SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વિકથા અને ધર્મકથા ધર્મકથા કરનારે વિકથાથી સાવધ રહેવું જોઈએ. જે કથાથી અધર્મની પ્રાપ્તિ થાય તે વિકથા. સંયમમાં બાધક એવી ચારિત્ર્ય વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ કથાને પણ વિકથા કહેવામાં આવે છે. વેર-વિરોધ વધે, કલહ જાગે, ચારિત્ર્યમાં શિથિલતા આવે, ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ વધે, સંયમમાં અવરોધરૂપ બને કે પછી દુર્ગતિનું કારણ બને તેવી કથા પણ વિકથા છે. શાસ્ત્રમાં પાંચ પ્રમાદની વાત કરવામાં આવી છે. આ પ્રમાદને પરિણામે જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતું રહે છે. આ પાંચ પ્રમાદ છે : મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. અહીં પ્રમાદના પાંચમા ભેદને વિશેષે વિચાર કરે છે. પ્રમાદી વ્યક્તિ રાગ અને દ્વેષને અથવા તે રાગદ્વેષના બહોળા કુટુંબને વશ બનીને જે વચન કહે તે વિકથા કહેવાય છે. 226 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy