SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 56 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) પ્રશાશીલ પુરુષો સ્વગ્રંથની અધ્યયન-અધ્યાપનપ્રવૃત્તિ આદરે એ માટે ગ્રંથનો વિષય દર્શાવે છે ઃ सद्रव्या गुणगुम्फिता सुकृतिनां सत्कर्मणां ज्ञापिका, सत्सामान्यविशेषनित्यमिलिताभावप्रकर्षोज्जवला । विष्णोर्वक्षसि विश्वनाथकृतिना सिद्धान्तमुक्तावली, विन्यस्ता मनसो मुदं वितनुतां सद्युक्तिरेषा चिरम् ॥३॥ (મુક્તાવલીની ઉપમા) (મુ.) પંડિત વિશ્વનાથ પંચાનન દ્વારા વિષ્ણુના વક્ષઃસ્થળમાં સમર્પિત કરાયેલી, સુંદર યુક્તિઓથી યુક્ત આ સિદ્ધાન્તમુક્તાવલી પંડિતોના મનમાં ચિરકાળ સુધી આનંદ-પ્રમોદને ફેલાવો, કે જેમાં દ્રવ્યોનું પ્રતિપાદન છે, ગુણો ગુંથાયેલા છે, કર્મનું જ્ઞાપન છે તથા જે સામાન્ય, વિશેષ અને નિત્યસંબંધ = સમવાયવાળી છે. તેમજ અભાવના પ્રકર્ષથી ઉજ્જવળ છે. (વિ.) આ શ્લોકમાં શ્લેષ દ્વારા ગ્રંથકારે ગ્રંથને મોતીની માળાની ઉપમા આપી છે. સદ્રવ્યા=મોતીની માળા દ્રવ્ય (ધન) થી સાધ્ય હોવાથી સદ્રવ્યા છે, ગ્રંથ પ્રતિપાદકત્વ સંબંધથી દ્રવ્યવાન્ હોવાથી સદ્રવ્ય છે; ગુણગુમ્ફિતા=માળા પક્ષે સૂતરથી ગૂંથાયેલી, ગ્રંથપક્ષે ૨૪ ગુણોથી યુક્ત; સુસ્કૃતિનાં=માળા પક્ષ-પુણ્યશાળીઓના (પૂર્વકૃત સત્કર્મોની જ્ઞાપિકા છે) ગ્રંથપક્ષે – પંડિતોના (મનમાં આનંદને ફેલાવો.) સત્કર્મણાં= માળા પક્ષે - પૂર્વનાં સત્યો, ગ્રંથપક્ષે – ઉત્કૃપણ વગેરે પાંચ કર્યો; સત્સામાન્યવિશેષનિત્યમિલિતા=માળા પક્ષેપ્રશસ્ત એવા સામાન્ય અને વિશેષ (વધુ મોટા અને નિર્મળ) મોતીઓથી નિત્ય=સંપૂર્ણ ગૂંથાયેલી, ગ્રંથપક્ષે – જાતિરૂપ સામાન્ય, વિશેષ અને નિત્યમિલિત=સમવાય સંબંધ છે જેમાં; અભાવપ્રકર્ષોવલા=માળાપક્ષે-અંધકારમાં પ્રકર્ષપૂર્વક ચમકતી, ગ્રંથપક્ષે – અભાવના પ્રકર્ષ (=ભેદ-પ્રભેદોથી) ઉજ્જવળ; સંધુક્તિઃ=માળાપક્ષે-સુંદર ગૂંથનવાળી, ગ્રંથપક્ષે= સુંદર છે યુક્તિઓ જેમાં... આમ મુક્તાવલીની ઉપમા દ્વારા ‘મોતીઓની માળાની જેમ આ ગ્રંથ પણ નિર્દોષ છે’’ એવું જણાવવાનો ગ્રંથકારનો આશય છે. અહીં સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથને સદ્રવ્ય=દ્રવ્યવાળો કહ્યો છે. એટલે કે રહેનાર દ્રવ્ય છે, અને રાખનાર ગ્રંથ છે. દ્રવ્ય માટે ગ્રંથ શું છે ? પ્રતિપાદક છે. તેથી, પ્રતિપાદકતા સંબંધથી પૃથ્વી વગેરે દ્રવ્યો ગ્રંથમાં રહ્યા છે એમ કહેવાય. એટલે કે પ્રતિપાદકત્વ સંબંધથી ગ્રંથ દ્રવ્યવાન્ છે. यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय ! तत्कुरुष्व मदर्पणम् ॥ એ વચનને અનુસારે ગ્રંથકારે સ્વકીયગ્રંથ શ્રી વિષ્ણુને સમર્પિત કરવા વિઘ્નોર્વક્ષત્તિ વિન્યસ્તા... કહ્યું છે. (मु.) विघ्नविघाताय कृतं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थतो निबध्नाति । (મુ.) વિઘ્નોનો નાશ કરવા માટે કરેલા મંગલને, ‘અમારે પણ ગ્રંથારંભે મંગલ કરવું જોઈએ.' એવો શિષ્યોને બોધ મળે એ માટે ગ્રંથમાં જોડે છે. (‘વિઘાત’પદની વિશેષતા) (વિવેચન) શંકા : ‘વિઘાત’ પદથી જે ‘સ’ ને જણાવવો છે તે તો માત્ર ‘ઘાત’ પદથી પણ જણાવી શકાય છે. માટે ‘વિ’ પદ નિરર્થક છે. સમાધાન : ‘વિશિષ્ટવાવાનાં પાનાં પતિ પૃથવિશેષળવાનવવસમવધાને વિશેષ્યમાત્રપરત્વ’ આવો એક ન્યાય છે. એનો અર્થ ઃ (વિશેષણ યુક્ત વિશેષ્ય=) વિશિષ્ટ પદાર્થને જણાવનારાં પદો, જ્યારે વિશેષણને જણાવનાર પદનો સ્વતંત્ર
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy