SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. સુધી રાજ્ય કરનાર, પાંચસા ધનુષ્ય જેટલી ઊંચાઈના દેહ ધરાવનાર અને આયુષ્યને અંતે શિવસુંદરીને વરનાર, મેાક્ષપદ પામનાર એવા શ્રી ઋષભદેવની હોડ કાણ કરી શકે? એમના નામ માત્રના સ્મરણથી નવનિધિ સુખ પ્રાપ્ત થાય છે અને વિઘ્ન ટળી જાય છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૬૩) નકર-નગર; કદ્રપ–કામદેવ; નહિ–રાજા; ભાવ–દુઃખ, સંકટ; પરિમાડે છે-પ્રતિખેાધે છે, ઉપદેશ આપે છે; વલ-વત્સલ. આ સ્વતનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનના પરિચય આપ્યા. છે. એમની સુંદર ખ્ખી શેલે છે અને એમની ગગાજળ જેવી ગંભીર કીર્તિ ગાજે છે. ગજપુર નગરમાં જન્મનાર, વિશ્વસેન રાજા અને અચિરા રાણીના પુત્ર, કામદેવને જીતનાર, ચાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ ધારણ કરનાર, વ્રત લઇ કેવળજ્ઞાન પામનાર એવા પ્રભુની દેશના અને એમની ભકતવત્સલતા ભકતજનાને ભવસાગરના જલમાં ડૂબતાં ખચાવી પાર ઉતારે છે. શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૬૪) ગારડી–સ્રી; ઉકિત. આ સ્તવનમાં આરંભની ત્રણ કડીમાં કવિએ રાજીલની વણુવી છે. રાજીલ કહે છે કે હું પિયુ ! તમે માની જાવ છે કે નહિ? તમે મને છોડીને ક્રમ ચાલ્યા ગયા ? જગતમાં કહેવાય છે કે સરખા સરખીની જોડ હૈાય છે. હું તમારી સેવક છુ, ગુણવંતી નારી છું. હું નિર્ગુ ણુ કેમ હેાઈ શકુ? તેમ છતાં તમે મારી સામે ક્રમ લગારે જોતા નથી ? ” પરંતુ પછીથી તે રાજુલે પોતાના મનને વૈરાગ્ય તરફ વાળી લીધું અને એણે સંયમ વ્રત ધારણ કર્યું. એ પછી તે પોતાના પિયુ કરતાં પોતે પહેલી જાય છે પોતાની બહેની શિવસુંદરીને મળવા.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy