SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૧૫૮ ] તન્નર ( વીમિતિ [ સિદ્ધાનકાર્ડ ભર ગીત અહ રા૩૯ આ મતમાં ઈશ્વર પિતામાંથી ઉત્પન્ન થયેલા એ ભૂતેથી આ જગત સરજીને તેઓની સાથે જગતમાં પેઠા છે; માટે સઘળા ભૌતિક પદાર્થોને ભૂતોમાં અને છ ને ઈશ્વરમાં અંતર્ભાવ માનેલ છે. કેટલાકના મતે ચાર જ ત છે. તેમાં (૧) આત્મા તથા તેમાંથી ઉત્પન્ન થયેલાં (૨) તેજ, (૩) જળ અને (૪) પૃથ્વી એમ ચાર તો માનેલાં છે; તથા તેઓથી સધળા કાર્યોની ઉત્પત્તિ થયેલી છે તેમાં જ સર્વ કાર્યોનો અંત થઈ જાય છે એમ માનવામાં આવેલું છે. કેટલાકના મતે સત્તર તરવો છે. તેમાં પાંચમહાભૂત, પાંચ શબ્દ સ્પર્શાદિ વિષે કિંવા તન્માત્રા, પાંચ સૂક્ષમ ઇંદ્રિયે મળી પંદર તથા મન અને આત્મા મળી કુલ સત્તર થાય છે. કેટલાકે સાળ તને માને છે. તેમાં ઉપરનાં પંદર અને આત્મા તથા મનને એક જ ગણી સેળ ગણે છે. કેટલાકને મતે તેર તત્ત્વો છે. તેમાં પાંચ મહાભૂત, પાંચ ઈદ્રિયો મળી દશ તથા મન, જીવ અને ઈશ્વર એમ તેર થાય છે. કેટલાકના મતે અગિયાર તો છે. તેમાં પાંચ મહાભૂત, પાંચ ઈન્દ્રિયો અને એક આત્મા (ઈશ્વર) મળી અગિયાર તો છે. કેટલાકના મતે નવ તત્ત છે. તેમાં પ્રકૃતિ, મહત્ત, અહંકાર, પાંચ મહાભૂત અને આત્મા એમ નવ ગણાય છે. આ પ્રમાણે ઋષિઓએ તરાની સંખ્યા જુદી જુદી કહેલા લેવામાં આવે છે ખરી, પરંતુ તે સર્વને ઉદ્દેશ પ્રકૃતિથી પુરુષ તદ્દન અલિપ્ત, નિષ્ક્રિય કિંવા ભિન્ન છે એટલું જણાવવા પૂરતો જ છે, એમ જાણવું. આ સઘળા મતો ન્યાય સહિત છે, કારણ કે તે સર્વમાં વેદમાન્ય યુક્તઓ છે, બ્રહ્મવિદ્દ વિદ્વાને ગમે તેમ કરીને સરખું જ લાવી મૂકે છે, એટલે એમના ઉપદેશના અંતિમ એતો સમાવેશ વેદનાં મહાવાકયોના ભાવાર્થરૂપ તત્ત્વજ્ઞાનમાં જ છે એમ સિદ્ધ થાય છે, તેથી તેઓએ ઠરાવેલું કંઈ અઘટિત કહી શકાય નહિ (જુઓ શ્રી ભાવે રકં૧૧, અ. ૨૨) આ વિવેચનથી જાણી શકાશે કે, સાંખ્યાદિ શાસ્ત્ર તથા તે સમજાવનાર આચાર્યોનું અંતિમ પેય પણ કેવળ આત્મસ્વરૂપ સમજાવવું એ જ એક છે, તેમના માર્ગનું અવલંબન શ્રીકૃષ્ણ ભગવાને પણ અત્રે કરેલું છે. શ્રીકૃષ્ણ ભગવાને જિજ્ઞાસુઓની ભેદબુદ્ધિ નષ્ટ થઈતને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આત્મસ્વરૂપ સમજાવતી વખતે આ સાંખ્યમાર્ગની યુક્તિને જ પ્રથમ, આશ્રય લીધેલો છે. જે નીચેના વિવેચન પરથી વધુ સ્પષ્ટતાથી સમજી શકાશે. સાંખ્ય અનુસાર બ્રહ્મનો વૈવર્તિક વિકાસમ મહાપ્રલય થયા બાદ આ બ્રહ્માંડાંદિ ચરાચર દો બ્રહ્મના અવ્યકત સ્વરૂપ (લક્ષાંક ૪)માં જ વિલય થાય છે તથા ઉત્પત્તિમાં સૌથી પહેલે જે સત્યયુગ કે જેમાં સર્વ લેકે બ્રહ્મવિદ્યામાં જ નિપુરા હંતા, તેમાં બ્રહ્મવિદ્યામાં કુશળ પુરુષની દૃષ્ટિએ દ્રષ્ટા અને દશ્ય ભાવથી પ્રતીત થનારું આ સર્વ જગત એકરૂપે જ હતું અર્થાત બ્રહ્મમાં જ લીન હતું, તેમાં કઈપણ જાતને ભેદ ન હત; વળી અન્ય કોઈ યુગમાં પણ જયારે કોઈ આ રીતે બ્રહ્મની અભેદ ભાવના જાણીને બ્રહ્મવિદ્યામાં નિપુણ થાય છે, ત્યારે પણ તે ફુરણ રહિત એવા એક બ્રહ્મસ્વરૂપે હોય છે, તેમાં દ્રષ્ટા કિંવા દશ્ય એ ભેદ બિલકુલ હોતો નથી. આ કેવળ ભેદરહિત અને સત્ય એવું એક વ્યાપક બ્રહ્મ પોતે જ પોતામાં અજ્ઞાનના આરોપને લીધે બુદ્ધિ, મન અને વાણીની પ્રવૃત્તિમાં આવી શકે એવા પ્રકારે દશ્ય અને દ્રષ્ટા એમ બે પ્રકારે થયું, આ દ્રષ્ટા અને લક્ષ્યમાં જે. દસ્ય પદાર્થો છે તે કાર્યકારણરૂપ પ્રકૃતિ છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) અને બીજે જે દ્રષ્ટા (૨ક્ષાંક ૨ જુઓ) છે તે પુરુષ કહેવાય છે. તે પુરુષનું દ્રષ્ટાપણાને લીધે અને જીવના અદષ્ટ એટલે ભાવિને લીધે ઈક્ષણરૂપે દ્વારેથી અર્થાત ઈશ્વરની કાળાશક્તિના પ્રભાવથી પ્રકૃતિ (ક્ષાંક ૩) માં ક્ષોભ ઉપજાવનારા તેના સત્વ, રજ, અને તમે એવા ત્રણ ગણો પ્રકટ થયા તેજ અવ્યક્ત તત્વ (ક્ષાંક ૪) છે; તેમાંથી મહત્તત્ત્વ ઉત્પન્ન થયું તે પૂર્વે જ્ઞાનશકિત અને ક્રિયાશતિ એ મુખ્ય બે શક્તિઓનું મિશ્રણાત્મક એવું એક તત્વ કે જેને અર્ધનારીનટેશ્વર (માંક ૫) કહે છે તેની ઉત્પત્તિ થવા પામેલી હેઈ તેમાંથી મહાપ્રાણ વિકાસને પામેલ છે. આને છે પ્રકૃતિ (દક્ષાંક ૬) કિંવા “મમભાવ' પણ કરે છે, એમાંથી માયા (વૃક્ષાંક ૩) ને ધારણ કરનાર ઈશ્વર (૨ક્ષાંક ૨)નાં અ 1:કરણ સમાં મહત્ત ૨ ( ક્ષાંક ૭) ૩૫ ઉપાધિ વિકારને પામી તેમાંથી છને ભાતિ ઉપજાવનારો અહંકાર (વક્ષાંક ૮) ઉત્પન્ન થયો છે, અહંકારના વારિક તેજસ અને - - રામ દ્વારા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy