SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે જીવન્મુક્ત થઈ કર્મો કરવા સે। વતુ પૂર્ણ આયુષ્ય જીવવાને ક્ચ્છવું. [૧૫ ગુણાધાન પરિણામે નિરક જ છે ઉપર કહેવામાં આવેલાં લૌકિક અને વૈદિક ગુણાધાન જે સિદ્ધિની આશાએ કરવામાં આવે છે તે સિદ્ધિ પરિણામે મેળવી જ શકાય છે, એવા કેાઈ વ્યવહારમાં નિયમ જોવામાં આવતા નથી. કેમ કે અનેક ગાયકા અને પ્રાધ્યાપકા કંઠે સુસ્વર થવાને માટે અનેકવિધ પ્રયત્ન કરવા છતાં પણ સુવરતા મેળવી શકતા નથી, પુષ્ટિકારક ઔષધાથી મુલાયમ સ્પર્શી અને અંગની પુષ્ટતા થાય જ છે, એવા પણ કાંઈ નિયમ જણાતા નથી, તેમ જ લાવણ્યને માટે પ્રયત્ન કરવા છતાં પણ કાંઈ દેહમાં લાવણ્ય અથવા સુગંધ લાવી શકાય છે એમ પણ નથી. કેમ કે સુગ'ધ તા અત્તર અને પુષ્પાદિ માળાને લીધે તથા લાવણ્ય વસ્ત્રો અને અલકારેને લીધે જોવામાં આવે છે, નહિ કે તે દેહમાં સ્વાભાવિક હોય છે. માળા, વસ્ત્રો અને અલકારાદિ કાઢી નાંખ્યા પછી શરીર તે પાછુ જેવું ને તેવું મિલન અને દુધાળું જ હોય છે. એટલા માટે દરેક શાસ્ત્ર પેાકાર કરી કરીને કહે છે કે માંસ, લેાહા, પરુ, વિષ્ટા, મૂત્ર, સ્નાયુ, મજ્જા અને હાડકાંના પિંજરા ઉપર ચામડીથી મઢેલા આ દેહને વિષે પણ જો કાઈ મૂઢને પ્રીતિ થવા પામે તે તેને વિષ્ટા યા નરકને વિષે પણ અવશ્ય પ્રીતિ થાય એ વાત નિઃશંક રીતે સિદ્ધ થાય છે. આમ મનુષ્યોને જો પાતાના દેહની અપવિત્રતા અને દુધ આદિ હંમેશ અનુભવમાં આવતાં હેવા છતાં તે થકી વૈરાગ્ય નહિ ઉપજે તે તેને ખીજા કાઈ પણ સાધને વૈરાગ્ય ઉપજાવવામાં સમ થઈ શકે તેમ નથી. કદાચ એમ કહેવામાં આવે કે લૌકિક ગુણાધાન થકી સિદ્ધિ થતી ન હોય પણ ગંગાદિ તીર્થાંમાં સ્નાન કરવું, ચરણામૃત લેવું ત્યાદિ શાસ્ત્રમાં કહેલાં વૈદિકયા શાસ્ત્રીય ગુણાધાનથી તે સિદ્ધિ થશે ને? તે તેમ પણ નથી. કારણ કે એ વૈદિક કિવા શાસ્ત્રીય ગુણાધાન પણ તે તે કરતાં પ્રબળ એવાં શાસ્ત્રવચનથી ખાધને પામે છે. જેમકે ક્રાઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. એ વેદ વચનેાના બાધ હિંસા કર્યાં વગર ચાલતું જ ન ાય તેા અગ્નિષ્ટોમ નામના યજ્ઞમાં પશુને લિ આપવા, એ રીતનાંવેદનાં નિયમવાકયેાના અપવાદથી થઈ શકે છે. તેમ ગંગાદિ તીર્થોમાં સ્નાન કરવું કિંવા ચરણામૃત લેવું એ શાસ્ત્રીય ગુણાધાનને, હંમેશાં એક આત્માકાર ત્તિ જ રાખવી, અંતઃકરણમાં આત્માવ્યતિરિક્ત ખીજી કાઈ પણ ભાવના ઊડવા નહિ દેવી તે એ, એ પ્રકારના વેદનાં વિધિવાકયાથી ખાધ થાય છે. અર્થાત્ લૌકિક અને વૈદિક એ બન્ને પ્રકારનાં ગુણાધાને પરિણામે નિરંક જ નીવડે છે. રુહને આત્મા કહેનારા નર પશુ છે ? ગીતાાહન વાત, પિત્ત અને કફ્ એ ત્રણ વિકારા અને માંસ, માદિ સાત ધાતુઓના બનેલા આ મડદારૂપ દેહમાં જેતે દેહ એટલે જ હું છું એવી આત્મબુદ્ધિ હોય છે, પત્નિ અને પુત્ર આદિના દેહાદિમાં જેને પેાતાપણાની ભાવના હોય જેને પૃથ્વીના વિકારરૂપ લરા વગેરે પદાર્થોમાં પૂજ્ય મુદ્દિ હેાય અને જેને જલાદિથી દેહને પવિત્ર કરી શકાય છે તથા તીર્થાદિથી દેહશુદ્ધિ થાય છે એવી તે પ્રત્યે ભાવના હાય છે, પરંતુ દેહથ શુદ્ધ આત્મા કિવા આત્મન એવા જીવન્મુક્ત મહાપુરુષાને વિષે જેને કાઇ પણ સમયે આત્મત્વની ભાવના અથવા પૂજ્ય બુદ્ધિ હોતી નથી તે મનુષ્ય ખરેખર બળદ અથવા ગધેડે જ છે એમ જાણુવું. આ રીતે દેહ તે અતિમલિન હાઈ દેહસ્થ આત્મા જ અત્યંત નિર્મળ, શુદ્ધ અને પવિત્ર છે. આ રીતે તે બન્નેનું અંતર જાણ્યા પછી ક્રાની શુદ્ધિને માટે પ્રયત્ન કરવા જોઈ એ તેનેા બુદ્ધિમાને સારાસાર વિયુક્ત વિચાર કરવા અત્યાવશ્યક છે. છતાં જેએ એ વિચાર કરતા નથી તેવાને નરપશુ જ જાણુવા. ગુણાધાન ત્યાજ્ય કેમ ? કદાચ એમ કહેવામાં આવે કે ઉપર કહેલા દેહાદિ શુદ્ધિ વગેરે પ્રમાણેા તથા શાસ્ત્રવચનેથી દાણાપનયનને નિષેધ સૂચવાયા છે; પરતુ તે થકી કઈ ગુણાધાનના નિષેધ થતા નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે જ્યાં સુધી દેહ એટલે જ છું એવું દેહાત્મત્વ તથા દેષાપનયનાદિ દોષાનું પ્રખળત્વ હોય છે ત્યાં સુધી ગુણાધાનને નિષેધ અશક્ય બને છે તેથી તે દેાષા નીકળી જતાં જ શુદ્ધ એવા આત્મામાં ગુણાષાનાદિ જેવા મલિન દાષા પણ વિરાધાત્મક હોઈ તે તદ્દન ત્યાજ્ય ઠરે છે, એ બિલકુલ સ્પષ્ટ છે. આ દૃષ્ટિએ જ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy