SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશદ્રવ્યસિદ્ધિ 173 | ‘મારુતિંત નાતિઃ (નાતિત્વમાવવત), માચૅવ્યક્સિં–‘આવો અનુમાન પ્રયોગ કરવામાં આવે તો, જાતિત્વાભાવ એવું સાધ્ય આકાશત્વમાં છે જ્યારે એક વ્યક્તિત્વ એવો હેતુ આકાશમાં છે, તેથી સાધ્ય-હેતુનું સામાનાધિકરણ્ય ન મળે. તેથી અનુમાન પ્રયોગ આવો જાણવો - મારત્વે નતિ:, મનેજસમતત્વમવિ પટરૂપવતું (જ્ઞાતિમિત્રો ઘર્મ પથ | આકાશત્વ જો જાતિ નથી, તો ઉપાધિ છે. તો એની વ્યાખ્યા - લક્ષણ શું?) आकाशत्वं शब्दाश्रयत्वम् (૨) (ગુણનિરૂપણમાં શબ્દને વિશેષગુણ તરીકે જણાવેલ જ છે. તો અહીં મૂળમાં-કારિકાવલીમાં વૈશેષિક શબ્દ ન લખ્યો હોત તો પણ એ ખબર પડી જ જવાની હતી... તો વૈશેષિક શબ્દ શા માટે લખ્યો છે?-) આકાશમાં શબ્દ સિવાય બીજો કોઈ વિશેષગુણ હોતો નથી એ જણાવવા માટે વૈશેષિક' શબ્દ વાપર્યો છે. આકાશનો શબ્દ એ વિશેષગુણ છે એમ કહેવા દ્વારા “આકાશ' નું સાધક પ્રમાણ પણ સૂચિત કરેલું જાણવું. (એ પ્રમાણ આ પ્રમાણે છે - शब्दः पृथिव्याद्यष्टद्रव्यभिन्नद्रव्याश्रितः, अष्टद्रव्यानाश्रितत्वे सति द्रव्याश्रितत्वात् આ અનુમાનમાં સ્વરૂપાસિદ્ધિદોષ છે, કારણ કે તમે કહેલો વિશિષ્ટ હેતુ શબ્દાત્મક પક્ષમાં રહ્યો નથી.” આવી શંકાનું વારણ કરવા માટે હેતુના બંને અંશો - ‘દ્રવ્યાશ્રિતત્વ' એવું વિશેષ્ય અને “અષ્ટદ્રવ્યાનાશ્રિતત્વ' એવું વિશેષણ - આ બંને શબ્દાત્મક પક્ષમાં રહેલા છે એમ સિદ્ધ કરવું જોઈએ. એટલે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વ રહ્યું છે એવું સિદ્ધ કરવા મુક્તાવલીમાં બે અનુમાન પ્રયોગો આપ્યા છે. તથાતિ-) (૩) (1) શબ્દો વિશેષ:, ચક્ષુફાયોદિરિદ્રિયગ્રાહ્મજ્ઞાતિમસ્વીત, સ્પર્શવત્ ચક્ષુથી જાણવાને અયોગ્ય હોવા છતાં બહિરિન્દ્રિયગ્રાહ્ય હોય એવો જે જાતિમાન્ પદાર્થ તે વિશેષગુણ જ હોય, જેમ કે સ્પર્શ જો કે શબ્દમાં દ્રવ્યાશ્રિતત્વ સિદ્ધ કરવા માટે માત્ર ગણત્વ' ની સિદ્ધિ કરી દેવાથી પણ કામ સરી જાય છે, જે વ્યભિચાર વગેરે કોઇ દોષ પણ આવતા નથી, છતાં અહીં ‘વિશેષગુણત્વ' ને સાધ્ય તરીકે એટલા માટે જણાવ્યું છે કે આગળ “અષ્ટદ્રવ્યાનાશ્રિતત્વ' અંશની સિદ્ધિ માટે જે અનુમાન પ્રયોગો આપવાના છે એમાં, એકમાં ‘વિશેષગુણત્વ' હેત તરીકે લેવાનો છે. એટલે અહીં જો ખાલી ગુણત્વ' સિદ્ધ કરવામાં આવે તો ત્યાં પાછું ‘વિશેષગુણત્વ' સિદ્ધ કરવાનું ઊભું રહે, જેથી ગૌરવ થાય. વળી વ્યભિચાર વગેરેનું વારક ન હોય એવું પણ વિશેષણ સાધ્યમાં દોષ રૂપ નથી એ આગળ આવી ગયું છે. આ, અનુમાનમાં, ચક્ષુગ્રહણાયોગ્ય આવું જાતિમાનું જે વિશેષણ હેતુમાં મૂકવામાં આવ્યું છે તે ન મૂકવામાં આવે તો, બહિરિન્દ્રિયગ્રાહ્યજાતિમાનું જે સંયોગ, એ વિશેષગુણ ન હોવાથી વ્યભિચાર આવે, (જો વિશેષગુણત્વના બદલે ગુણત્વને જ સાધ્ય બનાવ્યું હોય તો સંયોગમાં વ્યભિચાર ન આવે, પણ ઘટાદિમાં આવે તે જાણવું.) બહિરિન્દ્રિયગ્રાહ્ય” લખવામાં ન આવે તો આત્મામાં વ્યભિચાર આવે, કારણ કે એ ચક્ષુગ્રહણાયોગ્ય તો છે જ. બહિરિન્દ્રિય એટલે મનોભિન્ન ઇન્દ્રિય. આત્મા મનોગ્રાહ્ય છે, બહિરિન્દ્રિયગ્રાહ્ય નહીં. “જાતિમા' ના બદલે માત્ર “ધર્મવાનું લખવામાં આવેતો “રસત્વ' વગેરેમાં વ્યભિચાર આવે. કારણકેએચક્ષુગ્રહણાયોગ્ય છેનેબહિરિન્દ્રિગ્રાહ્ય પણ છે. એમાં રહેલ ઘર્મ રસત્ત્વ “જાતિ' રૂપ ન હોવાથી, “રસત્વ” “જાતિમાન બનવાના કારણે આ વ્યભિચારનું વારણ થાય છે. આ અનુમાનમાં ચક્ષુગ્રહણાયોગ્યત્વ અને બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ આ બંનેને જાતિમાના વિશેષણ તરીકે લઈ ઉપરની વાત જાણવી. એ બેને જાતિના વિશેષણ તરીકે પણ લઈ શકાય. અર્થાત્ આવું અનુમાન પણ કરી શકાય કે શબ્દ વિશેષગુણ છે, કારણ કે ચક્ષુગ્રહણાયોગ્ય અનેબપિરિન્દ્રિયગ્રાહ્ય એવી જે જાતિતદ્વાનું છે, જેમકે સ્પર્શ. પણ આ રીતે એ બેને જાતિનું વિશેષણ બનાવવામાં આવેતો ચક્ષુગ્રહણાયોગ્ય એમ જે કહ્યું છે એમાં યોગ્યતા સુધી જવું આવશ્યક ન રહે, ચક્ષુગ્રહણાવિષય એટલું જ કહેવાથી પણ ચાલે. વસ્તુતઃ તો,
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy