SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી જૂઠાભાઈ સરવાણીનું ઊગમસ્થાન છે સત્યપરાયણજી ! ભગીરથે ગંગાનું અવતરણ કરીને જગત પર જે ઉપકાર કર્યો તેવો જ ઉપકાર, કૃપાળુદેવની વચનસરિતાના (શબ્દસરિતાના) અવતરણની શ્રી સત્યપરાયણજીની પરોક્ષ રીતે ઉપકૃતિ ગણાય. આપણને પ્રાપ્ત શરૂઆતના પત્રો અને અન્ય સાહિત્ય પ્રાપ્તિનું શ્રેય શ્રી સત્યપરાયણને ફાળે જાય છે. પરાગ ભલે પુષ્પની હોય, પણ એ પુષ્પને પાંગરવા માટે ડાળની સહાય છે તેમ આપણને મળતી વચનસુરભિનું પ્રદાન કાંઈક અંશે શ્રી સત્યપરાયણનું ગણાય. શ્રી સત્યપરાયણે વાવેલ આમ્રફળનો મધુર સ્વાદ આજે આપણે માણી શકીએ છીએ એ કાંઈ નાનો સૂનો ઉપકાર નથી. કૃપાળુદેવે મોક્ષમાળા તો પ્રથમથી લખેલી જ હતી. તે તો પૂ.શ્રી સત્યપરાયણના દયમાં રમતી હતી, અંતરે જડી દીધી હતી. પૂ.શ્રી સત્યપરાયણ દ્વારા આપણને મળેલા સોનેરી વાક્યો તો જાણે અંતરમાં કોતરાઈ જાય તેવા છે. ૨૧ નંબરના વચનામૃતમાં ૧૦૪ નં. વાક્યમાં “બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહી.” “ગમે તેવી શંકા થાય તોપણ મારા વતી વીરને નિઃશંક ગણજો.” અને બોધવચન નં. ૫ માં ૯૩મું વાક્ય “બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું.” - કયા કયા વાક્યને યાદ કરીએ ! શબ્દ શબ્દ વાગોળતાં વધારે રસ અને વધારે મર્મ પામીએ તેવી અદ્દભુત તેમાં ચમત્કૃતિ છે. બોધવચનો, પ્રશ્નોત્તર, સજ્જનતા વિષેનો લેખ, હાથનોંધ નં. ૧, સ્વરોદયજ્ઞાનનો ગ્રંથ, સ્વવિચાર ભુવન, વિ. વચનપ્રસાદી આપણે તે શ્રી સત્યપરાયણશ્રીની કૃપાથી ચાખીએ છીએ. કૃપાળુદેવે જેમને ‘પ્રિય ભાઈ ગણ્યા, એવા આપણા સૌના પ્રિયભાઈ શ્રી સત્યપરાયણે આપણને એ અમૂલ્ય વારસામાં ભાગ આપી બંધુતા દાખવી છે. | પરમકૃપાળુ દેવે પૂ.શ્રી ઠાભાઈ પ્રત્યે પત્રો દ્વારા જે બોધની અમૃતધારા વરસાવી તે વર્ષ તથા વચનામૃત પત્ર ક્રમાંક :
SR No.032182
Book TitleParam Mumukshu Juthabhai
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year2008
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy