SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 212. ન્યાયસિદ્ધાન્તનાવલી (मु.) मैवम्, सुषुप्तिप्राक्कालोत्पन्नेच्छादिव्यक्तेस्तत्सम्बन्धेनात्मनश्च प्रत्यक्षत्वप्रसङ्गात्, तदतीन्द्रियत्वे मानाभावात्, સુપુરિઝાાનિર્વિવાન્યમેવનિયમેનગાયત્યarvપ્રમાણમાવાન્ અથજ્ઞાનમાર્તન:સંયોાચરણત્વ, तदा रासन-चाक्षुषादिप्रत्यक्षकाले त्वाचप्रत्यक्षं स्यात्, विषयत्वक्संयोगस्य त्वानःसंयोगस्य च (तत्र) सत्त्वात्, परस्परप्रतिबन्धादेकमपि वा न स्यादिति। (મુ.) સમાધાન આવી શંકા ઉચિત નથી. કારણ કે સુષુપ્તિની પૂર્વેક્ષણે ઉત્પન્ન ઇચ્છાદિ વ્યક્તિનું અને તેના સંબંધથી આત્માનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. તે અતીન્દ્રિય જ હોય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. સુષુમિની પૂર્વેક્ષણમાં અવશ્ય નિર્વિકલ્પક જ ઉત્પન્ન થાય છે એમાં પણ કોઈ પ્રમાણ નથી.. શંકાઃ જો જ્ઞાનમાત્ર પ્રત્યે વનઃસંયોગ એ કારણ છે તો રાસન-ચાક્ષુષ વગેરે પ્રત્યક્ષકાળે વાચપ્રત્યક્ષ થશે, કારણ કે વિષયવસંયોગ અને વન:સંયોગ ત્યાં હાજર છે. અથવા પરસ્પર પ્રતિબન્ધ થાય તો બે માંથી એક પણ નહીં થાય. (વિ.) સમાધાન : જ્ઞાન સામાન્ય પ્રત્યે ત્વનઃ સંયોગ ને કારણ ન માનવાની આ શંકા ઉચિત નથી. કારણ કે તો પછી સુષુપ્તિકાળની અવ્યવડિત પૂર્વેક્ષણે જે જ્ઞાન થયું હશે તેનું અને તેના યોગે ‘પટાનવાનનું ઇત્યાદિ રૂપે આત્માનું માનસપ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કારણ કે એ જ્ઞાન પણ ધિક્ષણસ્થાયી હોવાથી સુષુમિપ્રથમક્ષણે પણ વિદ્યમાન હોય જ છે. - જ્ઞાનસામાન્ય પ્રત્યે વતન:સંયોગ ને કારણ માનવામાં આ આપત્તિ આવતી નથી, કારણ કે સુષુપ્તિ કાળે મન પુરીતતિનાડીમાં ગયું હોવાથી એ સંયોગ જ હોતો નથી. (ઇચ્છાની આદિમાં જ્ઞાન હોય છે માટે છાતિ શબ્દનો અર્થ જ્ઞાન કરવો.) શંકાઃ સુષુમિની પૂર્વેક્ષણે થતું જ્ઞાન અતીન્દ્રિય હોવાથી એનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે નહીં. સમાધાનઃ એ અતીન્દ્રિય જ હોય એમાં કોઈ પ્રમાણ નથી. શંકાઃ એ જ્ઞાન નિર્વિકલ્પક જ હોવાથી એના પ્રત્યક્ષાદિની આપત્તિ નથી. સમાધાનઃ એમાં પણ કોઈ પ્રમાણ નથી. શંકા જ્યારે આમ્રના મધુર સ્વાદનું રાસન પ્રત્યક્ષ થાય છે ત્યારે જીભનો એ સ્વાદ સાથે સંનિકર્ષ હોય છે એમ ત્વચાનો આમ્ર સાથે પણ સંયોગ હોય જ છે. વળી ત્વગમનઃ સંયોગને તમે જ્ઞાન સામાન્ય પ્રત્યે કારણ માન્યું એટલે એ પણ ત્યારે હાજર હોય જ છે. તેથી આમ્રના વાચપ્રત્યક્ષની સામગ્રી પણ હાજર છે જ. તો એ થવું જ જોઈએ. એમ આમ્રના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય ત્યારે પણ ત્વચા આમ્રસંયોગ અને ત્વગમનઃસંયોગ આ સામગ્રી વિદ્યમાન હોવાથી આમ્રનું ત્વાચપ્રત્યક્ષ થવું જોઈએ. એટલે રાસન ને સ્વાચ કે ચાક્ષુષ ને ત્વાચ આ બબ્બે પ્રત્યક્ષ સાથે થવા જોઈએ. અથવા તો પરસ્પર પ્રતિબન્ધ થવાથી બેમાંથી એકેય પ્રત્યક્ષ થવું ન જોઈએ. (मु.) अत्र केचित् - पूर्वोक्तयुक्त्या त्वानःसंयोगस्य ज्ञानहेतुत्वे सिद्धे चाक्षुषादिसामग्र्याः स्पार्शनादिप्रतिबन्धकत्वमनुभवानुरोधात् कल्प्यत इति । अन्ये तु सुषुप्त्यनुरोधेन चर्ममनःसंयोगस्य ज्ञानहेतुत्वं कल्प्यते, चाक्षुषादिप्रत्यक्षकाले त्वानःसंयोगाभावान्न त्वाचप्रत्यक्षमिति वदन्ति । (મુ) ઉક્ત શંકા અંગે કેટલાક વિદ્વાનો સમાધાન આપે છે - પૂર્વોક્તયુક્તિથી ત્વગમનઃ સંયોગ જ્ઞાનના કારણ તરીકે સિદ્ધ થયે ચાક્ષુષાદિની સામગ્રીને સ્પાર્શનાદિની પ્રતિબંધક તરીકે અનુભવબળે કલ્પવામાં આવે છે. બીજાઓ એવું કહે છે કે સુપુતિને નજરમાં લઈને ચર્મમનઃસંયોગને જ્ઞાનનું કારણ કલ્પવામાં આવે છે. ચાક્ષુષાદિ પ્રત્યક્ષકાળે_ગુમનઃસંયોગાભાવ હોવાથી ત્વાચપ્રત્યક્ષ થતું નથી.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy