SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ પીડાઓ નાશ પામ્યાં છે, જેઓ કેવળજ્ઞાન કેવળદાનના ધારક છે, મોક્ષમાં બિરાજમાન છે, તે અનુપમ–સુખના ભંડાર અને સર્વથા કૃષ્કૃત્ય એવા સિદ્ધ ભગવતેનું મારે શરણુ હે * તેમજ પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવઘયોગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, પાપકાર કરવામાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાન–અધ્યયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુભગવંતે મારે શરણ હે. તથા જગતમાં જે કોઈ સૂર–અસર અને મનુષ્યો છે. તેમનાથી પૂજાયેલા, મોહ અંધકારનો નાશ કરવામાં સૂર્યતુલ્ય, રાગ અને દેષરૂપ ઝેરને નાશ કરવા માટે પરમમંત્ર તુલ્ય, સવ કલ્યાણની સાધનામાં હેતુભૂત, કમવનને બાળવા માટે અગ્નિ જેવા, આત્માના સિદ્ધભાવના સાધક એવા કેવલીભગવંતે કહેલા ધમનું મારે જાવજજીવ શરણ હે આ ચારના શરણે ગયેલે હું ગુરુસાક્ષીએ દુષ્કતોની ગહ કરૂં છું –મેં અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ અને સાધ્વીઓ પ્રત્યે, બીજા પણ માનનીય અને પૂજનીય ધર્મસ્થાને તેમજ અનેક જન્મના માતા, પિતા, બંધુ, મિત્ર કે ઉપકારી પ્રત્યે અથવા સામાન્યથી મોક્ષમાર્ગી પામેલા કે મિશ્યામાગમાં રહેલા છે પ્રત્યે, મોક્ષમાર્ગમાં સાધનભૂત અથવા અસાધનભૂત સવ વસ્તુ પ્રત્યે, જે કાંઈ વિપરીત આચરણ કર્યું, ન કરવા યોગ્ય આચરણ કર્યું, ન ઈચ્છવા જોગ ઈછયું, આવું જે કંઈ પાપને અનુબંધ કિરાવનારૂં પાપ, સૂક્ષ્મ કે બાદર નિાનું કે મેટું] મનથી, વચનથી કે કાયાથી, મેં પોતે કર્યું, બીજા પાસે કરાવ્યું કે કેઈથી કરાતા પાપને સારૂં માન્યું હોય [અનુમોળું) તે પણ રાગથી, દ્વેષથી કે મેહથી, આ જન્મમાં કે અન્ય જન્મમાં
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy