SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞા ધાર. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાંય. પૂવે થઈ ગયેલા મેટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણકે જીવે શું કરવું તે તેવા સમરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જેગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણકે મૂર્તિ માન મેક્ષ તે સત્પરુષ છે મોક્ષે ગયા છે એવા (અતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હેય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયું અને જેગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. | ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દેષ હોય. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હેય છે. એ “પરમ દૈન્યત્વ? જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બંને થયાં હોય. તથાપિ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy