SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તથા તેના ધર્મપ્રસારના કાર્યમાં સહયોગ વગેરે બધી જ બાબતે ગુણપૂજામાં જ સમાવેશ પામે છે. આથી “ઉત્તર–રામચરિતમાં સીતા અંગે અરુંધતીએ કહ્યું: “TTr: પૂનાથાનં જીજુ ન ઢિ ન વયઃ ” “ગુણીજનેમાં ગુણ જ પૂજાનું કારણ છે. લિંગ કે વય પૂજાનાં કારણ નથી.” જેમ ધર્મિષ્ઠમાં ધર્મ વસે છે, તે જ રીતે ગુણીજનમાં ગુણ વસે છે. તે પછી આપણે ગુણે પ્રત્યે વિનય દાખવીએ પણ ગુણોના ધામ-ગુણવાન-તરફ વિનય ન દાખવીએ, તે કેટલું યોગ્ય ગણાય? કેટલાક લે કે એમ કહે છે કે ગુણવાન પુરુષોમાં કેટલાક દેશે પણ હોય છે. આથી જ્યારે આપણે ગુણવાન પ્રત્યે વિનય રાખીએ છીએ તે ગુણની સાથે સાથે તેના દોષનું પણ સમર્થન થઈ જાય છે, પણ આ તકે અસંગત છે. કોઈનગરનાં બાગબગીચા, સુંદર ઇમારતે, વિદ્યાલય તથા ઉદ્યોગ-મંદિરને જોઈને તે નગરની પ્રસંશા કરે છે, તેમાં તે નગરમાં રહેલી ગંદા પાણીની ગટરનું સમર્થન હેતું નથી. કેઈપણ વસ્તુના સમર્થનને આધાર તેના સમર્થકની ભાવના પર નિર્ભર છે. જે તેની ભાવના કેઈ ધનવાન વ્યક્તિના ગુણે જોઈ, એ ગુણનું જ સમર્થન કરવાની હોય તે તેમાં તેનામાં રહેલા દોષોનું સમર્થન નહિ થાય, પણ જે ગુણોની દષ્ટિએ સમર્થન કર્યું હશે, તે જ ગુણોનું સમર્થન કર્યું કહેવાશે. જૈનધર્મને અનેકાન્તવાદ સાપેક્ષ દષ્ટિથી કઈ પણ વસ્તુમાં રહેલા ધર્મ(સત્ય)ને ગ્રહણ કરવાનું કહે છે, આથી અમુક ગુણની અપેક્ષાએ જ તે ગુણનું સમર્થન કરવું એ સિદ્ધાંત-સંમત છે. જેવી રીતે અરિહન્તના ગુણોની અપેક્ષાએ અરિ. હતને વિનય તેમનું સમર્થન છે, સાધુના ગુણોની અપેક્ષાએ સાધુને વિનય ગુણ-સાપેક્ષ છે. કેઈ સાધુમાં કેઈ દોષ હોય તો તે સાધુ પ્રત્યે વિનય રાખવાની ભાવના તે દેષનું સમર્થન કરવાની ન હોય, તે પછી દેષનું સમર્થન કર્યું કેવી રીતે કહેવાય? આવી રીતે કેટલાક લોકે એમ પણ કહે છે કે આ ઝંઝટમાં ન પડતાં આપણે સાચા ગુણોને વિનય કરવો જોઈએ; ગુણવાનને ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy