SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કહે, તે અપરાધી વ્યક્તિની શુદ્ધિ કાં તે અપમાનિત કે ગાળ—પીડિત વ્યક્તિના વિનય(તપ) કરીને ક્ષમાયાચના દ્વારા થાય અથવા તેા તે માટે ઉપવાસાદિ તપ કરવાથી થાય. જે વ્યક્તિએ કાઈ વ્યક્તિને પાળી પોષીને મોટી કરી હેલ્થ અને અને પછી મેાટી થયા ખાદ તે વ્યક્તિ પેલા પિતાતુલ્ય પુરુષની ઉપેક્ષા કરતી હાય કે તેને હેરાન કરતી હાય તે તે અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તરૂપે વૈયાવૃત્ય તપ કે બ્યુત્સગ તપ કે ઉપવાસાદિ તપ કરવાનુ કહેવામાં આવે છે. છેદાહ પ્રાયશ્ચિત્ત તપથી પણ દૂર ન થાય તેવા મેટા દોષ સમયે સાધુના દીક્ષા-પર્યાયને છેદ કરવામાં આવે છે; જેમ કે, કેાઈ સાધુ દસ વર્ષથી દીક્ષિત હાય, તેનાથી કોઈ મેટા અપરાધ થઈ જવાથી તેની દીક્ષાની અવિધમાંથી એક મહિનાના ચાર મહિનાની કે છ મહિનાની અવધિ કે કેટલાક દિવસે કાઢી નાખવામાં આવે છે. દીક્ષા-પર્યાયની અવધિમાંથી જેટલે સમય કાપવામાં આવે છે તેટલેા જ તે સાધુ દીક્ષામાં નાને માનવામાં આવે છે. જો તેના પછી કાઈ સાધુ દીક્ષિત થાય તે તે સાધુને છેદ-પ્રાયશ્ચિત્ત મળ્યા પછી દીક્ષિત સાધુ તેના પૂદીક્ષિત સાધુને વંદના કરે છે. જેવી રીતે પાનના ટાપલામાં કોઈ પાન સડેલાં હાય તે। પાન-વાળા એને કાતરથી કાપીને ફેંકી દે છે, તે જ રીતે છેદાહ પ્રાયશ્ચિત્તમાં દીક્ષાની અવધિ કાપી નાખવામાં આવે છે, જેમ કેાઈ રાગીના પગ. અડધા કે આખા સડેલા હાય અને તેનાથી તેના આખા શરીરમાં ઝેર ફેલાઈ જવાના ભય હાય તેા આપરેશન કરનાર ડૉકટર પગના તે ભાગ અથવા તે આખા પગ કાપી નાખે છે, આ રીતે મેટા અપરાધ કરનાર સાધુના દીક્ષાછેદ કરવામાં આવે છે. ગૃહસ્થ સમાજમાં ઘાર અપરાધથી દૂષિત વ્યક્તિની પ્રતિષ્ઠા પર આઘાત તેને અમુક સમય સુધી એવા સ્થાને જવાનેા દડ કરવામાં આવે છે. કરવામાં આવે છે 75 હા પસ્તાવા ! વિપુલ ઝરણું
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy