SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] બ્રહ્મનો પ્રશ્ન સાંભળી, હું પ્રસિદ્ધ એ અગ્નિ છું, હું જાતવેદા નામે પ્રસિદ્ધ છું એમ તે બોલ્યો. [૧૫૭ તર થાય છે. ઈશ્વરના પ્રસાદથી મળવાનું જ્ઞાન સત્વગુણની વૃદ્ધિરૂપ છે, તેથી તેને જડ તત્તવમાં અંતર્ભાવ કરેલો હોઈ તેને કાંઈ જુદું તત્ત્વ માનવામાં આવતું નથી. ત્રણ ગુણોની સમતા એ પ્રકૃતિનું સ્વરૂપ છે; માટે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિના જ છે. આત્મા યા તc (વૃક્ષાંક ૧)ને નથી. વાસ્તવિક રીતે તો જીવ પણ અકર્તા હોવાથી સૃષ્ટિ આદિ ગુણેનું આશ્રયપણું તેમાં ઘટતું નથી, એટલા માટે વ્યવહારમાં સમજવામાં આવતું જ્ઞાન કે જે સત્ત્વગુણ પ્રધાન છે, તે જીવન ધર્મ નથી પરંતુ પ્રકૃતિને ગુણ છે એમ સ્વીકારેલું છે. જેને જીવ અને આત્મા વાસ્તવિક રીતે તે અભિન્ન છે, એવું જ્ઞાન જ્યાં સુધી થએલું હોતું નથી ત્યાં સુધી જીવ અહંકારાદિ ધારણ કરી વાસનાવશાત અનેક સુખદુઃખાદિ ભોગ ભોગવે છે, એ પ્રમાણે સમજાવવામાં આવે છે. તે અહંકારાદિ ધર્મો પ્રકૃતિના છે, માટે તેના ભોક્તા જીવને પણ પ્રકૃતિમાં જ ગણે છે (વૃક્ષ અ જુઓ). આ પ્રતિબિંબરૂ૫ “હુ' (વૃક્ષાંક ૩)થી આગળના સર્વ ભેદોને પ્રકૃતિમાં જ સમાવેશ થાય છે એમ સમજવું. તત યા આત્માં (વૃક્ષાંક ૧) તો તદ્દન નિલે૫ છે. વળી કર્મ એ રજોગુણની વૃત્તિ છે. હું (વૃક્ષાંક ૩) સર્વ કર્મોનું મૂળ બીજ હોવાથી તેમાં રજોગુણને ભાગ વધુ પ્રમાણમાં હોય છે તથા અજ્ઞાન વા અવ્યક્ત (વૃક્ષાંક ૪) એ તમોગુણની વૃત્તિ છે અને તેને પણ પ્રકૃતિમાંજ અંતર્ભાવ થતું હોવાથી તેઓને કેટલાક શાસ્ત્રકારોએ ભિન્ન તસ્વરૂ૫ ગણ્યાં નથી. આ અવ્યકતને પ્રધાન પણ કહે છે. સ્વભાવ એ મહત્ત્વનું સ્વરૂપ છે, તેનો પણ પ્રકૃતિમાં જ અંતર્ભાવ થાય છે તથા કાળ એ તે ઈશ્વર (ક્ષાંક ૨)નું સ્વરૂપ છે, માટે કાળ કે સ્વભાવ પણ જુદાં જુદાં તવ રૂપે ગણ્યાં નથી. વળી મેં પ્રથમ જે અાવીશ તો ગણવેલાં છે* તેમાં (૧) ગતિ (પગ), (૨) ભાષણ (વાચા), (૩) વીર્યોત્સર્ગ (શિશ્ન), (૪) મળોત્સર્ગ (ગુદા), (૫) શિલ્પ (હાથ), એ પાંચ કર્મેન્દ્રિોનાં ફળ છે છે, માટે તેઓનો સમાવેશ તત્ત્વોમાં કરેલ નથી. હવે તત્ત્વોની સંખ્યા આપવાના પ્રયજન વિષે તમે એ પૂછયું તેને ઉત્તર કહું છું. તત્ત્વની યુક્તિ એ પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા સમજાવવા પૂરતી જ છે. શ્રીભગવાન કહે છેઃ મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી એ સાત કારણુતો છે, તથા શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, થ્રાણ. જિહવા, આ પાંચ જ્ઞાનેંદ્રિ; વાણી, હાથ, ઉપસ્થ, પાયું અને પગ એ પાંચ કર્મેન્દ્રિયો; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ પાંચ તન્માત્રાઓ કિંવા વિષયો તથા જ્ઞાન અને ક્રિયાશકિતયુક્ત મન મળી કુલ સોળ વિકારરૂપ તત્ત્વોનું રૂપ ધરનારી પ્રકૃતિ જ સઘળા જડ પદાર્થોનું ઉપાદાન કારણું હોવાથી તે જ આ જગતની ઉત્પત્તિના સમયમાં સઘળાં દેહાદિ આકારને ધારણ કરે છે તે વૃક્ષાંક ૩ જીઓ) તથા પરિણામ રહિત અને નિમિત્ત કારણરૂપ પુરુષ (વૃક્ષાંક ૨) તે કછવશક્તિને લીધે કેવળ સાક્ષીપણાથી જોયા જ કરે છે; આથી પરિણામ પામનારી પ્રકૃતિથી પુરુષ સાવ ભિન્ન છે; એટલું સિદ્ધ કરવાને માટે સઘળા મતમાં તોની સંખ્યા આપવામાં આવેલી હોય છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા અને વિકાર પામનારા મહત્તવાદિ પદાર્થો જ પુરુષના દ્રષ્ટાપણાને લીવે શકિત પામી બને ઐયરૂપ જેવા થઈને પ્રકૃતિના આશ્રયથી અનંત બ્રહ્માંડેને ઉત્પન્ન કરે છે, છતાં પુરુષ તે પિતે તેવી અલગ જ રહે છે. આ બ્રહ્માંડની અંતર્ગત રહેલા હાદિ પદાર્થોમાં પણ ઉપર પ્રમાણેના ગુણે હોય છે જ, તેથી બ્રહ્માંડમાં દશ્યની સંખ્યા અસંખ્ય દેખવામાં આવતી હોવા છતાં તેનો એટલે બ્રહ્માંડમાંના સઘળા પદાર્થોને બ્રહ્માંડમાં જ સમાવેશ થઈ જાય છે. કેટલાકને મતે સાતજ તો છે. તેમાં આકાશાદિ પાંચ મહાભૂતો, તેને દ્રષ્ટા છવ, તથા આ દ્રા અને દૃશ્ય બંનેના આધારભૂત ઈશ્વર મળી સાત ગણવામાં આવે છે. આ મતમાં પ્રકૃતિ, મહત્તવ અને અહંકાર એ કારણુ તત્તવોનો આકાશાદિમાં અંતર્ભાવ કરેલો છે અને બે સાતથી જ દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ આદિ સર્વે કાર્યોની ઉત્પતિ માનેલી છે. કેટલાકના મતે છ તો છે, તેમાં પાંચ મહાભૂત અને એક ઈશ્વર એ પ્રમાણે છ ગણેલાં છે. જે પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર તથા પૃથ્વી આદિ પાંચમહાભૂત મળી નવ, પાંચ જ્ઞાનેંદ્રિય અને પાંચ કઢિયે મળી દશ ઈદ્રિય, શબ્દ, સ્પશાંદિ પાંચ વિષયે મળી ૨૪ ચોવીશ તથા સત્વ, રજ અને તમ એમ ત્રણ ગણે તથા મન મળી કુલ ૨૮ અકાવીરા તો કહાં છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy