SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા પશ્ચાત્તાપયુક્ત પ્રતિક્રમણ કરે એટલાર્થી દેષશુદ્ધિ કે પેલી . વ્યક્તિ(જેની વસ્તુની ચેરી કે નુકસાન થયું હેય)ના મનનું સમાધાન નહીં થાય. આથી તેની શુદ્ધિ કે પેલી વ્યક્તિના મનનું સમાધાન તેની ખોટ ભરપાઈ કરવાથી જ થશે. આને અર્થ એ કે કઈ વ્યક્તિની વસ્તુ કે ધનની હાનિ થઈ હોય, તેની શુદ્ધિ રૂપે તેના બદલામાં પિતાની કઈ વસ્તુને જેનાથી પેલી વ્યક્તિને સંતોષ કે સમાધાન થાય) વ્યુત્સર્ગ કરે એ જ વ્યુત્સર્સાહ પ્રાયશ્ચિત્ત કહેવાય. આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાની બીજી રીત પણ છે અને તે ઘણી ગ્ય પણ છે. જે વસ્તુના સંબંધમાં દેષ થયે હેય તેને જીવનભર સર્વથા ત્યાગ કરે અથવા છોડી દેવી તેને વ્યુત્સર્ગોહ પ્રાયશ્ચિત્ત કહે છે. કોઈ વ્યક્તિએ ભાંગ પીધી હોય. પાછળથી તેને પસ્તા થાય તે એના માટે પ્રાયશ્ચિત્ત એ આપવામાં આવ્યું કે આજ પછી કયારેય ભાંગ નહીં પીવાની. ભાંગ પીવાને સદાને માટે ત્યાગ કરે તે જ તેના માટે વ્યુત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત થયું કહેવાય. કેટલાક ટીકાકાર અને કાર્યોત્સર્ગાતું પ્રાયશ્ચિત્ત પણ કહે છે અને તેને અર્થ એમ કરે છે કે જે દોષ ફક્ત કાર્યોત્સર્ગ કરવા માત્રથી જ દૂર થઈ જાય, તે કાયોત્સર્ગી પ્રાયશ્ચિત્ત છે. કેટલાય એવા દો હોય કે જેનું આલેચના પ્રતિકમણાદિમાં નિવારણ કરવું રહી ગયું હોય, તે સ્થૂળ કે સૂક્ષ્મ દોષના નિવારણ માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે, એવું પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગોહે પ્રાયશ્ચિત્ત છે. જે કામ, ચેષ્ટા વગેરેનો નિષેધ છે, તેને નિરોધ કરીને ધ્યેયવસ્તુ કે શુભ યેગમાં તેને લીન કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે તે વ્યુત્સર્ગી પ્રાયશ્ચિત્ત છે. તપસ્યાહું પ્રાયશ્ચિત્ત - જે દોષની શુદ્ધિ કઈ બાહ્ય કે આભ્યન્તર તપથી થાય તે તપસ્યાઈ પ્રાયશ્ચિત્ત છે. જેમ કોઈ કોઈનું અપમાન કરે કે અપશબ્દો ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy