SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ) તે અતિથિની શાંતિ કરવાને ધર્મ છે. હે યમ! જલદી પાણી લાવે. [ ૨૫૩ કરી તેમને બહ્મરવ૫ની પ્રાપ્તિ કરાવી આપી અને લોકોને ખાતરી કરાવી આપી કે, બહ્મવિદ્યાનાં અધિકારી સ્ત્રી શદ્વાદિકે પણ છે, (૫) પિતા અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં શ્રી દત્ત સ્વરૂપે અવતાર લઈ જ્ઞાન અને અષ્ટાંગયોગાદિકને પુનઃ સજીવન કર્યા તથા યદુ અને સહસ્ત્રાર્જુનને જ્ઞાનપદેશ આપી કૃતાર્થ કર્યા, (૬) સૃષ્ટિના આદિકાળમાં સૃષ્ટિ સર્જાવાની ઇરછાથી મેં અખંડિત તપ કર્યું હતું ત્યારે સનસ્કુમાર, સનક, સનંદન તથા સનાતન એવા ચાર સન શબ્દની નિશાનીયુક્ત સન નામવાળા ચાર ઋપિસ્વરૂપે અવતાર ધારણ કરી પૂર્વ કલ્પમાં પ્રલયકાળે નાશ પામેલા આત્મજ્ઞાનને જગતમાં કવિઓ અને લોકોમાં ફરીથી પ્રચાર કર્યો; (૭) ને પુત્રી તથા ધર્મ (યમ) રાજાની સ્ત્રી સ્મૃતિથી અસાધારણ તપના સામર્થ્યવાળા નરનારાયણ રૂપે અવતર્યો, જેને કામ કદી પણ સ્પર્શ કરી શકતા નથી એવા તે છે, (૮) રાજા ઉત્તાનપાદના પુત્ર પ્રવના તપ વડે પ્રસન્ન થઈ તેને શંખ, ચક્ર, ગદાધારી નારાયણવિષ્ણુ રૂપે દર્શન આપ્યાં અને અવિચળ પદ આપ્યું તે (૯) ધર્મથી વિરુદ્ધ માર્ગે ચાલી પોતાનાં પરાક્રમ અને આયુષ્યને નાશ કરનાર પાપી અને નરકના અધિકારી વેન રાજાના પુત્ર પૃથુ રૂપે ઉત્પન્ન થઈ ભગવાને પિતાનો નર્કમાંથી ઉદ્ધાર કર્યો તથા પૃથ્વીમાંના નષ્ટ થયેલા તનું દહન કર્યું. ગળી ગયેલી પૃથ્વીમાંથી અનાદિ સર્વ વ્યો પુનઃ ઉત્પન્ન કર્યા તે પૃથુ રાજા; જે ઉપરથી પૃથ્વી એવું નામ પડયું છે, (૧•) નાભિ મહર્ષિ તથા સુદેવી અથવા મેરુદેવીના પુત્ર ઋષભદેવજી કે જેમણે આસક્તિ છેડી નષ્ટમાનસ વા પરમહંસ દશાની કપના લોકોને આણી આપી, (૧૧) યજ્ઞમાં સુવર્ણ સમાન કાંતિવાળા બ્રહામૂર્તિ સર્વ વેદરૂ૫ તથા સાક્ષાત્ યજ્ઞના ફળદાતા એવા હયગ્રીવ ભગવાન ઉત્પન્ન થયા, (૧૨) વેદના સંરક્ષણથે ભગવાને સ્વાવતાર ધારણ કર્યો, (૧૩) અમૃતમંથન વખતે ભારથી પૃથ્વી પિતાની મા છેડી મર્યાદારહિત ન બને તે માટે ભગવાને કછ કિંવા કાચબાનો અવતાર ધરી મંદરાચળને પીડ ઉપર ધારણ કર્યો, (૧૪) દેવતાઓને દુઃખ દેનાર તથા યજ્ઞાદિ કાર્યો બંધ કરનાર મન્મત્ત એવા હિરણ્યકશિપુને મારવા તથા પરમ ભક્ત પ્રહાદને ઉગારવા માટે ભગવાને લીધેલો નૃસિંહ અવતાર, (૧૫) પિતાનો ભક્ત ગમે તે યોનિમાં હોય તે પણ ભગવાન સંકટમાંથી ઉગારીને તેનું રક્ષણ કરે છે, એ સિદ્ધ કરી આપવાને માટે કે હાથીને મૂડના ત્રાસમાંથી બચાવવા ગરુડધારી ભગવાન શ્રીહરિ નામે અવતાર ધારણ કર્યો, (૧૬) 'નિયતિના નિયમ પ્રમાણે અસર બલિને ઈંદ્રાસનની પ્રાપ્તિ ન થવી જોઈએ, એવી જગતની સુવ્યવસ્થા જાળવવાને અથે ધર્મના રક્ષણ કરનાર બલિની પાસે યાચના વડે રાજય લઈ તેને પાતાળમાં ચાંપો, તે વામનાવતાર, (૧૭) હે નારદ ! તારી ભક્તિથી વશ થઈ તને ભકિતયોગ અને આત્મજ્ઞાન જેમાં છે તેવા ભાગવતધર્મનો ઉપદેશ કરવા માટે મેં જે અવતાર ધારણ કર્યો તે હંસાવતાર, (૧૮) દૈત્યોએ બંધ કરેલો દેવતાઓનો ભાગ જેણે ફરીથી મેળવ્યો તથા જગતમાંથી નષ્ટ થયેલી આયુર્વેદની પ્રવૃત્તિનો જેણે ફેલાવો કર્યો તે *ધવંતરીને અવતાર, (૧૯) આખી પૃથ્વીને કાંટે સમાન અને ધર્મથી વિરુદ્ધ માર્ગે ચાલનારા તથા હિંસા કરવાને પ્રવૃત્ત થયેલા બહ્મદેશી ક્ષત્રિયોનું અભિમાન નષ્ટ કરી જગતને ભાર ઉતારવાને માટે પરશુરામ રૂપે ભગવાન જમદગ્નિને ઘેર અવતર્યા તે, (૨૦) સૂર્યવંશી ઇક્વાકુના વંશમાં દશરથ રાજાને ત્યાં કૌસંસ્થાના ઉદરે અવતરી પિતૃનીતિ, રાજનીતિ, ભ્રાતૃનીતિ વગેરે નીતિશાસેનું અવલંબન કરી જગતમાં રાવણાદિ દુષ્ટોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરનાર શ્રી રામચંદ્રજી રૂપે ભગવાને અવતાર ધારણ કર્યો તે, (૨૧) ચંદ્રવંશના યદુકુળમાં દેવકીને ઉરે વસુદેવને ત્યાં અવતરી અનેક પ્રકારની આ જીત બાળલીલા વડે જમતને મિત્ર કરીને ભાર ઉતાર્યો, કંસાદિને નાશ કર્યો, ધર્મની પુનઃ સ્થાપના કરી, વણાઓને આત્મજ્ઞાનને બોધ આપી કૃતાર્થ કર્યા, મહાભારત યુદ્ધમાં અર્જુનનો મેહ નષ્ટ કર્યો વગેરે અદ્ભુત કર્મો કરનાર શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ધારણ કર્યો તે, (૨૨) ટૂંકી બુદ્ધિવાળા તથા અલ્પ આયુષ્યવાળા મનુષ્યો વેદનો પાર પામી શકે ૨ પરાશર ઋષિને ત્યાં સત્યવતી નામની તેમની સીથી ભગવાન વેદવ્યાસ પે અવતરી વેદના અવાજા વિભાગો કરે છે તે, (૨૩) વેદમાર્ગે ચાલનારા તથા મયદાનવે રચેલી અદશ્ય વેગવાળી ત્રણ નગરીમાં રહી લોને • કેટલાક સમુદ્રમંથનમાંથી નીકળે ધનવંતરીને બદલે તમને યાવીશ બારણાં માં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy