SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (વૈશાખ સુદ ૩) અક્ષય તૃતીયાને દિવસે અક્ષય સુખના અથ શ્રી જ્યભલે માતાપિતાદિ વડીલવર્ગની સંમતિ પૂર્વક શ્રીસંઘના આનંદ વચ્ચે તેઓશ્રીના હસ્તે પરમ પાવની શ્રીભાગવતી દીક્ષા અંગીકાર કરી પિતાના આત્માને તેઓશ્રીના ચરણોમાં સમર્પિત કર્યો. આડીસરના શ્રીસંઘે પણ આ પ્રસંગે અષ્ટાહ્નિકા મહોત્સવ આદિ શુભ કાર્યો કરી યથાશક્તિ, શાસનપ્રભાવના કરવારૂપ ઉત્તમ લાભ લીધે. “ગ્ય આત્માના યોગ્ય કાર્યમાં સર્વને સહકાર સહજ મળી જાય છે.' એ ન્યાયે આ દીક્ષાથી સઘળા લેકે, અને તે કાળના જાગીરદાર ગામપતિ ઠાકર શ્રી લાખાજી પણ ખૂબ પ્રસન્ન થયા, એટલું જ નહિ, જે વૃક્ષની નીચે તેઓની દીક્ષાની પવિત્ર ક્રિયા કરવામાં આવી, તે રાયણનું વૃક્ષ પુનઃ પલ્લવિત થયું. અને જે કૂવાના પાણીથી તેઓએ છેલ્લું સ્નાન કર્યું, તેનું પાણી પણ ખારું મટીને મીઠું થઈ ગયું. * શાસનપ્રભાવક પૂજ્ય શ્રી વિજય હીરસૂરિજી મહારાજના સ્વર્ગવાસ પ્રસંગે પણ અકાળે આંબા ફળ્યા હતા ને? પુણ્યવાનના પુણ્યની એ લીલા હોય છે કે–તેઓ જ્યાં જાય ત્યાં અલૌકિક ભાવો બને. વસ્તુતઃ તો શુદ્ધપુણ્યવાળા પુણ્યવાનેનું જીવન જ સહજ પ્રભાવક હોવાથી અન્ય જીવોને પણ ધર્મની પ્રેરણા આપે છે. દીક્ષાથી અલંકૃત થયેલા શ્રી જયમલલનું નામ મુનિશ્રીજીતવિજ્યજી રાખવામાં આવ્યું અને તે પણ તેઓશ્રીએ “જીત એટલે આચાર, તેને. વિજય' કરીને સાર્થક કર્યું. તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન જ્ઞાનાચાર આદિ પાંચેય આચારને કેવા સુંદર પાળ્યા હતા, તેને સાચો અનુભવ તે તેઓ જે જે પ્રદેશમાં વિચર્યા છે ત્યાંના સંઘને જ છે. કોઈપણ કાળમાં સ્વ–પર કલ્યાણ સાધી શકાતું હોય તે શ્રદ્ધા-સમજપૂર્વકના આચાર-પાલનથી સાધી આ સાંભળવા પ્રમાણે તે કૂવો અને વૃક્ષ અદ્યાપિ લોકોપયોગી તરીકે વિદ્યમાન છે,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy