SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] જેને ચક્ષુઓ નથી જોઈ શકતાં તે, ને આ બધું જે ચક્ષુઓ વડે જવાય છે તે બ્રહ્યા છે, [૧૧૩ થયેલો હોય એમ ભાસે છે. અર્થાત્ જેમ “મમ” અને તેને જાણનારા “હું' નો અભિન્નભાવ સિદ્ધ થાય છે, તેમ આ “હું' (વૃક્ષાંક ૩) તથા તેને જાણનારા તેના સાક્ષીરૂ૫ શુદ્ધ “હું' (વૃક્ષાંક ૨) ની અભિન્નતા જ સિદ્ધ થાય છે. હવે જે આ શુદ્ધ હું એટલે સાક્ષી (વૃક્ષાંક ૨) છે, એ પણ વાસ્તવિક તો અશુદ્ધ “હું” (વૃક્ષાંક ૩ )નું પ્રાકટ્ય થવાને લીધે જ છે એમ લક્ષ્યાર્થ વડે જાણી શકાય છે, જે ઉપર કહેવામાં આવેલું જ છે; પરંતુ જયાં આ લક્ષ્યાથ સહિત વાચ્યાર્થ દર્શક “હું” ને જ વિલય થાય છે, એવું જે અનિર્વચનીય પદ કે જેને તતકિંવા આત્મા એવી સંજ્ઞા વડે સંબોધવામાં આવે છે (વૃક્ષાંક ૧ જુઓ) તે પદને આ હું' એ વિવર્ત છે. એટલે જે અનિર્વચનીય એવું આમ પદ તે જ આ “હું' રૂપે કહેવાય છે અને આ “હું” તે જ અનિર્વચનીય એવું આત્મપદ છે. આ રીતે “હું” ભાવ અને અનિર્વચનીય ભાવ એ બંનેની અભિન્નતા સિદ્ધ થતાં તેના સાક્ષી ભાવનો વિલય પણ અનાયાસે જ થઈ જાય છે, એટલે જેમ ઘડે ફૂટી જતાંની સાથે તેમાંના આકાશને વિલય મહાકાશમાં અનાયાસે જ થઈ જાય છે તથા મઠનો નાશ થતાં જ તેમાંનું આકાશ મહાકાશમાં મળી જાય છે, તેમ “હું” રૂપી ધર્મ (વૃક્ષાંક ૩) એવો જડભાવ કે જે વાધ્યાર્થથી જાણી શકાય છે, તેને વિલય થતાં જ તેને સાક્ષી તો અનાયાસે જ આત્મસ્વરૂપ બની જાય છે, અને આમ થતાં આકાશ જેમ “હું આકાશ છું,' એમ જાતું નથી કિંવા મને કેાઈ તેવું કહેનારો હશે, એવી તેને ખબર પણ હોતી નથી, તેમ આ “ હું' અને તેના સાક્ષીભાવનો વિલય થતાં આત્મા એવું | નામ પણ તે પદને લાગુ પડી શકતું નહિ હોવાથી તે કરતાં પણ પર એટલે તેને આત્મા અથવા તે પદ અનિર્વચનીય છે એવું કલંક પણ રહેવા નહિ પામે; એટલા માટે તેને પરમ, પરમાત્મા, પુરુષોત્તમ, પરબ્રહ્મ એવી સંજ્ઞા શાસ્ત્રોમાં દર્શાવેલી છે (જુઓ વૃક્ષાંક ૩ ). આ પદની પ્રાપ્તિ એ જ એક સર્વનું ધ્યેય છે. તમામ ભાવોને અંતર્ભાવ અને આ પદમાં જ થાય છે. મેડા વડેલા દરેકને આ સ્થાને જ પહોંચવાનું હોય છે. આ પદ જ સુખ અને શાંતિને મહાસાગર છે. ત્યાં ગયા પછી પ્રકાશને જેમ અંધકારની જાણ હોતી નથી તેમ દુઃખ ક્યાં હશે, કેવું હશે ? ઈત્યાદિ કલપનાને અંશ પણ હેતો નથી; એટલે “હું” (વૃક્ષાંક ૩) એવો વાચ્યાર્થદર્શક ભાવ, સાક્ષી અથવા શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) એ લક્ષ્યાર્થદર્શક ભાવ અને તત, આમ (વૃક્ષાંક ૧) કિંવા અનિર્વચનીય એ ભાવ તત્વાર્થદર્શક છે અને તે કરતાં પણ પર એ પરમાત્મા, પુરુષોત્તમ, પરબ્રહ્મ એ ભાવ સર્વથી પર છે કે જ્યાં આ ત્રણે ભાવ નથી; અનિર્વચનીય પદની પણ પૂર્ણાહુતિ એવું આ “પર' સંજ્ઞાદર્શક થાનક છે ( જુઓ વૃક્ષમાં છે ). આ પદ કેવળ અનુભવાય છે. તે જ આ તત્ત્વાર્થ, લક્ષ્યાર્થી અને વાયાર્થદર્શક હોઈ અભિન્ન એવા એકરૂપે જ છે. આથી જ શાસ્ત્રકારો માયા એટલે કંઈ છે જ નહિ, આત્મામાં કદી માયાની ઉત્પત્તિ થવી શક્ય જ નથી ઇત્યાદિ ક છે. આ રીતે માયનું સ્વરૂપ સમજાયા પછી માયામાંથી વિવક્રમે આગળનો વિસ્તાર શી રીતે થવા પામ્યો, તેને વિચાર કરવામાં સરળતા થશે. કિરણાંશ ૪૦ અવ્યક્ત ભાવની ઉત્પત્તિ વૃક્ષાંક (૪) રચારની સમજૂતી અને પર્યાય સંજ્ઞાઓઃ આત્મા (ક્ષાંક ૧) તે તદ્દન અનિર્વચનીય છે જે ઉપર કહ્યું છે તથા શુદ્ધ બહુ (વક્ષાંક ૨) અને તેનાં પ્રતિબિંબરૂપ હું (વૃક્ષાંક ૩)ની ઉત્પત્તિ વિવર્તા ભાવે શી રીતે થવા પામી, તે પણ ઉપર કહેવામાં આવ્યું છે. આ જડ ધર્મરૂપ “હું' (વૃક્ષાંક ૩)ને પોતે કોણ? પિતાનું સાચું સ્વરૂ૫ શું? પિતાનું ઉત્પત્તિ રસ્થાન કયું? તે જાણવાની ઇચ્છા થવાથી તેણે પોતાના સાક્ષી શુદ્ધ “હું' (વૃક્ષાંક ૨)ને પ્રશ્ન કર્યો કે, હે શુદ્ધ “હું'! હું પોતાને માટે “હું” “હું” એવું જે કહું છું, તે હું કેણ છું? આ હું ૨૫ એવા મારી ઉત્પત્તિનું મૂળ સ્થાનક કયું? તેના પ્રશ્ન ઉપરથી આ શુદ્ધ “હું” (૨ક્ષાંક ૨), પ્રતિબિંબરૂપ “હું” (વૃક્ષાંક ૩) કે જે “હું” તેને “તું” થાય છે, તેને કહે છે કે, તે સ્વનું (4) ૨૫ “હ” ! તું જેને “હું” “હું” એમ કહે છે, તે “હું” તો તવ અહિ એટલે તે” બ્રહ્મ વા આત્મા (વૃક્ષાંક ૧) છે અર્થાત જ્યાં “હું' (વૃક્ષાંક ૨) અને 'તું' (વૃક્ષાંક ૩) એ બંને ભાવ નથી એવું જે અનિર્વચનીય પદ (વૃક્ષાંક ૧) તે જ તું છે. એ જ આત્મપદ હેઈ તે જ તારું સાચું સ્વરૂપ છે. તે ભાવને અનુભવ તે તું જ્યારે આ બહું, હું એવી ફુરણને પણ વિલય કરશે ત્યારે જ થશે, કારણ કે તારે વિલય થતાં હું પોતે પણ તે એટલે આત્મસ્વરૂપ જ બનું છું. તાત્પર્ય કે, “હું' તે તારા (૨ક્ષક ૩ ) સાક્ષી છું તે(વૃક્ષાંક ૧)ને એટલે આત્માને નહિ, તેથી તારે વિલય થશે એટલે તારી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy