SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨] તન શક્તિ કરતા દૂર કરજોરમા ઠ. [ સિદ્ધાન્તાકા ભ૦ ગીઅ૦ ૪/૮ અજન્મા ભગવાનના આ અવતારે બ્રહ્મા કહે છે: હે નારદ ! વસ્તુતઃ અજન્મા, સર્વના આદિપુરુષ અને આત્મસ્વરૂપ એવા આ ભગવાન પ્રત્યેક કલ્પના આરંભમાં પિતે પિતાને પિતા વિષે અને પોતા વડે જ સર્જે છે, પાળે છે તથા સંહારે છે. સારાંશ છે કે, કર્તા, અધિકરણ, સાધન તથા કર્મરૂપ તે પોતે જ બનેલા છે, કોઈ પણ સાયનું સાધન ભગવાનના સ્વરૂપથી જ નથી. ઉપાધિરહિત, અદ્વિતીય, જ્ઞાનસ્વરૂપ, દેહ, ઇદ્રિય, મન તથા બુદ્ધિ આદિથી પણુ પર, સદેહરહિત, સ્થિર, સત્ય, પૂણું જન્મમરણાદિ સર્વ ભાવવિકારથી રહિત, નિર્ગુણ તથા ત્રણે કાળે જેને કદી બાધ થતો નથી એવા આત્મા કિવા ભગવાન (વૃક્ષાંક ૧)ના સ્વરૂપને હે નારદ ! ઋષિઓ પણ જ્યારે કાયા, વાચા અને મન વડે તદ્દન શુદ્ધ અને પ્રસન્ન અંતઃકરણવાળા હોય છે ત્યારે જ જાણી શકે છે; પરંતુ જ્યારે પુરુષો કુતર્ક વડે સંશયગ્રત થયેલાં મનદ વડે ઢંકાઈ જાય છે ત્યારે જાણી શકતા નથી; આથી ઈશ્વરને જાણવાને માટે નિર્મળ, પવિત્ર અને તદ્દન શુદ્ધ અંતઃકરણની જ જરૂર હોય છે. પરમેશ્વર (વૃક્ષાંક ૧) નો પ્રથમ અવતાર એટલે આદ્યપુ, ઈશ્વર કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨) સ્વરૂપને છેઃ બાદ પ્રકૃતિ કિવા માયા અર્થાત “હું” રૂપે પ્રકટ થનારી તે જ આદ્યશક્તિ કહેવાય (વૃક્ષાંક ૩ જુએ). એ પ્રકૃતિના સર્વ, રજ અને તેમનું પ્રથમ મિશ્રણ થયેલું છે એવું ઐક્ય તને કે જેને અવ્યક્ત પ્રકૃતિ અથવા શિવ પણ કહે છે (વૃક્ષાંક ૪); તેમાંથી ક્રિયા અને જ્ઞાનશક્તિનું ઐકયભાવે મિશ્રણરૂપ એક તવ ઉત્પન્ન થયેલું છે જેને અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિપુર યુગલ પણ કહે છે ( ક્ષાંક ૫ ) તેની કૅત્પત્તિ થવા પામેલી છે; ત્યારબાદ મમભાવ પ્રગટ કરનાર 4 અથવા શક્તિ નામનું તત્ત્વ ( વૃક્ષાંક ૬ ) ઉત્પન્ન થયું છે; (મહત્તત્ત્વનું બીજ , આમાં જ છે એમ સમજવું) ત્યાર પછી પરમાત્માના અંતઃકરણરૂપ એવું મહત્તવ કે જે ભૂતાકાશને નામે પણ કહેવાય છે તે ઉત્પન્ન થયેલું છે. સર્વ ભૂતમાત્ર આ જ આકાશના આધારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને પામે છે આને ચિદાભાસ પણ કહે છે; બાદ અહંકાર (વૃક્ષાંક ૮), સૂમ તમાત્રાઓ, ઇંદ્રિયો, તેના દેવતા ત વિરાટ શરીરના અભિમાની પુરુષ, સ્થાવર, જંગમરૂપ સમષ્ટિ વ્યષ્ટિ શરીર, હું, શિવ, યજ્ઞ, પ્રજાપતિ, તું તથા ઈતર મુનિઓ, સ્વર્ગ, અંતરિક્ષ અને મનુષ્યલોક, પાતાળ લેક તેમ જ ગંધર્વ, વિધાધર અને ચારણના સ્વામીઓ; યથા, રાક્ષસ, સર્પ અને નાગના અધિપતિએ મેટામેટા ઋષિઓ, પિતૃઓ, દૈત્ય તથા સિહના અને દાનવોના અધિપતિઓ, પ્રેત, પિશાચ, ભૂત, કુષ્માંડ, જલજંતુ તથા પશુપક્ષી આદિના સ્વામીઓ, ટકમાં જગતમાં જે જે કાંઈ ઐશ્વર્યાવળ, તેજરવી, મન અને ઇંદ્રિયશક્તિવાળું, ચતુરાઈ, ક્ષમા, લાજ, શોભા સંપત્તિ અને બુદ્ધિયુક્ત અદ્દભુત વર્ણવાળું તથા જે જે રૂપવાળા અથવા રૂપરહિત છે, તે સર્વ પરમ એવા આમ (વૃક્ષાંક ૧) સ્વરૂપ જ છે. આ રીતે આ સર્વ પરમેશ્વરની જ વિભૂતિરૂ૫ છે, એમ જાણુ. છતાં હે નારદ ! સર્વવ્યાપક એવા ઈશ્વરના મુખ્ય લીલારૂપ અવતારો કે જે યુગ, મવંતર અથવા કપમાં હમેશ થતા રહે છે તે પ્રત્યક્ષ પ્રગટ થતાં સુંદર અવતારોનો ક્રમ તને કહું છું, તે તું સાંભળ (ભા સં૦ ૨. અ૦ ૬, શ્લેક૩૮/૪૪). ભગવાનના સ્થળ એવીશ અવતારે હે નારદ ! દરેક યુગ, મનુ, કિવા કલ્પમાં થતા અવતારે લેવાનું કાર્ય તે ઈશ્વરાંશ એવા વિષ્ણુ (વૃક્ષાંક ૯) ભગવાનનું જ હોય છે. તેઓ પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢવાને માટે પ્રથમ વરાહ ૨૨ અવતર્યા તથા હિરણ્યાક્ષનો વધ કર્યો. (૨) રુચિ નામના પિતા તથા આકૃતિ નામની માતાના ઉદરે સુયજ્ઞ નામે ઉત્પન્ન તે પેાતાના દક્ષિણ નામની સ્ત્રીથી સંયમ નામના દેવને ઉત્પન્ન કર્યો. (૩) ભગવાને ઈંદ્ર થઈ ત્રિલોકમનું દુઃખ મટાડયું તે સ્વયંભૂ મન નામને અવતાર, () કર્દમ ઋષિને ઘેર દેવહૂતિથી કપિલ દેવ ઉત્પન્ન થયા, તેમણે વેદાંતતત્વ શ્રી દ્વાદિ પણ સારી રીતે સમજી શકે એવા પ્રકારે લોકોની સરળતાને માટે સાંખ્યનાં તરનો વિસ્તાર કર્યો તથા પોતાની માતા દેવહુતિ તથા તેની નવ બહેનોને બહ્મવિલાને ઉપદેશ + બષ્ટિ એટલે જુદુ જુદું અકેક શરીર તથા સમષ્ટિ એટલે સર્વ શરીરે મળીને જે એક સમુદાય છે, જેમકે, એક ઝાડ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ સમજે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy