SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમનીકાવ્ય-પ્રસા દી. ઉ॰ યશાવિજયજી, શ્રી જ્ઞાનવિમળસૂરિજી, તથા શ્રી જ્ઞાનસારજીએ બાળાવમેાધ કર્યાં છે, જેથી આપણને તેમના વૈરાગ્યવાસિત કાર્વ્યાનું પાન સરળતાથી કરી શકીએ. એવા મહાકવિ શ્રી આનંદધનજીના પદોની કુલ સંખ્યા ૧૦૮ છે. તે વાંચતા કે સાંભળતાં અદ્ભુત આહ્લાદ પેદા થાય છે. મનને થાક ઊતરી જાય છે. મૈં ચિત્ત પ્રસન્ન પામે છે. સમર્થ વ્યાખ્યાન કરનારાના વ્યાખ્યાન સાંભળવાથી જે શાંતિ ને વૈરાગ્ય પેદા થાય તેવા મેધ શ્રી આનંદ ધનજીની એક સીધી સાદી અને સચોટ કાવ્યપ તિથી થાય છે. આવા મહાન ગીતાથ યાગીશ્વર અધ્યાત્મજ્ઞાની શ્રી આન ધનજીને ભૂરિ ભુરિ વન હા. શ્રી કુખીરનાં પદે, શ્રી મીરાંબાઇના ભજને લેાકાને સાંભળવાનું મન થાય છે. તેથી વિશેષ આનંદ શ્રી આનંદધનજીના પદેથી આત્માને થાય એ નિર્વિવાદ છે, સજ્જતા અને કાવ્ય રસિકા તેનુ જરૂર પાન કરશે તેઓશ્રીને ઉશ્રી યશવિજયજી સાથે મેડતા શહેરમાં મેળાપ થયા હતા, ને ઉપાધ્યાયજીએ શ્રી આન ધનજી માટે અષ્ટપદી રચી હતી. જે વાંચતાં ઉપાધાયનું આનધનજી તરનું કેવું બહુમાન હતું તે જણાઇ આવે છે. એક વખતે મેડતામાં ઉપાધ્યાયજીના વ્યાખ્યાનની પ્રશંસા સાંભળી પાતે ઉપાધ્યાયજીના વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને તેઓશ્રી ઉપાધ્યાયજીની વ્યાખ્યાન કળાથી બહુ આનંદ પામ્યા અને ઉપાધ્યાયજીની વિનતિથી પેતે પણ વ્યાખ્યાન આપ્યું. જેની અસર ઉપાધ્યાયજી પર બહુ સુંદર થઇ. અત્રે તેઓના પાંચ સ્તવના તથા સાત પો આપ્યા છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy