SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન 1 તથા જે વ્યક્ત વા દૃશ્ય (સગુણુમાં)જ રત છે તે પણ ધાર અંધકારમાં પ્રવેશે છે. [ પ સાક્ષીભાવના અભ્યાસક્રમ (૪) ચેાથા અભ્યાસક્રમ સાક્ષીભાવના છે. એટલે આ દૃશ્ય જગતમાં હું, તું, તે, આ, મારું, તારું', ત્યાદિ ભાવા વડે જે જે કાંઈ ભાસમાન થાય છે, તે સ મારાથી ભિન્ન હેાઈ હું તેા કેવળ તે સના સાક્ષી છું, આ રીતે પેતે સભાવાથી અલિપ્ત થઇ સને કેવળ સાક્ષી વા દ્રષ્ટાભાવ વડે જોવું. આ ચાર પ્રકારના અભ્યાસક્રમે મુખ્ય છે. તે પૈકી પ્રથમના એ તેા પ્રત્યક્ષ જીવન્મુક્તિના કારણરૂપ હાઈ ત્રીજો પ્રકાર આ બંનેના સમન્વયરૂપ હોવાથી તે પણ સાક્ષાત્ જીવન્મુક્તિનું કારણ છે, તથા ચેાથેા પ્રકાર તેા ક્રમે ક્રમે વિદેહમુક્તિની સ્થિતિ પ્રાપ્ત કરાવી આપે છે...હે રાજન! આ રીતનેા અભ્યાસક્રમ મેં તમાને કહી સંભળાવ્યેા. કિરણાંશ ૨૩ ઉપાસના સિદ્ધ કેમ થતી નથી? રાજા ખેલ્યા : મહાત્મન! આપે કૃપા કરીને અમેને અમૂલ્ય માદન કરાવ્યું છે. હું તે સ સારી રીતે સમજ્યા છુ, પણ એક શંકા એવી થાય છે કે, શાસ્ત્ર અને આપ્તજના પર શ્રદ્ધા રાખીને ઉપાસના કરવાથી પણ તત્કાળ શ્રેયપ્રાપ્તિ થાય છે એમ આપે કહ્યું. તે પછી ઘણા લેાકેા શ્રદ્દા વડે ઉપાસના કરે છે, છતાં તેઓને શ્રેયપ્રાપ્તિ નહિ થતાં આપે કહ્યું તેમ દુરાગ્રહની જ પ્રાપ્તિ કેમ થાય છે? વળી આપે કહેલા આ ઉપાસનાના પ્રકાશ તા અંતિમ ક્રાતિના ઉપાસકને માટે ઉપયેાગી છે. સામાન્ય કાટિના લક્રેને માટે તે આ બધુ... એકરૂપ છે એવું જ્ઞાન થયા વગર જ કેવળ એક રામ કિવા કૃષ્ણ પ્રત્યાદિ દેવતાની ઉપાસના કરા એમ કહેવામાં આવે છે, તે તેમાં શા દોષ છે? વળી કહેનાર ભલે સમજે કે નહિ પરંતુ તે શાસ્ત્રમાન્ય હોવાથી ઉપાસના કરનાર કેમ તરી શકતા નથી ? મદ્ધામાં કમીપણું રાજન! તમેાએ ધા સારા પ્રશ્ન કર્યાં. અંતિમ ઉપાસના કે જ્યાં ઉપાસનાની મર્યાદા જ પરિપૂણ થાય છે, તે રીત મે' તમાને કહી સંભળાવી. હવે તમેા કહે છે કે શ્રદ્ધાથી ગમે તે દેવની ઉપાસના કરનાર પણુ તરી શકે છે, છતાં તેએ અધેતિમાં કેમ પડે છે? તેનું કારણ સાંભળેા. સામાન્યતઃ મનુષ્યને સ્વભાવ જ સંશયી અને ચિકિત્સક છે. એવા સાચા શ્રદ્ધાળુઓ તેા ભાગ્યે જ મળે છે કે તેઓ પૂણુ શ્રદ્ધા વડે પેાતાના દેવમાં સર્વાત્મભાવ રાખીને ઉપાસના કરે. અને તેવા ઉપાસકને તે। કાઈ મંત્ર આપવાની પણુ જરૂર હોતી નથી. તેઓ પરમ શ્રદ્ધાથી કાઈ પણ સ્થળે, દ્વેષબુદ્ધિ નહિ રાખતાં તેમ જ કોઈ ને પણ મેાટા અથવા નાનેા નહિ ગણતાં પેાતાના ઇષ્ટદેવ વિના ખીજું કઈ પણ છે જ નહિ એવી રીતે અખંડ એકધારી ઊપાસના છેવઢ સુધી દૃઢ નિશ્ચય વડે ચલાવે છે અને તે અ ંતે શ્રેયની પ્રાપ્તિ પણ કરી શકે છે. અગાઉ આપેલ રાજા અને ગેાવાળના ઉદાહરણુ ઉપરથી એ જ વાત સિદ્ધ થાય છે (કિરણુાંશ ૧૪ જુએ ). ગેાવાળ તેા મંત્ર પણ જાણુતા ન હતા. તેણે તેા ફક્ત પેાતાથી શકય એવા ઉપચારાથી શુદ્ધ અ'તઃકરણ અને નિળ ભાવના વડે શિવપૂજન કર્યું" હતું, જે શાસ્રષ્ટિએ તેા અશુદ્ધ પણુ કહી શકાય; પરંતુ ઈશ્વરપ્રાપ્તિમાં કેવળ શાસ્ર કરતાં શુદ્ધ ભાવનાનું જ મહત્ત્વ વધુ હોય છે. તે વાત તે। શાસ્ત્રમાં આવતાં ઘણાં ઉદાહરણા ઉપરથી પશુ સિદ્ધ થાય છે. પરંતુ આવા પ્રકારના સાચા શ્રદ્ધાળુએ કવચિત જ હેાય છે. જગતમાં ધણા માટેા વગ તા ચિકિત્સ ઢાય છે. તેમાં કાઈ થેાડી, કાઈ વધુ ચિકિત્સા કરે એટલું જ. પણ આ પ્રમાણે ચિકિત્સા કરવી એ સર્વસામાન્ય રીતે મનુષ્યસ્વભાવ જ છે. પ્રથમતઃ તેા વિષયેાના પાશમાંથી આ માર્ગે વળનારા વગ હજારામાં એક એવી સખ્યા વડે ગણી શકાય તેમ છે. તેમાં પણ મેાા ભાગ કાઈ દુઃખથી પીડાતા હાય અને વ્યહવારનાં સવ સાધના કરી ચૂકે છતાં જ્યારે તેમાં હતાશ ખતે છે, ત્યારે આ માર્ગે વળે છે. આા ભાગ ખાદ કરતાં જે બાકી રહે તેવાઓમાં વ્યાવહારિક સ્વાર્થની દષ્ટિએ ઉપાસના કરનારાઓનું પ્રમાણુ મારું હેાય છે. તે જતાં જે બાકી રહે તેમાં પણું-શ્વિરપ્રાપ્તિથી જ સુખ મળે છે, એવું સમજીને ઉપાસના કરનારા જિજ્ઞાસુવનું પ્રમાણુ વધુ હોય છે, તથા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy