SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૨૭૭ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનિર્ણય ન થયે હેય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે કલ્પિત પદાર્થ વિશે “સતીની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી, અને એ જ પરમ જગ્યતાની હાનિ છે. - આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કેઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે, અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે, મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ એગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરી અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજે. મેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. શ્રી મહાવીરસ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy