SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] દેવ # i વિક્તિ ને મુજાતે I શેન. [ ઉપાસનાકા કિર૦ ૪૦ સાથે મારો વિલય તે સ્વરૂપમાં અનાયાસે જ થઈ જશે; માટે જ્યાં હું' એવો ભાવ નથી એવું અનિર્વચનીય સ્થાન તે જ તારું સાચું સ્વરૂપ છે. આથી આ વમરૂપ “હું” (વૃક્ષાંક ૩) એમ સમજો કે ત્યાં એટલે આત્મામાં જ છે ” એવો ભાવ નથી. આથી તેણે “હું નથી.” “હું નથી,” એવો અધ્યાસ દઢ કરવા માંડ્યો, પરંતુ જો તેણે “હું નથી ” એવું કહેવાને બદલે “હું” નો વિલય કરી નાખ્યો હોત તે સર્વ અનર્થોમાંથી મુક્ત થઈ તે અનિર્વચનીય એવા આત્મપદ(વૃક્ષાંક ૧)ના સ્વાનુભવમાં સ્થિત થઈ પિતે કૃતકૃત્ય બની જાત; પરંતુ તેમ કરવાને બદલે “હું નથી,’ એવું કરવાથી એમ બન્યું કે, જેમ કઈ વસ્તુ પિતાની પાસે જ હોય છતાં જાણે અજાચે તે મારી પાસે નથી એમ કહેવામાં આવે તો તે વસ્તુ તે છે જ અને વળી તે ઉપર નથી’ એવા એક વધુ ભાવનો આરોપ છે. તેમ આમાં પણ એમ બન્યું કે, “હું નથી’ એમ કહેવામાં સાક્ષીભાવ સહ પોતે “હું તો હતો જ, તેમાં વળી “ હું નથી' એવા એક અભાવનો ઉમેરો થયો. એ રીતનો જે નામરૂપ ભાવ એ જ અવ્યક્ત કહેવાય છે (વૃક્ષાંક ૪). અવ્યક્ત દિવા નાહમ અવ્યક્ત તન્ય વૃક્ષાંક ચારની ઉત્પત્તિ તથા પર્યાય સંજ્ઞાઓ : આ રીતે શુદ્ધ “હું અને તેમાંથી થયેલ અશુદ્ધ “હ'ની ઉપત્તિનો ક્રમ આપણું જાણવામાં આવ્યો. હવે આગળને વિસ્તાર શી રીતે થવા પામ્યો તેને વિચાર કરવાની જરૂર છે. ઉપર કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબિંબાત્મક ‘હું' (વૃક્ષાંક ૩)માં હ નથી, એવો જે વિવર્તભાવ ઉત્પન્ન થવા પામ્યા તે કાંઈ સાક્ષી, શુદ્ધ “હું” ઈશ્વર અથવા પુરુષના કોઈ કમ થકી નહિ, પરંતુ કેવળ તેની ઈક્ષણ એટલે દ્રષ્ટવ (દફ) શક્તિ વડે જ ક્ષોભ ઉત્પન્ન થયેલ છે. વ્યવહારમાં જેમ કોઈ કાર્ય નેત્રના ઇશારા વડે જ કરવામાં આવે છે કિંવા ક્રોધ પણ નેત્રના ઇશારા ઉપરથી જ જાણવામાં આવે છે, તેમ આ સાક્ષરૂપ શુદ્ધ “હું” પુરુષ કિવા ઈશ્વરે કેવળ દ્રવશક્તિ વડે જ આ પ્રતિબિંબરૂપ “હુ' વૃક્ષાંક )માં ક્ષોભ એટલે અંદન ઉત્પન્ન કર્યું છે. ઈશ્વરે ફક્ત ઈક્ષણ વડે કાર્ય કરેલું હોવાથી તેને સપના છા કરે છે. એ રીતે .યારે “હું' (અક્ષાંક ૩)માં ક્ષોભ થવા પામે છે, ત્યારે આ ઇક્ષિણશક્તિ૩૫ ઈશ્વર (વૃક્ષાંક ૨) ધમાં કહેવાય છે. કેમ કે તે હું એ ભાવને ધારણ કરનારો બને છે. આથી તે ધમી અને તેણે ધારણ કરેલ “હું ભાવ એ ધર્મ કહેવાય છે. આમ તે જ્યારે હું એવા વિવર્તભાવને ધારણ કરનાર ધર્મવાળો બને છે, ત્યારે તે જ પ્રકૃતિ કિવા માયા કહેવાય છે, કે જે વાસ્તવિક આત્મા (વૃક્ષાંક ૧)માં કદી છે જ નહિ. આ મુજબ માયાના ત્રણ ગુણેમાં ઈશ્વરની કાળરૂ૫ ઈક્ષણ શકિત વડે સૌથી પ્રથમ ભ થવા પામેલ હેવાથી ઈશ્વરને માયપાધિક શબલબ્રહ્મ પણ કહે છે. આ ઈશ્વરની જે ઈક્ષણશક્તિ તે જ ચરાચરને નિયમમાં રાખનારો સર્વભક્ષી કાળ કહેવાય છે. આમ દ્રષ્ટા કિવી ઈશ્વર (રક્ષાંક ૨), એ સર્વજ્ઞાનનો પ્રેરક હોવાથી જ્ઞાનશક્તિરૂપે, તેની ઈલણશક્તિ એ કાળ અને માયા એ દેશ કહેવાય છે તથા માયાના ત્રણ ગુણોમાં સે ભ ઉત્પન્ન થવો તે ક્રિયા કરાય. આ માયા અને તે વડે ઉત્પન્ન થતી તમામ દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ), ઈશ્વરીય ઈક્ષણ શકિતરૂપ કાળના જડબામાંથી કદી પણ છૂટી શકતી નથી. તેણે કરાવી આપેલા નિયમ પ્રમાણે જ તેને ચાલવું પડે છે, તેમાં તે જરા પણ ફેરફાર કરવા કરી શકિતમાન નથી તેથી આ માયા દિવા પ્રકૃતિને નિયતિ પણ કહે છે. આમ માયા એ નિયતિ, તેને નિયમનમાં રાખનારો તે ઈશ્વર અને તેની ઈક્ષણશકિતરૂપ કાળ તે દેવ કહેવાય છે. ધમાં પણ તે (ઈશ્વર)ને જ કહે છે તથા નિયતિ એ ધર્મ બને છે. આ નિયતિમાં ત્રણ ગુણે અને જ્ઞાનશકિન ક્રિયાશકિત, પંદશકિત, મનઃશનિ, દ્રવ્યશક્તિ ઇત્યાદિ વ્યવહારમાં રડલી તમામ શકિતઓ સૂમરૂપે હોય છે. આમ પાણી તથા હિમ(બર)ની જેમ ઈશ્વર કિંવા પુરુષ (વૃક્ષાંક ૨) પોતે જ પોતાની ઈક્ષશકિત વડે પોતામાં માયા, પ્રકતિ અથવા નિયતિરૂ૫ વિવર્તભાવને પામાં તે પોતે જ પ્રથમ પિતાની કાળરૂપ વિાર્તા શકિતરૂપે બની તે દ્વારા પ્રથમતઃ ત્રણ ગુણેમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે; એ જ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોની આ ઉત્પત્તિ સમજે (જુઓ વૃક્ષાંક ૩ના પેટામાંના ૧, ૨, ૩ ભાવો). આ પ્રમાણે ઈશ્વર વા પુરૂની ઈક્ષ કૃશકિત વડે માયા, પ્રકૃતિ, કિવા નિયતિના સત્તા, રજ અને તમ એ ત્રણ ગુણોમાં ક્ષોભ ઉપન્ન થયો છે. સર્વેમાંથી જ્ઞાનશકિત, રજમાંથી અંદશકિત તથા તમોગુમથી દ્રવ્યશકિત એ રીતે ક્ષેભ થવા પામેલ છે. અને તત્પશ્ચાત ગુણે સહ તે ત્રણે શક્તિનું એકરૂપ એવું મિશ્ર શું બન્યું છે. જેમ જેટલા સુવર્ણના દાગીના બનાવવાના હોય તેટલા સેનાની પ્રથમ એક લગડી બનાવવામાં આવે છે, તેમ આ ત્રણું ગુણેનું સમમિત્ર ગાત્મક એવું અવ્યક તત્વ–કે જેને કાર એટલે “હું” નથી, એવી સંજ્ઞા વડે સમજાવેલું છે (જુઓ વૃક્ષાંક ), તે તત્વ બનેલું હોઈ ચરાચર ભાવિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy