SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્ચે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. “દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ-વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સતપુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ થાય છે” (વ.૪૯૬).મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. મૃષા બોલવાથી જ લાભ થાય એવો કંઈ નિયમ નથી, જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; એમ કંઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ ખોટાં થાય. સત્યથી મનુષ્યનો આત્માસ્યુટિકજેવો જણાય છે. ૫૦
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy