SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. વૈદિક ધર્મની ભાષામાં એમને જીવનમુક્ત (સદેહમુક્ત) અવતારી, ધમ (તી)સંસ્થાપક કહેવામાં આવે છે. તે અઢાર દોષ રહિત અને ખાર ગુણ સહિત હાય છે. બધા તીર્થંકર ચેાત્રીસ અતિશય, પાંત્રીસ ગુણુ તથા માર પ્રકારના પરિષહુથી મુક્ત હેાય છે. આ કર્માંમાંથી તેઓ ચાર ઘાતી કર્માં (જેનાથી આત્માના ગુણાને સીધા જ ઘાત થાય છે તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય)ને સથા ક્ષય કરી દે છે. બાકીનાં ચાર અઘાતી કર્મા(જે શરીરથી સબંધિત છે, આત્મગુણાના સીધા ઘાત નથી કરતાં તે–વેદનીય, નામ, ગેાત્ર અને આયુક) રહી જાય છે એ આ શરીરના અવસાન સુધી જ રહે છે. આ જન્મના શરીરના અવસાનની સાથે જ બાકીનાં ચારેય કર્માં સર્વથા નાશ પામે છે અને તેઓ નિરંજન, નિરાકાર, સિદ્ધ-બુદ્ધ બની જાય છે. પછી ક્રીથી જન્મ-મરણ થતાં નથી. જૈન ધર્મ ગુણના પૂજક હાવાથી, એમાં નામભેદ હાવાથી વિનયમાં કોઈ ભેદ હાતા નથી. આચાય હેમચંદ્રે આથી આ રીતે સ્તુતિ કરી છે ઃ " भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरेरा जिना वा नमस्तस्मै ॥ यत्र यत्र समये योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् एक एव भगवन्नमोऽस्तु ते ॥" “જેમના સંસારરૂપી ખીજ(કર્મરૂપી)અંકુરને પેદા કરનારા રાગદ્વેષ વગેરે નાશ પામ્યા છે, તેમનાં નામ ભલે બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, મહાદેવ હાય અથવા જિન હાય, તેમને મારા નમસ્કાર છે, જે જે સમયમાં જે જે મહાપુરુષો જે જે નામથી થયા છે તે જો રાગદ્વેષ વગેરે દોષોથી રહિત હાય તા એક જ છે અને તેવા ભગવાનને મારા નમસ્કાર છે.” આ રીતે કાઈ નામના તીર્થંકર હાય, પણ તેમના પ્રત્યે つ પૂર્ણ શ્રદ્ધા રાખવી, તેમની આશાતના ન કરવી, તેમનું બહુમાન કરવું, તેમના ગુણા ગાવા તથા તેમની ભક્તિ કરવી એ તેમના વિનય છે. 102 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy