SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય નહીં. પરંતુ આ લેકે એ ભૂલી જાય છે કે લેકે કઈ વ્યક્તિમાં રહેલા ગુણ પ્રત્યે જ વિનય રાખશે કે પછી માત્ર તે ગુણનું જ નામ લખીને જ વિનય કરશે? ગુણનું હોવું એટલે કોઈને કોઈ વ્યક્તિમાં એનું હોવું કહેવાય, ગુણનું એકલું અસ્તિત્વ ન હોઈ શકે. કારણ કે, “વાર્થ સૂત્રના " વ્યાશ્રયા નિળr Tr: આ સૂત્ર અનુસાર ગુણ પોતે જ સ્વયં નિર્ગુણ-નિરાકાર હોય છે, તે કઈ ને કઈ દ્રવ્યને આશ્રિત બનીને રહ્યો હોય છે. ગુણોની અભિવ્યક્તિ પણ કોઈ ને કોઈ ચેતનાશીલ પ્રાણ દ્વારા થાય જ છે. એ વિના અમૂર્ત ગુણને ઓળખો પણ મુશ્કેલ છે. ગુણવાન પ્રત્યે વિનય ગુણપૂજક જૈન ધર્મ ગુણની સાથે સાથે ગુણવાન પુરુષ પ્રત્યેના વિનયને પણ સ્પષ્ટપણે બતાવ્યા છે. કેવળ ગુણ પ્રત્યે જ વિનય રાખવાથી કે માત્ર ગુણેને જ અપનાવવાથી જ્યારે પણ સંકટ આવે, ભય લાગે, પ્રલેભન આવે અથવા તે કેઈ વિકટ સમસ્યા આવે ત્યારે ઉપરના ગુણે(જેને તે વિનય રાખે છે) પર ટકી રહેવાની પ્રેરણા કે પ્રોત્સાહન કેવી રીતે મળશે? તે તે ગુણવાન પુરુષ પ્રત્યે વિનય રાખવાથી જ સાંપડે. ભલે, તે ગુણવાન પુરુષ વર્તમાન સમયમાં આપણને દૃષ્ટિગોચર ન હોય, પરોક્ષ હોય, તેમ છતાં તેમના તરફ દાખવેલ શ્રદ્ધાપૂર્ણ વિનય આપણને તેમને ગણેનું સ્મરણ કરાવશે અને વિકટ સમયમાં તે ગુણમાં દઢ રહેવાનું બળ આપશે. આપણને જ નહીં પણ બીજા લોકોને પણ આપણા દ્વારા તે ગુણવાન પુરુષ પ્રત્યેને વિનય પિતાના જીવનમાં અપનાવવાની પ્રેરણું આપશે. એટલું જ નહીં પણ જેન ધર્મે તે ગુણવૃદ્ધિ કે ગુણવિકાસ કરવામાં જે જે મહાનિમિત્ત છે, તેને પણ વિનય કરવાની વાત કરી છે. નંદીસૂત્રમાં કહ્યું છે સંj THવ વં” “ગુણની ખાણ એવા શ્રીસંઘને હું વંદન કરું છું.” :: વિનયના વિવિધ પ્રકાર
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy