________________
સંપાદકની સંવેદના....
આ ગ્રંથનું નામ છે શ્રી ઋષિમંડલસ્તવપ્રકરણ !
શ્રી ઋષિમંડલ સ્તોત્ર જુદું અને આ પ્રકરણ જુદું. એ સ્તોત્રના રચયિતા કહેવાય છે શ્રી ગૌતમસ્વામી મહારાજા.
આ પ્રકરણના રચયિતા છે તપાગચ્છાધિપતિશ્રી ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજાના અજ્ઞાતનામ શિષ્યરત્ન.
આપ્રકરણની અંદર, આ ચોવીશીમાં એટલે કે ચોવીશે તીર્થપતિઓના શાસનમાં થયેલ અનેક-અનેક ઋષિઓ-મહર્ષિઓ- પરમર્ષિઓના ઉત્તમ અવદાતોનો ઉલ્લેખ કરવાપૂર્વક તે તે મહાત્માઓ જય પામો- તે તે મહર્ષિઓને વંદન કરું છું.' આવા અંતિમ ચરણોથી અલંકૃત બનેલા શ્લોકો આ પ્રકરણની પરિમલ બની રહે છે.
તે તે ઋષિવરો- મુનિવરોમાંથી કેટલાક પ્રસિદ્ધ મહાત્માઓના વૃત્તાંત છે, તો વળી કેટલાક અપ્રસિદ્ધ મુનિવરોના પણ વૃત્તાંત છે.
પરમાત્માનું શાસન કેવું પ્રભાવવંતું છે ! કેવા-કેવા સાધક મહાપુરુષો આ શાસનમાં થયા છે !....' આવા આવા અનેક શુભભાવો આ પ્રકરણનો સ્વાધ્યાય કરતાં અનુભવાય તેવું છે.
ભરહેસ૨ની સજ્ઝાયમાં કહ્યું છે કે,
जेसिं नामग्गहणे, पावप्पबंधा विलयं जंतिप
એ વાત અહીં બરાબર લાગુ પડે છે, કેમ કે આ બધા એવા ઋષિઓ મહર્ષિઓ છે કે જેઓશ્રીનું નામ ગ્રહણ કરવાથી પણ પાપના બંધનો નાશ પામે.
આ પ્રકરણના રચયિતા મહાત્માશ્રીએ વિશાળ સાહિત્યમાંથી આ બધા અવદાતો ઉદ્ધૃત કરીને આપણને મહાપુરુષોની મહાનતા માણવા માટે એકત્રજ અવકાશ કરી આપ્યો છે.