે કે અજ્ઞાત વતનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થવાથી સત્ય શ, અસત્ય એટલે શું, તે સારી રીતે સમજી શકાય છે. આથી તે છેડવી, ગ્રહણ કરવી કે ત્યાગ અને પ્રહણ એ બંને પ્રત્યે ઉદાસીનતાની ભાવના રાખવી અથવા તેવી ભાવનાઓને પણ ત્યાગ કરી તદ્દન નિષ્પોજન રહેવું, વગેરે સમજવું ઠીક પડે; કેમ કે જિજ્ઞાસાને ઉદય અનેક માનસિક સંશાના નિવારણને અર્થે જ થવા પામેલ હોય છે અને તેનું નિવારણ ન્યાયી અને યોગ્ય એવા પ્રશ્નો થકી જ થઈ શકે છે. તર્કને ઉદ્દેશ અવિનાત અને સત્ય તત્ત્વ સમજવામાં હેતુરૂપ એવા ઉત્પત્તિથી માંડી તત્ત્વજ્ઞાન થતાં સુધીને માટે જે વિવેજ્યુક્ત વિચાર કરવામાં આવે તેને તર્ક કહે છે; અર્થાત તર્કનો ઉદ્દેશ યોગ્ય પ્રમાણે દ્વારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ આત્મસાક્ષાત્કાર થવો એ જ એક હેઈ, તે ઉદ્દેશ શાસ્ત્રપ્રવૃત્તિ દ્વારા જ સાધ્ય થવો શકય છે. રાગત પ્રવૃત્તિ થકી તે અધઃપતન જ થાય છે. આસો અને આમવાકય કેવળ ગમે તેવા મનસ્વી શબ્દો દ્વારા શાસ્ત્રીય પ્રવૃત્તિ કદાપિ સાધ્ય નથી, કેમ કે એવા શબ્દો એ પ્રત્યક્ષ પ્રમાણુ નથી પણ અનુમાન છે; તેથી આવા પ્રકારની મનસી શબ્દપ્રવૃત્તિ એ રાગકૃત પ્રવૃત્તિ છે. વાચાળતા એ તેનું જ બીનું નામ છે, પરંતુ મનસ્વી અને નિષ્કિય એટલે ક્રિયા વગરની એ વાચાળતા વ્યસનરૂપ હોઈ તે કાયિક, વાચિક અને માનસિક ઉપરાંત આધ્યાત્મિક અધઃપતન કરાવે છે; કારણ કે વ્યવહારમાં શબ્દોનો જે અર્થ લેકે કરે છે તે ફક્ત અનુમાનથી જ કરવામાં આવે છે. આમ વ્યવહારમાં શબ્દો થકી અર્થનું જ્ઞાન થવું એ અનુમાનિક હોવાથી તે સ્વાભાવિક નહિ પણ સામાયિક છે. જે તેમ ન હોય તે વ્યવહારમાં શબ્દનો અર્થ દરેકને એક જ પ્રતીતિમાં આવતા. આથી આવા શબ્દોનો સમાવેશ ગકત પ્રવૃત્તિમાં થાય છે, પરંતુ શાસ્ત્રકૃત પ્રવૃત્તિમાં શબ્દ એ અનુમાન નહિ પણ પ્રત્યક્ષ આપ્તપ્રમાણુ ગણાય છે, કેમ કે તે શબ્દ આપ્તપદેશરૂપ હોઈ બોધને માટે કારણભૂત થતો હોવાથી આપ્તવાકય કહેવાય છે (જુઓ ન્યાયદર્શન અ. ૨/૧/૪૯ થી ૧૨). અર્થના સાક્ષાત્કારનું નામ આપ્ત છે અને આવાં આસ્તાનાં વાકાને “શબ્દપ્રમાણ” કહે છે. ટૂંકમાં આત્મસાક્ષાત્કારીઓ જ સાચા આપ્ત હોઈ તેમનાં વાકયો શબ્દપ્રમાણ કહેવાય. અહીં કહેવાયેલ શબ્દ એ દ્રવ્ય, ગુણ અને કોને વાચક છે (વૈશે. દર્શન અ૦ ૯ આ ૨ સૂ૦ ૩). આવાકયને અંત તે તેમાં વિધિવામાં જ થાય છે અને વિધિવકને અંત બ્રહ્મસાક્ષાત્કારપે છે. જે વસ્તુ વાસ્તવમાં જેવી છે તેવી જ તેને પોતાના મૂળ અસલ સ્વરૂપે જાણવી તેને III
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy