SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જીજીબાઈએ કહ્યું, “તમારો પ્રિય પુત્ર અવસાન પામ્યો તેમ છતાં તમને આંસુ નથી આવતાં ? કેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા નથી ?” તુકારામે કહ્યું – “રે મેરે દાનવોદી, ગાતાં હું સોના સારી” આવા તો મારા કોટાનકોટિ(કરોડો) જન્મોમાં પુત્રજન્મ લઈને મૃત્યુ પામ્યા. એ પ્રમાણે આ પણ મૃત્યુ પામ્યો. તેથી હું આગલા જન્મના પુત્રના વિયોગ માટે રુદન કરું કે આના માટે આક્રંદ કરું? કોના માટે રહું ?” રૂંવે રૂંવે ઈશ્વરશ્રદ્ધા હોય, તેનું આ જ્વલંત ઉદાહરણ છે. ખરો ઈશ્વરભક્ત દુઃખ અને સંકટના સમયે પણ ઈશ્વરશ્રદ્ધા છોડતો નથી. તે એ જ વિચારે છે – વિષ વિસ્મરણં તથ, સમૂહું સંભાળ્યું પ્રપોઃ ” પરમાત્માનું વિસ્મરણ થવું એ વિપત્તિ છે અને પરમાત્માનું સતત સ્મરણ થવું એ સંપત્તિ છે.” દઢ ઈશ્વરશ્રદ્ધા ધરાવનારી નારીનો એનો એક પુત્ર મૃત્યુ પામ્યો. તેના મન પર પુત્રવિયોગની ઘેરી અસર થઈ. પરંતુ બીજી જ ક્ષણે એને ઈશ્વરનું સ્મરણ થયું. એણે વિચાર્યું – “ભગવાન મારી કસોટી કરે છે કે મને ઈશ્વર પર પ્રેમ છે કે મારા પુત્ર પર ? આ દુઃખ એ દુઃખ નથી, પણ ઈશ્વરનો પ્રસાદ છે.” તે ઈશ્વરભક્ત નારીએ પોતાના પતિને, ઘરનાં સ્વજનોને અને પડોશીઓને સાંત્વના આપી. અપૂર્વ શાંતિ તથા સમભાવથી પુત્રવિયોગનું દુઃખ સહન કર્યું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારી વ્યક્તિ પહેલાં તો એ વિચારે છે કે આ દુઃખ, વિપત્તિ કે સંકટ મારા જ કોઈ પૂર્વજન્મનાં અશુભ કર્મોનું ફળ છે. એક શાહુકારની જેમ મારે આ દેવું હસી હસીને ચૂકવવું જોઈએ. આ સંકટોને સમભાવપૂર્વક સહન કરવો જોઈએ. જો તે આપત્તિ અને આફતને સહન કરવામાં તેનું આત્મબળ ઓછું પડે તો તે પરમાત્માને પ્રાર્થના કરે છે કે – “ગાવોદિતામં સમાવિમુત્તમં હિંતુ ! સિટી સિદ્ધિ મમ વિસંત ” રત્નત્રયીનાં અજવાળાં. ૧૮ ક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy